SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ◇ 423 મુાતનાં કેટલાંક તેજસ્વી નક્ષત્રો —ડૉ. મહેશચંદ્ર પંડ્યા વિશ્વની વિદ્યમાન આધ્યાત્મિક વિચારધારાને આધારે એમ જણાય છે કે સત્તરમી સદીમાં જામનગર મુકામે પૂ. દેવચન્દ્રજી મહારાજે પ્રણામીધર્મની સ્થાપના કરી અને તે પરંપરા ભારતભરમાં તથા ઇરાન, ઇરાક, અરબસ્તાન, નેપાળ, ભૂતાન અને સિક્કીમમાં પ્રસાર પામી. પ્રતિભા દર્શન વિશ્વઐક્ય, વિશ્વકુટુંબકમ્ અને માનવતાલક્ષી બુનિયાદ ઉપર સ્થાન પામેલા આ પ્રણામી ધર્મના આદ્યસ્થાપક અને તેના સંવર્ધનકર્તાઓ ગુજરાતના જ હતા. પણ ઇતિહાસે તેની ખાસ નોંધ લીધી નથી જણાતી. હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાના એકમાત્ર ખ્યાલથી પ્રસ્થાપિત થયેલા આ ધર્મસંગઠને મુગલ શાસકોને સત્યધર્મ સમજાવવા સતત મથામણ કરી હોવાનું ભાસે છે. તેમનું ધર્મ અભિયાન નોંધપાત્ર ઘટના છે. પ્રણામી ધર્મમાં રાજશ્યા (શ્રી કૃષ્ણ અને રાધા)મા સ્વરૂપ તરીકે પૂજાય છે. તેમના પટ્ટશિષ્યો લાલદાસ સ્વામી, નવરંગસ્વામી, મહામતિજીએ વેદગ્રંથોના અધ્યયન દ્વારા હેમેટિક સેમેટિક કલ્ચરનો સમન્વય સાધી પ્રણામી ધર્મને વિશ્વફલક ઉપર મૂકીને તેના પ્રચાર-પ્રસાર માટેનું ભગીરથ કાર્ય કર્યું છે. ઉપરાંત સમાજમાં સમરસત્તા સ્થાપિત કરવા સંતરત્નો - બાલકસાહેબ, પાલનદેવ વગેરેએ પ્રયત્નો કર્યા છે. આજે પણ પ્રણામી મંદિરોમાં તેમની અંશાવતાર તરીકે પૂજા થાય છે. સ્વાતંત્ર્યની લડતને પણ કેટલાકે સક્ષમ નેતૃત્વ પૂરું પાડીને તથા કારગીલમાં શહીદી વહોરીને આ ભૂમિનું નામ જેણે જેણે રોશન કર્યું છે તેવાં કેટલાંક તેજસ્વી નક્ષત્રોનો પરિચય કરાવે છે પ્રણામીધર્મના મર્મજ્ઞ અને ઇતિહાસવેત્તા ડૉ. મહેશચંદ્ર પંડ્યા. ડૉ. પંડ્યા પ્રાધ્યાપક, સંશોધક અને કવિ તરીકે ગણાયા છે. પંચમહાલ જિલ્લાના બાકોર ગામે તેમનો જન્મ થયો. મોડાસાની વિનયન કોલેજમાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના અનુસ્નાતક ઇતિહાસભવનમાં લેકચરર, રીડર, પ્રોફેસર, અધ્યક્ષ તરીકે ૩૪ વર્ષ સુધી ઇતિહાસ વિષયનું અધ્યાપન, સંશોધન કર્યું છે અને પી.એચ.ડી.ના સંશોધકોના માર્ગદર્શક રહ્યા છે. ડૉ. પંડ્યાએ ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદના ઉપપ્રમુખ અને મંત્રીપદે લાંબો સમય સેવા આપી. ઓલ ઇન્ડિયા હિસ્ટ્રી કલ્ચર સોસાયટી ન્યુ દિલ્હી, સૌરાષ્ટ્ર, કચ્છ ઇતહાસ પરિષદ જૂનાગઢ દ્વારા તથા ભારતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા યોજાયેલા સેમિનારોમાં ૬૫ થી વધુ સંશોધન પેપર્સ રજૂ કર્યા. તેમના કેટલાંક મહત્ત્વનાં સંશોધન લેખો કેટલાંક સામયિકોમાં પણ પ્રગટ થયા છે. ઇતિહાસ, સમાજદર્શન અને ધર્મ સંબંધે તેમનાં દસેક પુસ્તકો અને બે કાવ્યસંગ્રહોમાં ગૌરવ પ્રગટ થાય છે. સંશોધનક્ષેત્રે મેડલો, પારિતોષિકો, વિશિષ્ટ સન્માનપત્રો મેળવીને તેઓ ઇતિહાસવિદ તરીકે સારું એવું માનપાન પામ્યા છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે તાજેતરમાં જ મધ્યપ્રદેશના પત્રા મુકામે તેમનાં માર્ગદર્શન હેઠળ ભારતભરમાં સૌ પ્રથમ પ્રણામીધર્મનું એક મ્યુઝિયમ આકાર પામ્યું છે. આજે પણ ડૉ. પંડ્યા સાહેબ જયહિંદ દૈનિકમાં ‘સમયનાં વહેતાં નીર’ કોલમ દ્વારા - ચિંતનપ્રધાન લેખો દ્વારા સમયસાથે કદમ મીલાવવા સમાજને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy