________________
પ્રતિભા દર્શન
‘વિદુલા’, ‘કથાચક્ર’ અને ‘મરણોત્તર’ એમની ચાર લઘુનવલો છે. ‘ઉપજાતિ’ ૧૯૫૬, ‘પ્રત્યંચા’ ૧૯૬૧, ‘ધૃતરા’ ૧૯૭૩, ‘નથાપિ’ ૧૯૮૦ એમના કાવ્યસંગ્રહો છે. 'કિંચિત' ૧૯૬૦, ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ ૧૯૬૨, ‘કાવ્યચર્ચા’ ૧૯૭૧, “ોપક્વન ૧૯૯૯, વન', ૧૯૭૨, અરણ્યરૂદન' ૧૯૭૬, ‘ચિન્તયામિ મનસા’ ૧૯૮૨, ‘અષ્ટમો અધ્યાય' ૧૯૮૩ એમના વિવેચનગ્રંથો છે. મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ ૧૯૭૮ આ એમનો સંશોધન ગ્રંથ છે. ‘જાનન્તિ યે કિમપિ' ૧૯૮૪, ‘નવોન્મેષ’ ૧૯૭૧, ‘નરહિરની જ્ઞાનગીતા’ ૧૯૭૮, ગુજરાતી સર્જનાત્મક ઘઃ એક સંક્લન ૧૯૮૧, ‘વસ્તાનાં પો' ૧૯૮૩ એમનાં સંપાદનો છે. ‘પરક્રિયા’ ૧૯૭૫, ધીરે વહે છે કોન' ૧૯૬૦, ‘ભોંયતળિયાનો આદમી’ ૧૯૬૭, ‘શિકારી, બંદૂક અને એક હજાર સારો, ૧૯૭૫, ‘નવી શૈલીની નવલિકા’ ૧૯૬૦, ‘અમેરિકી ટૂંકીવાર્તા', ૧૯૬૭, ‘અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ’ ૧૯૬૫, ‘પંચામૃત’ ૧૯૪૯, ‘સંચય’ ૧૯૬૩ એમના અનુવાદગ્રંથો છે. ગુજરાતી સાહિત્યના સર્જન વિવેચનમાં આધુનિક ચેતનાનું સાચા અર્થમાં અવતરણ સુરેશ જોશીના સર્જન-વિવેચનથી થયું છે.
દેસાઈ લવકુમાર મહેન્દ્રકુમાર
જન્મ ૧૫-૨-૧૯૪૦ : નાટ્યકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. ઇ. સ. ૧૯૫૫માં એસ.એસ.સી. ૧૯૫૯માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એજ વિષયમાં એમ.એ. ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૬૦-૭૦ દરમિયાન ખંભાત અને પાદરામાં વ્યાખ્યાતા. ૧૯૭૭થી મ.સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતીના અધ્યાપક અને પછી એજ વિભાગના અધ્યક્ષ બની નિવૃત્ત થયા. ‘પીંછી, કેનવાસ અને માણસ’ ૧૯૮૨ એમનું નાટક છે. આ ઉપરાંત બીજા નાટકો પણ તેમણે આપ્યાં છે. ‘સાધુસંતો’ ૧૯૭૧, તથા ધર્મ કથાઓ' ૧૯૭૩ આ એમના અનુવાદો છે.
શ્રદ્ધા અશ્વિનભાઈ ત્રિવેદી
જન્મ : ૨-૮-૧૯૪૮ : બાળસાહિત્યકાર. જન્મ પેટલાદમાં. ૧૯૬૪માં એસ.એસ.સી. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૯માં એમ.એ. ૧૯૭૧-૩૩ દરમ્યાન કારડોલી અને મહુધાની કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૭૪-૭૮ દરમ્યાન ગાંધીનગર, હિંમતનગરમાં ખંડ સમયના વ્યાખ્યાતા. ૧૯૮૦ થી ૧૯૮૯ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના કોશ વિભાગમાં. ૧૯૯૦થી એચ. કે. આર્ટસ્ કોલેજમાં ગુજરાતી વિષયના વ્યાખ્યાતા.
