SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન પોરબંદર આવવાનું થયું. ત્યાં તેમને માલદે રાણા વગેરેનો સારો સત્કાર મળ્યો. ભજન, લોકગીત ઉપર કનુભાઈનો જેટલો કાબુ હતો તેટલો જ ઉર્દુ જબાન પર પણ હતો. ધોરાજી મુકામે એક મેમણ ગૃહસ્થને ત્યાં પ્રસંગોપાત કાર્યક્રમ ગોઠવાયો. તેમાં અન્ય કવાલ સાથે કનુભાઈને મુકાબલો કરવો પડ્યો. અને તેમાં તે સફળ થયા. કવિ સાયલાકરે તેને કવિ ‘હંસ’”નું બિરુદ આપ્યું. જામનગરનાં રાજમાતા ગુલાબકુંવરબાના આગ્રહથી જામનગર ગયા. કનુભાઈનાં ભજન સાંભળી રાજમાતાએ પ્રસન્ન થઈ કિંમતી મોતીમાળા અને શેલું અર્પણ કર્યું. જીવરામભગતે પણ મોતીની માળા ભેટ આપી. શરૂઆતમાં તેઓ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ઉપર કલાકાર તરીકે પસંદગી પામ્યા. પછી હિઝમાસ્ટર વોઈસ અને કોલંબિયા કંપનીએ એમના સ્વરમાં અનેક ભજન, લોકગીત અને દુહાની રેકર્ડ કરી. ઇ.સ. ૧૯૫૪માં આકાશવાણી રાજકોટના ઉદ્ઘાટન પ્રસંગે કલાકાર તરીકેનું સૌ પ્રથમ માન કનુભાઈને મળ્યું. ઇ.સ. ૧૯૫૫માં અખિલ ભારતીય નેશનલ પ્રોગ્રામ દિલ્હી ખાતે યોજાયો તેમાં સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે કનુભાઈ બારોટની પસંદગી થઈ અને પંડિત જવાહરલાલ નહેરુના સાનિધ્યમાં પ્રોગ્રામ આપ્યો. ઇ.સ. ૧૯૫૬-૫૭માં મહેર અગ્રગણ્ય અરજણભાઈનાં આમંત્રણથી કનુભાઈ આફ્રિકા ગયા અને ત્યાંના ઘણાં શહેરોમાં કાર્યક્રમ કર્યા. ઇ.સ. ૧૯૭૩ થી ૧૯૭૫ સુધી મુંબઈ ટી.વી.ના કાર્યક્રમમાં ખાસ આમંત્રિત કલાકાર તરીકે હાજરી આપી. ઇ.સ. ૧૯૮૩માં અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ દરમ્યાન કનુભાઈનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત તેણે, મનુભાઈ ગઢવી આયોજીત ચલચિત્ર ‘‘કસુંબીનો રંગ’’માં કવિ તરીકે પોતાના અભિનય આપ્યો. આકાશવાણીના રાજકોટ કેન્દ્રના તેઓ ‘‘એ’” ગ્રેડના કલાકાર હતા. તેમના કંઠે અનેક ગ્રામોફોન રેકોર્ડ તૈયાર થઈ છે. આમ પોતાના જીવનકાળ દરમિયાન અનેક કાર્યક્રમોમાં તેઓ ભાગ લેતા રહ્યા છે અને પોતાના કામણગારા કંઠથી લોકપ્રિયતા હાંસલ કરતા રહ્યા છે. તા. ૧૦-૧-૧૯૮૫ના રોજ આપણી વચ્ચેથી તેમણે કાયમી વિદાય લીધી છે. પણ સમાજ તેને ચિરકાળ સુધી ભૂલી શકશે નહિ. Jain Education Intemational મેઘાવી કંઠતા સમર્થ લોકગાયક હેમુ ગઢવી * ૪૫૧ મેઘાવી કંઠના સમર્થ લોકગાયક શ્રી હેમુભાઈ ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકમાં. (હાલ જે પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.) આવી ભૂમિના ચોટીલા નજીકના પંખીના માળા જેવા માંડ ૨૦૦ માણસની વસ્તીવાળા નાના એવા ઢાંકણિયા ગામમાં ખેડૂત ચારણ નાનાભાઈને ત્યાં ઇ.સ. ૧૯૨૯ના સપ્ટેમ્બર માસની ચોથી તારીખે એક પુત્ર ‘રત્ન’નો જન્મ થયો. આ બાળક એટલે કસુંબલ કંઠના ગાયક, નાદબ્રહ્મ આરાધક, સૌરાષ્ટ્રના લોકસંગીતના સૂરસાધક અને સૂર શબ્દના સોના જેવા હેમુભાઈ ગઢવી. ઢાંકણિયા ગામમાં મૂળ વસ્તી ચારણોની. ધંધો ખેતી. અેમુભાઈના પિતા નાનાભાઈને રાજતરફથી મળેલી ખેતીલાયક જમીન હતી. બહુ ઓછી જમીન, વળી સુક્કો પ્રદેશ, ખેતી માટે વરસાદ ઉપર આધાર રાખવો પડે. આવકનું બીજું કાંઈ સાધન નહિ. તેથી ઘરની સ્થિતિ સામાન્ય. પિતા નાનાભા સાવ સીધા સાદા સ્વભાવના. એ વખતે ઢાંકણિયા ગામમાં નિશાળ ન હતી. એટલે હેમુભાઈ સાણંદ ગામે એમના ફઈબાને ત્યાં ભણવા ગયા. ત્યાં તેમણે ગુજરાતી ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો. પછી તેમને આગળ અભ્યાસ કરવાનું કુદરતને મંજૂર નહિ હોય, જેથી પિતાશ્રીને આવકના સાધન તરીકે ખેતી કામમાં મદદ કરવા હેમુભાઈએ અભ્યાસ છોડ્યો અને ઢાંકણિયા આવી ખેતી કામ શરૂ કર્યું. કંઠના કામણ તો હેમુભાઈને કુદરત તરફથી જ મળ્યાં હતાં. કિશોર હેમુનો કંઠ ઢાંકણિયાની સીમમાં પડઘા પાડવા લાગ્યો. સાંજ પડ્યે ઢાંકણિયાને ચોરે ડાયરો જામે. યુવાન હેમુનો કંઠ ડાયરાને રસ તરબોળ બનાવી દે અને આમ લોકો હેમુના કંઠ ઉપર વારી જતા. બચપણથી જ હેમુભાઈની દુહાની ગાયકી આગવી હતી. નાની ઉંમરે પણ હેમુભાઈના કંઠમાં અષાઢના મેઘમલ્હારની ગંભીરતા વરતાતી. હેમુભાઈના મામા શ્રી પથુદાનભાઈ તથા કરણદાનભાઈની નજર હેમુભાઈ ઉપર પડી. ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હોવાના કારણે હવે હેમુભાઈને વધારે કમાવાની જરૂર હતી. આ બંને વાતો એક સાથે મળી. પરિણામ એ આવ્યું કે, શ્રી પથુદાનભાઈ અને શ્રી કરણદાનભાઈએ હેમુભાઈને પોતાની નાટક કંપનીમાં એકટર તરીકે જોડી દીધા. એ વખતે આ બંને નાટક કંપની ચલાવતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy