SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1003
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૪ વિશ્વની અસ્મિતા એકતા કરાવી. ગુજરાતી અને હિન્દીમાં પુસ્તકો લખ્યાં. જીવનભર બેસણુથી ઓછી તપશ્ચર્યા કરી નથી. ગુરુદેવ શ્રી અભય સાગરજી મહારાજ શ્રી સાથે રહીને જંબુદ્વીપની યોજનાને આખરી રૂપ આપવામાં સતત કાર્યશીલ રહ્યા છે. ગુરુ મહારાજની તપશ્ચર્યા અને ત્યાગની એમને પૂરી તાલીમ મળેલી છે. પરમાર ક્ષત્રિયના સૌથી પ્રથમ આચાર્ય પ્રવર શ્રી ઇન્દ્રદિનસૂરિજી. સાલપુરા ગામના ભાઈશ્રી મોહનભાઈ ધર્મનિષ્ઠ સોમચંદભાઈની પ્રેરણાથી જૈન ધર્મમાં જોડાયા. જૈન પાઠશાળામાં પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ અને ત્રણ ભાષ્ય શીખ્યા. દીક્ષાની ભાવના જાગી અને સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૫ ના ઠાઠમાઠ પૂર્વક દીક્ષા લીધી. તેમનું નામ મુનિ ઈન્દ્રવિજયજી રાખવામાં આવ્યું. મહેન્દ્ર જૈન પંચાગના પ્રણેતા વિકાસચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. સં. ૨૦૦૫ માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પાસે ચગદવહન કર્યા. સં. ૨૦૧૧ માં ફાગણ વદ ૩ ને સુરત વડા ચૌટા ઉપાશ્રયમાં તેમને ગણિપદ પદવી આપવામાં આવી. ગુરુદેવની આજ્ઞાથી વતનમાં આવ્યા. અનેક ભાઇઓને વ્યસનમુક્ત કરી જૈનધર્મમાં જોડાયા. આ કાર્યમાં ઘણાં કષ્ટ વેઠયાં. જાડા જુવારના રોટલાથી ચલાવ્યું. આજે તે વીસેક હજાર પરમાર ક્ષત્રિય જૈનધર્મ પાલન કરી રહ્યા છે. સાધુ સમાજના જ્યોતિર્ધર જેવા વયોવૃદ્ધ શાન્તિસૂતિ સેવામાં ભેખધારી મુનિશ્રી જિનભદ્રવિજજી મહારાજ બોડેલીમાં પરમાર ક્ષત્રિના સમુદ્ધાર માટે વૃદ્ધાવસ્થા હોવા છતાં જીવનભર બેસી ગયા. બેડેલી મહાતીર્થ બની ગયું. મુનિરત્ન પરમાર ક્ષત્રિય જૈન પ્રથમ ત્યાગી ગણિ શ્રી ઈન્દ્રવિજયજી મહારાજ પણ તેમની સાથે સેવામાં બેસી ગયા. ગણિવર્ય શ્રી ઇન્દ્રવિજયજી પંચાસરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા માટે પાટણ ગયેલા. મુનિપુંગવ જિનભદ્રવિજયજીએ ગણીવર્યને બોડેલી આસપાસ પ્રચાર કરવા બાલાવ્યા. પંજાબંસરી આચાર્ય શ્રી વિજય વલભસૂરીશ્વરજીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે આચાર્ય શ્રી સમુદ્રસૂરીશ્વરજી સાથે શત્રુંજય ગિરિરાજ તથા શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી મુંબઈ આવ્યા. ભાયખલામાં ચાતુર્માસ કર્યું. શતાબ્દી મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે. મુંબઈને આંગણે શતાબ્દી મહોત્સવ યાદગાર બની ગયે. વરલીના નૂતન મંદિરની પ્રતિષ્ઠા સમયે યાર્યશ્રીએ તેમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. ૨૦૨૭ નું ચાતુર્માસ વડોદરામાં કરી બોડેલી તીર્થસ્થાનમાં મુનિ ગવ જિનભદ્રવિજયજીને કાર્યને વેગ આપવા બેડેલી દોડી ગયા. આચાર્ય ઈન્દ્રદિનસૂરિના રાજસ્થાનમાંના તપસ્વી ભાઈની દીક્ષા મુંબઈ લાલબાગમાં થઈ – આ પ્રથમ શિષ્ય મુનિ કારવિજયજી મહાન તપસ્વી નીકળ્યા. ૨૦૧૮નું