SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૬૦૧ બલિષ્ઠ મહાજન પરંપરા અને સાંપ્રત પ્રAિભાઓ –શ્રીમતી માલતીબેન કે. શાહ તત્ત્વજ્ઞાન વિષયના અભ્યાસી શ્રીમતી માલતીબેન કિશોરભાઈ શાહ તેમના પિતા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તથા તેમના પરિવાર તરફથી નાનપણથી જ મળેલ સાહિત્યવારસાને જાળવવાનો પ્રયત્ન, કૌટુંમ્બિક જવાબદારીઓ સાથે કરી રહ્યાં છે. તેઓએ તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ.; પી.એચ.ડી.ની ઉપાધિ મેળવીને પ્રસંગોપાત કોલેજોમાં, અંધશાળામાં તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરે વિષયોનું અધ્યાપન કાર્ય કરેલ છે. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ લખવાના કામમાં તથા બીજાં નાનાં-મોટાં લેખનકાર્યોમાં પિતાશ્રીને મદદ કરવાની સાથે તેમણે અકબર બાદશાહના સમયમાં થઈ ગયેલ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું જીવનચરિત્ર ઐતિહાસિક વિગતો સાથે પુસ્તકરૂપે લખવાનું કામ પણ કરેલ છે. લગ્નબાદ જીવનસાથી દ્વારા સહકાર અને પ્રોત્સાહન પ્રાપ્ત કરીને મહાનિબંધ તૈયાર કર્યો તે (ઉપાધ્યાય યશોવિજયજીકૃત) “જ્ઞાનસાગરનું તત્ત્વદર્શન'ના નામે પ્રકાશિત થયેલ છે. પુસ્તુત લેખમાળામાં અમદાવાદની બલિષ્ઠ નગરશેઠ પરંપરામાં થઈ ગયેલ મહાનુભાવોનો ટૂંક પરિચય આપવામાં આવેલ છે. તદુપરાંત જૈન ધર્મ અને દર્શનના સીમાસ્તંભ જેવું વ્યક્તિત્વ ધરાવતી વિવિધ પ્રતિભાઓનાં જીવનનું દર્શન પણ કરાવવામાં આવેલ છે. –સંપાદક અનુપમ એવા અનુપમા દેવી વિક્રમની તેરમી સદીમાં થયેલ બાંધવબેલડી વસ્તુપાળ - તેજપાળની કીર્તિગાથા આજે પણ સહુને આકર્ષે છે. તેમાં તેજપાલનાં પત્ની અનુપમાં બુદ્ધિમાં જાણે સરસ્વતીનો અવતાર હતાં. કુટુંબ ઉપરાંત રાજકારણની ગૂંચો ઉકેલવાની આવડત પણ અનુપમાદેવીમાં હતી. ' એકવાર શત્રુંજય - ગિરનારની યાત્રાએ જનાર આ કુટુંબને સલામતી માટે હડાળા ગામે પોતાની સંપત્તિ ભંડારી દેવા ખાડો ખોદતાં જમીનમાંથી સોનામહોરો ભરેલો ચરુ મળ્યો. અનુપમાદેવીએ આ ધનને ઊંચે શિખર ઉપર મૂકવાની વાત કરી. શત્રુંજય અને ગિરનાર તીર્થના ઉદ્ધાર ઉપરાંત આબુ ગિરિરાજ ઉપર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂણિગવસતિ નામે ભવ્ય કલાત્મક પ્રાસાદ તૈયાર કરાવ્યો. અનુપમા દેવી જાતે હાજર રહીને શિલ્પીઓની માતૃવત વાત્સલ્યથી સંભાળ લેતાં. તો તેથી કવિઓ તેમના માટે લખે છે કે, “લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી, છે, ઇંદ્રાણી શક્યવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તો. કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા તો અનુપમ છે.” એક અનોખો દાનવીર ખેમો દેદરાણી વિ.સં. ૧૫૪ ના કારમાં દુકાળમાં ગુજરાતમાં મહમ્મદ બેગડાના શાસનકાળ દરમ્યાન ચાંપાનેરના મહાજનના આગેવાન જૈનો પાટણ, અમદાવાદ, ખંભાત, ધોળકા, વગેરે શહેરમાં ફરી અનાજ, વસ્ત્રો માટે દાન એકઠું કરતા હતા ત્યારે ધંધુકા પાસેના હડાળા ગામમાં સામાન્ય વેશધારી ખેમાએ મહાજનને પ્રણામ કરી ઘરે આગતા સ્વાગતા કરી અને આખા વર્ષની મદદ કરવાનું વચન આપ્યું. જે સાંભળી મહાજન દંગ રહી ગયું. તેમની માનવતાની મહેકે અનેક માનવજીવનને બચાવી લીધાં. મહાજત પરંપરાતા આધસ્તંભ નગરશેઠ શાંતિદાસ ઝવેરી મોગલ સમય દરમ્યાન થઈ ગયેલ શ્રી શાંતિદાસ ઝવેરી | (જન્મ આશરે ઈ.સ. ૧૫૮૫-૯૦, અવસાન ઇ.સ. ૧૬૬૦) મહાજન પરંપરાના આદ્યપુરુષ હતા. પંદરેક વર્ષની યુવાન વયે બાદશાહ અકબરના દરબારમાં ઝવેરી તરીકે કુશળતા દેખાડનાર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy