________________
૯૭૬
અસરકારક પ્રેરણાથી તેઓશ્રીએ સામાં સં. ૨૦૦૫ વૈશાખ સુદ છઠ્ઠ ના રાજ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. પેાતાના શ્રદ્ધેય ગુરુદેવ પાસે, આગમા અને જૈન શાસ્ત્રોના અભ્યાસ કર્યો. વ્યાકરણ અને જ્યોતિષના વિષયામાં પ્રભુત્વ મેળવ્યું. પૂજ્ય ગુરુદેવની સાથે જ સદા રહી તેએશ્રીના શાસન પ્રભાવનાનાં કાર્યોમાં સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ એ તેમની જીવનસાધનાના મુખ્ય વિષયેા છે. સંવત ૨૦૨૮ માં મહેસાણા મુકામે તેઓશ્રીને ગણું પછી અણુ કરાઇ, અમદાવાદના આ સંધે ૨૩૧માં તેઓશ્રીની પુન્યાસ પદીના મહાત્સવ ઊજવાયા અને સ. ૨૦૯૨ માં જામનગર મુકામે તેઓશ્રીને આચા પથી અલંકૃત કરાયા હતા. સ્વભાવે સરળ અને ભદ્રિક પૂજ્યશ્રી પેાતાની આગવી શૈલીથી શ્રેાતાને ધર્મમાગે વાળે છે.
શ્રી પાર્શ્વ ચન્દ્ર ગછીયા, શાસન પ્રભાવિક, પ્રવર્તિની સાધ્વીશ્રી ખાંતિશ્રીજી
કચ્છની ધીંગી ધરાના સુંદર સમૃદ્ધ પ્રદેશમાં માંડવી બંદર પાસેના નયનરમ્ય નાગલપુર ગામમાં સ’. ૧૯૫૮ માં એમના જન્મ. નામ જીવીબેન. બચપણથી જ તેમનામાં પિતા પૂંજાભાઈ અને માતા મુરીબેનના ઊંડા ધર્મસંસ્કાર મળ્યા હતા. યોગાનુયાગ એમના સંસારી પક્ષના ફઈબા સાધ્વી શ્રી લાભશ્રીજી મ. ના સહવાસથી તેમના જીવનમાં ક્રાંતિ આવી. અને વૈરાગ્યભાવના જાગી, માત્ર ૧૬ વર્ષની ઉંમરે સ ́ ૧૯૭૪ ના વૈશાખ વદ પાંચમના અમદાવાદમાં શાંતમૂર્તિ પૂ ગણિવર્ય શ્રી પૂનમચન્દ્રજી મહારાજની નિશ્રામાં દીક્ષા મહે।ત્સવ ખૂબ ધામધૂમથી ઊજવાયા હતા. દીક્ષા બાદ તેઓશ્રીનું નામ સાધ્વી ખાંતિશ્રીજી રાખી સા. શ્રી લાભશ્રીજી મ. ના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં.
દીક્ષા બાદ તેમણે શાસ્ત્રોના અભ્યાસ શરૂ કર્યો. ઊંડી જિજ્ઞાસાવૃત્તિ અને અદ્ભુત બુદ્ધિપ્રભાને લઈ તેઓશ્રીની વિદ્વત્તાની સૌરભ ચોતરફ પ્રસરવા લાગી, તેમનુ ભરાવદાર શરીર, સુવઈમય દેહકાંતિ, સૌમ્યપ્રભાવશાળી ચહેરા, બ્રહ્મચર્યના તેજથી ચમકતુ વિશાળ ભાલ અને તેજસ્વી નયના ચહેરાને વિશેષ પ્રભાવિત કરતાં હતાં. ચંદ્રસમુ સૌમ્ય, શાળુ અને વિમળ વ્યક્તિત્વ એમના આત્માની નિર્મળતા અને સરળતાની શાખ પૂરી સૌના અંતરમાં ભક્તિભાવ જગાવતું હતું.
તેમની શિષ્યા સમુદાય પ્રત્યેની વાસણ્યતા અજોડ હતી. સધ વાત્સલ્ય અને શાસનપ્રેમ અદ્ભુત હતા, જીવનની સાધના માટે જાગૃતિ એવી કે પ્રમાદ કે કષાયેા તેમને સતાવી શકતા નહિ. શાસનસેવાનાં મહાન કાર્યામાં જ સદા નિમગ્ન રહેતાં. પૂજ્ય શ્રી ગુજરાત-કચ્છ સૌરાષ્ટ્ર-મારવાડ—મહારાષ્ટ્ર-આદિ પ્રદેશામાં વિચરી ધર્મની પતાકા ફરકાવી જૈન અને જૈનેતરાના હૃદયમાં વિશ્વવત્સલ પ્રભુ મહાવીર
Jain Education Intemational
વિશ્વનો અસ્મિતા
ની ધર્મવાણીને ગુ ંજતી કરી હતી. પૂજ્યશ્રીના સદુપદેશથી માળિયા પાસેના હિરપુર ગામમાં, મેારખી, ધ્રાંગધ્રા પાસે ચુલી આદિ ગામામાં ભવ્ય ઉપાશ્રયાનાં નિર્માણ થયાં છે.
પૂજ્ય શ્રી સમર્થ વ્યાખ્યાત્રી, સાહિત્ય સર્જિકા અને લેાકપ્રિય
લેખિકા હતાં. તેએ શ્રીએ સિદ્ધાંત, સંસ્કૃત, પ્રાકૃત, સાહિત્ય, તર્ક, ન્યાય, જ્યોતિષ વગેરેના તલસ્પર્શી અભ્યાસ કર્યો હતા, જેના પરિણામ સ્વરૂપ પૂજ્યશ્રીની સિદ્ધહસ્ત કલમે લખાયેલાં ક્ષાંત્વાનદ ગુણમ જરી, દક્ષાદેવી, ક્ષમાદેવી, વિશ્વલ્લતા સતી, ચન્દ્રકલા મહાસતી, પુષ્પવાટિકા, ત્યાગી કે ભાગી, મૌક્તિકમાલા, સાધ્વીવ્યાખ્યાન નિર્ણય આદિ અનેક ગ્રંથરત્નાની જૈન સમાજને ભેટ મળી,
પૂજ્યશ્રી શ્રી પા ચન્દ્રગચ્છતા એક તેજસ્વી રન સમાં હતાં, તેમની વિદ્વત્તા, અને પ્રવચનપટુતાથી પ્રભાવિત થયેલા સકલ સંધાએ પૂજ્યશ્રીને પ્રવૃતિનીપદ આપવાના નિર્ણય કર્યો અને વિ સ. ૨૦૧૧ ના મહાસુદ ૧૦ ના ધ્રાંગધ્રા મુકામે પ્રાયઃ ૫ થી ૬ હજારની માનવ મેદની વચ્ચે પૂ. ગુરુવર્ય શ્રીઁ બાલચન્દ્રજી મ. સા. ના વરદ હસ્તે પૂજ્યશ્રીને પ્રવૃતિ'ની પદથી અલંકૃત કરવામાં આવ્યા, તેમની તેજસ્વી શિષ્યા, પ્રશિયાના વિશાળ સમુદાય ૩૦ ઠાણાના છે. વિદ્રાન સાધ્વીશ્રી બા. બ્ર. સુનંદાશ્રીજી મ. સાહિત્ય પ્રેમી, બા. બ્ર. સા. વસંતપ્રભાશ્રીજી, કાર્ય કુશલા સા, ૐ કારશ્રોજી ભક્તિવંતા ખા. બ્ર. સી. પ`કજશ્રીજી, સુવ્યાખ્યાની ખા. બ્ર. સા. નિજ્જન દત્રીજી, આદિ શિષ્યાઓ આજે પણ જૈન શાસનનું ગૌરવ વધારી
રહ્યાં છે.
વિ. સં. ૨૦૬૨ માં મુંબઈ શ્રી પાર્શ્વ ચન્દ્ર ગચ્છ જૈન સંધની અત્યંત આગ્રહભરી વિનતીને માન આપી પૂજ્યશ્રી પ્રથમ વખત જ મુંબઈ પધાર્યા, ચૈત્ર સુદ ચોથના શુભ દિવસે ખેોરીવલીના શ્રી જૈન સંધે પૂજ્યશ્રીનુ' અમૃતપૂર્યું સ્વાગત કર્યું. મુંબઈ-મુલુન્ડ અને ચેમ્બુર ચાતુર્માસમાં પૂજ્યશ્રીના હસ્તે અનેકવિધ ધર્મકાર્યો આન'દાલ્લાસ પૂર્વક થયાં. ૬૭ વર્ષની બુઝર્ગ ઉમ્મર સુધી પણ્ પૂજ્યશ્રીએ શાસનની અનેકવિધ પ્રભાવના કરી,
તશ્રી મુલુન્ડ શ્રી પા ચન્દ્રસૂરિ જ્ઞાનમ`દિરમાં છઙ વર્ષની ઉંમરે ૬૧ વર્ષનુ સુદી સંયમી જીવન જીવી ૧૯૭, ૧૧ મી ઓગસ્ટ, શ્રાવણ સુદિ સાતમના અંત સમયે પ્રભુ પ્રતિમા સમક્ષ, સર્વજીવેને ખમાવી. ૪ શરણા તથા અણુસણુ વ્રતના સ્વીકાર કરી સકલ સંઘ સમક્ષ, નવકાર મંત્રની ધૂન સાંભળતાં સાંભળતાં, અને શ’ખેશ્વર દાદાનાં દર્શન કરતાં કરતાં જ, આત્મ જાગૃતિમાં અપૂર્વ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાં.
પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર સમગ્ર મુંબઈ અને બહાર ગામમાં વીજળા વેગે ફરી વળતાં હારા લાકા તેમના અતિમ દર્શના ઊમટી પડયું. શ્મશાનયાત્રામાં હ્રારા જૈન અને જૈનતા જોડાય
For Private & Personal Use Only
www.jainelibrary.org