ચાતુર્માસ શિવપુરીમાં કર્યું. શાન્તિસ્નાત્ર, અઠ્ઠાઈ મહેસવ ઊજવાયાં – તેમની પ્રેરણાથી અનેક ભાવુકોએ વર્ધમાન તપની ઓળી શરૂ કરી. શિવપુરીમાં ચાર ભાવુકોને દીક્ષા આપવામાં આવી. - ગુરુવર્યના પટ્ટધર તરીકે પંજાબમાં ધર્મ પ્રભાવના કરતાં કરતાં લુધિયાણામાં ચાતુર્માસ પૂર્ણ કરી બીકાનેર ઉપધાન તપ આરાધના માટે જઈ રહ્યા છેલ્લા સમાચાર છે. પરમ પૂજ્ય સાહિત્ય ભૂષણ જ્યોતિષમાર્તડ મુનિશ્રી કસ્તુર સાગરજી મહારાજ દ્રવ્ય, ક્ષેત્ર – કાળ – ભાવને સમન્વય કરી શાસ્ત્રને વફાદાર રહી જૈન સંઘને નૂતન દૃષ્ટિ આપનાર અને ક્રાંતિકારી વિચારો ધરાવનાર મુનિશ્રીને જન્મ ક૭ સમા ઘેધા નિવાસી સેજપાર ચનાભાઈનાં ધર્મપત્ની શ્રી માંકબાઈની કુક્ષિએ સં. ૧૮૮૮ ના ભાદરવા વદ ૮ ને શુક્રવાર તા. ૨૩-૯-૧૯૩૨ ના રોજ થયો હતો. તેમનું સંસારી નામ કેશવભાઈ હતું. ૨૦ વર્ષની યુવાન વયે પ્રથમ દીક્ષા સ્થાનવાસી સંપ્રદાયમાં કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ પાસે તા. -૩૧૯૫૩ ના રોજ લીધી. કિશોર મુનિ તરીકે જાહેર થયા. અ૯પ સમયમાં યોગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પાસે મૂર્તિ પૂજક ધર્મ ને સ્વીકાર કરનાર તેમના વિદ્વાન પ્રસિદ્ધ વક્તા શ્રીમદ્ આચાર્ય શ્રી અજિતસાગરસૂરિજીના કેટલાક ગ્રંથ કિશોર મુનિને વાંચવા મળ્યા. તેમની દષ્ટિમાં પરિવર્તન થયું. અને જીવનમાં પરિ વર્તન કરી નાખ્યું. હવે કિર મુનિમાંથી કસ્તુરસાગરજી થયા. આચાર્યશ્રીના શિષ્ય મુનિ લકમીસાગરજી મહારાજ સાથે વિચરવાને સુગ મળ્યો. તેઓશ્રીની નિશ્રામાં સંસ્કૃત વ્યાકરણ – શાસ્ત્રો – જતિષ- કાવ્ય વગેરે સાહિત્યને અભ્યાસ કર્યો. તેમણે સાહિત્ય. ભૂષણ અને જ્યોતિષ માતડ ની પરીક્ષાઓ આ પી ડિગ્રી પ્રાપ્ત કરી. મુનિશ્રીના વિચારથી મેટા ભાગના જૈન – જૈનેતર સમાજ સજાગ છે. તેઓશ્રીનું લખાણ હંમેશાં સંપ્રદાયવાદથી પર રહીને સત્યને પ્રકાશમાં લાવવા માટેનું જ હોય છે, તેઓશ્રીના ચર્ચાત્મક લેખે મુંબઈ સમાચાર, જન્મભૂમિ, જનશક્તિ, સેવા સમાજ, સ્થાનકવાસી જૈન કલ્યાણ તેમ જ મહાવીર શાસનમાં પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓશ્રી ચક્ષુદાનની પૂર્ણ હિમાયતી છે. ચક્ષુદાન પુણ્ય પ્રકાર છે એ ઉલ્લેષણ કરી ધણુ પાસે ચક્ષુદાનનાં ફોર્મ ભરાવ્યાં છે. તેમના ગુરુભાઈ શ્રી લકમીસાગરજી મહારાજે કાળધર્મ પામતાં ચક્ષનું દાન કર્યું હતું. પોતે પણ ચક્ષુદાનનું ફેમ ભરેલ છે. પૂજ્ય ગુરુવર્યોના સ્મારક રૂપે શ્રી બુદ્ધિ અજિતસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિરની સ્થાપના તા. ૨૩-૪-૧૯૬૬ અક્ષય તૃતીયાને દિવસે થાણુ જિલ્લાના વસઈ ગામમાં કરાવેલ છે. જ્ઞાનમંદિરને ઉદ્દેશ જિનેશ્વર કથિત સાત ક્ષેત્રોની સુવ્યવસ્થા, સાહિત્યપ્રથાર, સાધર્મિ કેને લોન વગેરે છે. હાલમાં વિવિધ વિષય વિચારવાટિકા, જોતિષ રહસ્ય, સંસ્કૃતિની સુવાસ ભાગ ૧-૨; સબ સરિતા, જ્ઞાનપદ પૂજા, પવિત્ર પંથની પગદંડી આદિ પ્રકાશિત થયા છે. મૂર્તિપૂજા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy