SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૫ તેઓશ્રીને પરમપૂજ્યપાદ શ્રીમદ્ કીર્તિ સાગરસૂરીજી મ.સા. ના શુભ હસ્તે પંચપરમેષ્ઠીના ત્રીજા પદ-આચાર્ય પદવી અર્પણ કરી વિરાજિત કરાયા. સંદર્ભગ્રંથ ભાગ-૨ માં થતી અંધભક્તિને વિરોધ, મૂર્તિપૂજા શા માટે ? તે હકીકત રજૂ કરી સ્થાનકવાસી સમાજને ટકોર પણ કરી છે. જનસંઘની એક્યતા, દેવદ્રવ્ય, વિનિવર્ધ યંત્ર, ડાળી, વિહાર વગેરે પર વિશદ છણાવટ કરીને સમયાનુસાર સુંદર માર્ગદર્શન આપેલ છે. પૂજયશ્રી પાદવિહાર કરી મહાતીર્થ સમેતશિખરની યાત્રાએ પધાર્યા. વિહારમાં જગ્યાએ જગ્યાએ પૂજા કરાવ્યાં – સંધનપૂજન થયાં. અહમદનગર ઔરંગાબાદમાં ધર્મ પ્રભાવના કરી જાલના મરાઠાવાડ ચાતુર્માસ માટે પધાર્યા. તેઓશ્રી સાહિત્યભૂષણ, જ્યોતિષમાતડ કાન્તદષ્ટ છે. શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ કૈલાસસાગરજી મહારાજ આજ ૭૦ વર્ષની વૃદ્ધ વયે પણ યૌવન સહજ તરવરાટથી જિનશાસનની પ્રભાવનાનાં અનેકવિધ સમ્યફ કાર્યો કરાવી રહ્યા છે. તેઓશ્રીની જન્મભૂમિ પંજાબમાં જગાંવ (લુધિયાણા) છે. સનાતન ધર્મ કૅલેજમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો. લાહોર યુનિવર્સિટીના સ્નાતક બન્યા. કુળ પરંપરાએ તેઓશ્રી સ્થાનકવાસી સંપ્રદાયની પરંતુ અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનના ગ્રંથોમાં ઊંડો રસ હોવાથી, શ્વેતામ્બર આનાયના ગ્રંથે વાંચતા તેમને પ્રતીતિ થઈ કે જિનેશ્વર ભગવંતની પ્રતિમાના આલંબનની આત્મસાધના માટે ખૂબ જ જરૂર છે. એ ગ્રંથાના ગહન અભ્યાસથી વેતામ્બર સંપ્રદાયની સમ્યફ પ્રણાલિકા પ્રત્યે તેમને અપૂર્વ શ્રદ્ધા બેઠી. સંવત ૧૯૯૪માં અમદાવાદ મુકામે યોગાનષ્ઠ અધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂજ્ય મુનિરાજ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજના શિષ્ય થયા. અપાતિઅ૯પ ઉપાધિ એ તેઓના સંયમી જીવનની આગવી વિશેષતા છે. મિત અને મધુરભાષી પૂજ્ય આચાર્યશ્રીના સદુપદેશથી આજ સુધી શાસન પ્રભાવનાઓનાં જે અનેકવિધ કાર્યો કરાવ્યાં છે તેમાં ૧૪ સ્થળે એ ઉપધાનતપ, આરાધના, ૧૮ જેટલી અંજન શલાકા, ત્રીસેક જેટલી પ્રતિષ્ઠા અને પાંચેક જેટલા છરી પાળતા સંઘે નીકળ્યા છે. આ સર્વ શાસનપ્રભાવનાના કાર્યોમાં મહેસાણા( ઉત્તર ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર નવનિર્માણ કરાવેલ શ્રી સીમંધરસ્વામી ભગવંતનું શિખરબંધ જિનાલય શિરમોર છે. લગભગ એક કરોડના ખર્ચે ઊભા કરાયેલ આ નૂતન તીર્થધામમાં ધર્મશાળા અને ભેજનાલયની પણ વ્યવસ્થા છે. અને જિનાલયમાં વિરાજતા વર્તમાન વિહરમાન શ્રી સીમંધર પરમાત્માની પ્રતિમા સમગ્ર એશિયામાં ઊંચાઈમાં એક અને અજોડ છે. પદ્માસનસ્થ આ જિનપ્રતિમાજીની ઊંચાઈ ૧૨ ફૂટ ૧ ઈંચ (૧૪૫ ઈંચ) ઊંચી છે અને જિનાલય પણ વજદંડ સહિત ૧૨૫ ફૂટ ઊંચુ અને ભષ્ય છે. પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ ૧૬ ઉપધાનેમાં મુંબઈ, મલાડ મુકામે સંવત ૨૦૨૫માં થયેલ ઉપધાન તપમાં સૌથી વધુ ૭૦ ૦ આરાધકો જોડાયા હતા અને ચારસોથી વધુ તપસ્વીઓએ ઉપધાનમાળ પહેરી હતી. પૂજ્ય શ્રી પંજાબી, પ્રાકૃત, ઉર્દૂ, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. આમિક સાહિત્યના ઊંડા અભ્યાસી. છે. તેઓ સારા વ્યાખ્યાનકાર પણ છે. સ્વભાવે અંતર્મુખ પૂજયશ્રીને મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન શ્રી સીમંધરસ્વામી પરમાત્મા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને પ્રશસ્ય પણ છે. આથી જ કદાચ તેઓશ્રીએ કરાવેલ પ્રતિષ્ઠાઓમાં શ્રી સીમંધરસ્વામીની પ્રતિમાના અચૂક મંગળ દર્શન થાય છે. સ્વભાવે શાંત અને સરળ, વિનય અને વિનમ્રતા ભારોભાર. તેમની આ ગુણસંપત્તિથી તેઓશ્રી સૌના પ્રિય બન્યા. દીક્ષા લીધા બાદ અવિરત જ્ઞાન-સાધના શરૂ કરી. તેઓશ્રીએ આંગમિક શાસ્ત્રો અને ગ્રંથને અભ્યાસ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયોદયસૂરીશ્વરજી મહારાજ, પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ ધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ તેમ જ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી શિવાનંદવિજ્યજી મહારાજાદિ પાસે કર્યો. સંવત ૨૦ ૧૫ તથા ૨૦૧૯માં ચાતુર્માસ કરાવી અનેકાનેક શાસનપ્રભાવનાનાં કાર્ય કરાવેલ છે. તેમાં પણ ભાવનગર શહેરની વિશાળતા સમાં એક મોટા નૂતન ઉપાશ્રય માટે ઉપદેશ આપી ૨૦ ૨૦માં પૂર્ણ કરાવી શ્રી ભાવનગરમાં ઉપધાન તપની આરાધના ખૂબ જ ઉલ્લાસભેર કરાવી જૈન સમાજમાં તપનું પવિત્ર વાતાવરણ નિર્માણ કરાવવામાં તેમનું યશસ્વી પ્રદાન રહ્યું છે. જ્ઞાને પાસનાની સાથોસાથ તપ, જપ અને ધ્યાન પણ કરતા. તેઓશ્રીની આવી આંતરિક ગુણસંપત્તિ જોઈને સંવત ૨૦૦૩માં તેઓશ્રીને ગણિ પદવી અર્પણ કરાઈ. આચાર્ય શ્રીમદ્ કલ્યાણસાગરસૂરિજી ત્યારબાદ સંવત ૨૦૦૫ના માગશર સુદિ પાંચમે વિજયદેવ- પૂજ્ય આચાર્ય શ્રી કલ્યાણસાગરજી મહારાજને જન્મ વલસાડ સૂર જૈન સંધ ગેડીઝ સંયોજિત મહોત્સવ પૂર્વક મુંબઈમાં પંન્યાસ જિલ્લાના ફણસા ગામે થે. મુંબઈમાં સંસારી અવસ્થામાં પદવી, સંવત ૨૦૧૧ ના માગશર સુદિ ૬ ના સાણંદમાં ઉપાધ્યાય તેઓશ્રીની હાર્ડવેરની દુકાન હતી. સંવત ૨૦૦૪માં પૂજ્ય આચાર્ય શ્રી પદવી અને સંવત ૨૦૨૨ માં મહા વદિ ૧૧ ના સાણંદ મુકામે કૈલાસસાગરસૂરિજી મહારાજને તેમને સત્સંગ થયો અને તેમની Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy