________________
પ્રતિભા દર્શન
જે ૬૩૦
મહાગુચ્છdણી યેશગાથા (વિવિધ પ્રાંતોમાં ગુજરાતી સમાજ)
–પ્રદીપ માધવાણી
ભારતવર્ષની ભાતીગળ ભૂમિ પર ગરવી ગુજરાતની સાહસિક પ્રજાના કેટલાક સમૂહોએ વર્ષો પહેલાં વિવિધ પ્રાંતોના નગરો-ગામોમાં પહોંચી જઈને નૂતન સમાજની જે અભુત રચના કરી છે તેની ગૌરવવંતી વિગતોથી સભર એવો એક સમદ્ધ ગ્રંથ “મહાગુજરાતની યશગાથા” નામે વર્ષો પહેલાં જામનગરથી પ્રગટ થયો.
આ દળદાર ગ્રંથમાં ગુજરાત બહાર વસતી ગુજરાતી પ્રજાની વિશિષ્ટ પ્રવૃતિ અને પ્રગતિની ઝાંખી કરાવતો ઇતિહાસ સ્વ. રતિલાલ માધવાણી દ્વારા આલેખાયો છે. ભારતના સાગરકાંઠા ઉપરના એક દૈનિકપત્રના તંત્રી સ્વ. રતિલાલ માધવાણીએ બૃહદ્ ગુજરાતની ગુજરાતી પ્રજાઓનાં રોમાંચક અને ભાતીગળ અસ્તિત્વનું આ ગ્રંથમાં સુપેરે દર્શન કરાવ્યું છે. એ ગ્રંથનો ટૂંકો સારભાગ પ્રદીપ માધવાણીએ આ લેખમાળામાં રજૂ કર્યો છે.
વિવિધ પ્રાંતોમાં વિવિધ ક્ષેત્રે ગુજરાતીઓએ પોતાના પુરુષાર્થ અને સાહસ વડે સર્જેલી ભવ્ય સિદ્ધિઓને આ લેખમાળામાં કંડારવામાં આવી છે. જામનગરના આ માધવાણી પરિવારે ગુજરાતની મહાન પરંપરાનો અભુત ચિતાર રજૂ કરીને ઘણો મોટો ઉપકાર કર્યો છે. શ્રી રતિલાલભાઈ તથા શ્રી પ્રદિપભાઈ યશના અધિકારી બન્યા છે. ઠેરઠેર ગુજરાતી મહાનુભાવોનાં નામના જાહેર રસ્તાઓ, ગુજરાતી ગવર્નશે, મ્યુનિસિપાલીટીઓમાં ઉત્તરોત્તર ગુજરાતી મેયરો, ગુજરાતી નગરશેઠો, ગુજરાતી શ્રેષ્ઠીના નામનાં નગરો, અતિથિગૃહો, હોસ્પિટલો, શાળા કોલેજો ગુજરાતીઓને મળેલા ઇલ્કાબો, સેવા જીવનનાં સ્મૃતિસ્મારકો તરીકે ઠેરઠેર ઊભેલા ગુજરાતીઓનાં બાવલાંઓ, તેજસ્વી તંત્રીઓ, કચ્છી કર્મવીરોની ઉજ્જવળ ગાથાઓ, કોઈ ક્ષેત્રો બાકી નહિં હોય જ્યાં ગુજરાતીઓ સંકળાયેલા નહિં હોય. મુંબઈનો રાજાબાઈ ટાવર એક ગુજરાતીમાતાનું જીવંત સ્મારક છે. મદુરાઈમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્ર વાસીઓ વસવાટ કરે છે. અનેક પ્રાંતોના જાહેરજીવનમાં ગુજરાતીઓ આગળ છે. સાંગલીમાં, કોલ્હાપુરમાં, મેંગલોરમાં અને મદ્રાસમાં, જે તે વ્યવસાયમાં ગુજરાતીઓની બોલબાલા છે. આ બધી વિગતોનું સંકલન કરી ગ્રંથ પ્રકાશન રૂપે પ્રસિદ્ધ કરનાર સ્વ. રતિલાલ માધવાણીનાં હિંમત અને પુરુષાર્થ ખરેખર દાદ માંગી ભે તેવા છે. શ્રી પ્રદીપ માધવાણી પણ જામનગર જિલ્લામાં અખબારી ક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે.
–સંપાદક
ભારતની ધરતી પર ગરવી ગુજરાતના ગાજતા ધબકારા ગૌરવ ગાથા સમાન અનાદિકાળથી ઊભા છે. પારસી પ્રજાનું ગુજરાતની અસ્મિતાને અમર, અખંડ, ઉન્નત અને અણનમ યાત્રામથક ઉદવાડા તથા સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપરનું સુદામા અસ્તિત્વ અર્પણ કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં ગુજરાતની પુરી - પોરબંદરનું કીર્તિમંદિર સત્ય અહિંસાનો અમર સંદેશ સંસ્કૃતિ, સેવા, ઉદારતા, સખાવતી ભાવના મોખરે રહ્યાં છે. સુણાવી રહ્યું છે. ડાકોર, અંબાજી, મોઢેરા, રૂદ્રમાળ વગેરે
ગૌરવશાળી પ્રતીકો ખરેખર યશકલગી જેવાં છે. યાત્રાધામો :
ભગવાન શ્રીકૃષ્ણની આ કર્મભૂમિ છે અને વિશ્વવિભૂતિ ૫. ધર્મયુદ્ધો: ગાંધીજીની જન્મભૂમિ હોવાનું પણ ગૌરવ ધરાવે છે. ચાર | ગુજરાતની ધરતી પર સમયે સમયે ધર્મયુદ્ધનો રોમાંચક યાત્રાધામોમાં એક ધામ દ્વારકા, સોમનાથ, શત્રુંજય, ગિરનાર ઇતિહાસ સંપન્ન થયો છે. સિદ્ધાંત, વચન, વટ, વિશ્વાસ અને વેર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org