________________
05
O. .
નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય
સરદાર ભવન, સચિવાલય, બ્લોક નં. ૧, પાંચમો માળ, ગાંધીનગર-૩૮૨૦૧૦ (ગુજરાત) ફોન નં. : (ક) (૦૭૯) ૩૨૩૨૬૧૧
થી ૩૨૩૨૬૧૯ ફેક્સ નં. (૦૭૯) ૩૨૩૨ ૧૦૧
सत्यमेव जयते
તા. ૧૧-૨-૨૦૦૩
સંદેશ
આપણી ગુર્જરધરા બહુરત્ના વસંધરા' છે.
સંત સંસ્કૃતિ હોય, અન્યાય સામે ન્યાયનો જંગ હોય કે ભવ્ય લોકકલા વારસો કે પછી સેવાકાર્યની સુવાસ, ગુજરાતના સપુતોએ ગુજરાતનાં ખમીર અને ઝમીરને સદૈવ ઉજાગર કર્યા છે, કરતા રહેવાના છે.
કોઈપણ રાષ્ટ્ર કે સંસ્કૃતિની ઓળખ તે માત્ર તેના ઇતિહાસ દ્વારા નહીં પરંતુ ઇતિહાસ રચનારી, ઇતિહાસ સર્જનારી વિશેષ વ્યક્તિઓ થકી જ થતી હોય છે. સદીઓ પુરાણી આ ભૂમિની સંસ્કૃતિ અનેકગણી પરાક્રમી અને અનેકરૂપી વિશિષ્ટ રહી છે. પરંતુ એક હજાર વર્ષના વિદેશી શાસનની ગુલામીને કારણે આપણે અપરાધ બોજ” હેઠળ જીવવા લાગ્યા. આપણે આપણું ગૌરવ જાળવવાને બદલે અન્ય તરફ મોઢું ફેરવીને અન્યનાં ગુણગાન ગાવા લાગ્યા. આવી “અપરાધ બોજ' દશાને કારણે આપણા ઇતિહાસ પુરુષો ભૂલાયા, આપણી સિદ્ધિઓ અલોપ થઈ, આપણી વિશેષતા વિસ્મૃત થઈ ગઈ... આપણી પાસેની અમૂલ્ય માનવશક્તિ, ભોતિક સંપત્તિ, આધ્યાત્મિક વિરાસત એ આપણી ઓળખ રહી છે. આવી વિશેષતાને ઉજાગર કરવાનું કોઈપણ કાર્ય હંમેશા માટે આવકાર્ય રહે છે.
સમંદર જેવા દરિયાદિલ અને ઝિંદાદિલીની મશાલ સમા અનેક ગુર્જરરત્નોનો પરિચય કરાવતો “સમૃદ્ધ પરિચયકોશ' આપના દ્વારા તૈયાર થઈ રહ્યો છે તે જાણી મને આનંદ થયો. આ પરિચયકોશ આવનારી પેઢીઓ માટે એન્સાયકલોપીડિયાં બની રહેશે તેવી અપેક્ષા સાથે આપના પ્રકાશનને મારી અનેક-અનેક શુભકામનાઓ પાઠવું છું. આવા ગૌરવવંતા કાર્યને શુભેચ્છા.
પ્રતિ, શ્રી નંદલાલ દેવલુક અરિહંત પ્રકાશન ભાવનગર-૩૬૪૦૦૨
753 નરેન્દ્ર મોદી )
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org