ઠેરના ઠેર” ૧૯૯૨, ચાંદલિયાની ગાર્ડી ૧૯૮૪, ‘છમ્મક છલ્લો' ૧૯૮૯, ‘પહેલું ઇનામ' ૧૯૯૧, 'સોનેરી પંખી'
Jain Education International
- ૬૨૧
૧૯૯૪, ‘તનીભાઈ અને બીજી વાતો’ ૧૯૮૯, ‘કરામતી પટ્ટો’ ૨૦૦૦ આ એમના બાલકથાના સંગ્રહો છે. ‘લક્કડપગી માસી' ૧૯૦૯, ‘શ્રાવંત વળો” ૧૯૯૩, ‘મનગમતી વાર્તાઓ' ૧૯૮૯, ‘અમર બાલકથાઓ’ ૨૦૦૦ આ એમના બાલકથાના સંપાદનો છે. ‘વિરલનો એક દિવસ' ૧૯૮૯, 'ચાલો રમીએ’ ૧૯૯૪, ‘ચાર ચતુર નાગમાળા' ૨૦૦ એમના બાળ નાટ્યસંગ્રહો છે. ભેંશ ભાગોળે ને છાસ છાગોળે ‘કથરોટમાં ગંગા' ૧૯૯૪, આ એમની કહેવત કથાઓના સંમહો છે. બંધ ઓરડાની ભીતરમાં' ૧૯૯૮ નવલિકા સંગ્રહ છે. ‘બાલકથા સ્વરૂપ અને તેના પ્રકારો ૧૯૯૧, ગુજરાતી ભાલસાહિત્ય' ૧૯૯૩ આ બાલકક્ષાના વિવેચન અને ઇતિહાસના ગ્રંથો છે. ‘રામપુરમાં સર્વોદય’, ‘મહેનતનાં ફળ મીઠાં’, ‘સહુની મહેનત સહુને સુખ’, ‘એક સંતાન સિંહસમુ’, ‘સંત છોડાવે તંત', ‘હાલોમેળે', 'નારી તું નારાયણી', ‘દીકરીએ દીવો રાખો' ૧૯૮૯ થી ૨૦ સુધીમાં પ્રકાશિત થયેલા આ સંગ્રહો પ્રૌઢ શિક્ષણકથાઓ છે.
ગુજરાત સાહિત્ય અકાદમી, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ અને એન.સી.ઇ.આર.ટી. જેવી સાહિત્યિક સંસ્થાઓના વિવિધ પારિતોષિકોના વિવિધ વાસિંગ્રહોને મળ્યા છે.
અનિરૂદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ
જન્મ : ૧૧-૧૧-૧૯૩૫, અવસાન ૩૧-૭-૧૯૮૧: વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ પાટણમાં. શાળા શિક્ષણ વડોદરામાં ૧૯૫૮માં બી.એ., ૧૯૯૦માં એમ.એ. ૧૯૫૯થી ડભોઈ આર્ટસ કોલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૮થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા' અને 'કિમપિ'ના તંત્રી.
‘અન્વીક્ષા' ૧૯૭૦, ‘ભારતીય સાહિત્ય શાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા' ૧૯૭૪, 'પૂર્વાપર' ૧૯૭૬, ‘ચેખોવ’ ૧૯૭૮, સેનિકર્ષ ૧૯૯૨ એમના વિવેચન ગ્રંથ છે. એરિસ્ટોટલ કાવ્યશાસ' ૧૯૯૯ આ અનુવાદગ્રંથ છે. 'કિમપિ' આ એમનો મૌલિક અને અનુદિત કાવ્યનો સંગ્રહ છે. ‘અજાણ્યું સ્ટેશન' ૧૯૮૨ એમનો વાર્તાસંગ્રહ છે, ‘નામરૂપ' ૧૯૮૧ ચરિત્રલેખોનો સંગ્રહ છે. 'ચલ મન વાટે પાટે'ના ૧ થી ૫ ભાગ એમની દૈનિક કોલમનાં લખાણોનો સંચય છે. ‘ઋધિવાણી’ ૧૯૯૨, તત્ત્વચિંતનાત્મક લેખોનો સંગ્રહ છે. આ ઉપરાંત 'ઝવેરચંદ મેઘાણી' ૧૯૬૯ ‘મણિશંકર ભટ્ટ-કાંત’ ૧૯૭૧, ‘રમણભાઈ નીલકંઠ’ ૧૯૭૩ જે તે સર્જક વિશેની તેમજ ‘કાન્તા’ ૧૯૭૩, ‘સુદામા ચરિત્ર' ૧૯૭૫, ‘કુંવરબાઈનું મામેરું' ૧૯૮૨, આ જે તે કૃતિ પરની એમની સંપાદિત સ્વાધ્યાયયેલી છે. જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ' ૧૯૭૧, ‘નાટક વિશે જયંતિ’ ૧૯૭૪, ‘પતીલના ચૂંટેલા કાવ્યો'
For Private & Personal Use Only
www.jainelibrary.org