SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિ શ્રી ધનેશ્વરવિજયજી નામે અને ચાંદી બહેનને સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યાં. પૂ. મુનિરાજ શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ દીક્ષા જીવનના આરંભથી જ જપ-તપ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા. પૂ. મુનિશ્રીની યોગ્યતા જોઈ વડીલોએ તેમને સં. ૨૦૪૨માં અમલનેર મુકામે ગણિપદ અને સં. ૨૦૪૪માં અહમદનગરમાં પંન્યાસપદ પ્રદાન કર્યું અને સંગમનેરના મહાન પુણ્યોદયે સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના શુભ દિને આચાર્યપદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનેશ્વરસૂરિજી મહારાજના નામે ધોષિત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી અને શુભ નિશ્રામાં શ્રીસંઘ અને શાસનનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક સુસંપન્ન બન્યાં છે. પૂનાથી પાલીતાણા શ્રી સિદ્ધગિરિ તીર્થનો છ’રી પાલિત યાત્રાસંઘ, ઉપધાન આદિ સુંદર રીતે યોજાયા છે. પૂ. પં. શ્રી શિવાનંદવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી શ્વે. મૂ. પૂ. જૈન સંઘ ચાંદવડ (મહારાષ્ટ્ર)ના સૌજન્યથી પ્રશમરસપયોતિધિ અને ગુરુદેવતી અખંડ સેવાતા ઉપાસક પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરિજી મ. સિદ્ધાંત મહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને સિંહગર્જનાના સ્વામી નીડર વક્તા પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે ને આવે જ. એવા એ પૂ. આચાર્યદેવની પુણ્યસ્મૃતિ સાથે પડછાયાની જેમ સંકળાયેલું એક વ્યક્તિત્વ એટલે પૂ. આ. શ્રી વિજયકુંજરસૂરીશ્વરજી મહારાજ. અનેક વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રીના જીવનની એક વિશેષતા તો વિરલાતિવિરલ વિશેષણ પામી જાય એવી છે. એ છે આજીવન અંતેવાસીત્વ. દીક્ષાગ્રહણથી માંડીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવનાં દેહદિલની સાથે પડછાયાની જેમ જ સંલગ્ન રહેવાની એવી ‘સેવાવૃત્તિ’ સ્વીકારી કે પૂ. ગુરુદેવશ્રીના સમાધિમૃત્યુની પળ સુધી એ સેવાવ્રત અખંડ જ રહ્યું ! પૂજ્યશ્રીનું સંસારી વતન તારંગાની તળેટીમાં વસેલું વાવસતલાસણા પાસેનું કોઠાસણા ગામ. ધંધાર્થે પ્રારંભમાં ટાંકેદઘોટી (મહારાષ્ટ્ર) અને પછી વર્ષોથી નાસિકમાં સ્થિર થયેલા. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૧ના પોષ વદ ૧ના ટાંકેદ ગામે થયો. પિતાનું નામ મોતીચંદ, માતાનું નામ દીવાળીબેન અને તેમનું જન્મનામ હતું બાબુભાઈ. નાસિક જૈનસંઘના અગ્રગણ્ય કાર્યકર સુધીના પદે પહોંચેલા શ્રી બાબુભાઈને કોઈ એવી પુણ્યપળે પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજનો ભેટો થયો કે, થોડાજ પરિચય પછી Jain Education International > ૨૩૨/૩૦ સંયમ સ્વીકારવાની ભાવનામાં રમતાં, અમુક મુદત પૂરી થતાં આશીર્વાદ લેવા તેઓ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં જઈ પહોંચ્યા. મનના મનોરથ વ્યક્ત કરીને આશીર્વાદની માંગ કરી. ત્યારે દીક્ષાના એ સિદ્ધહસ્ત દાનવીરે કહ્યું કે, ‘એકલા એકલા જ સંસારનો ત્યાગ કરવો છે ? બે બાળકોને પણ સાથે લઈ લો. ભલે કદાચ થોડી દીક્ષા લંબાય પણ બાળકોનું જીવન સુધરી જશે.' આ વચન બાબુભાઈના દિલમાં અસર કરી ગયું. એમણે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજને બધી વાત કરી, અને થોડો સમય લંબાવીને બે બાળકો સાથે સંયમ લેવાનું નક્કી થયું. સગાંવહાલાં આદિ સૌ સંમત હતાં, પણ બાબુભાઈ નાના બાળકો સાથે સંયમ સ્વીકારે એ ગામના અમુક વર્ગને ગમતું ન હતું. એથી અંતે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ને દિવસે મુરબાડ પાસે નાનકડા ધસઈ ગામમાં ગુપ્ત રીતે શ્રી બાબુભાઈ પોતાના બે સંતાનો - પ્રકાશકુમા૨ (વય :૯) અને મહેન્દ્રકુમાર (વય : ૭) સાથે સંયમી બન્યા અને તેઓ અનુક્રમે મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી, મુનિરાજ શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજીના નામે જાહેર થયા. પૂજ્યશ્રીનું ‘શ્રી જયકુંજરવિજયજી' નામ પડ્યું તે પણ ખૂબ અન્વર્થ છે. બાબુભાઈ દીક્ષા લેવાના હતા તે પૂર્વે પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીને રાત્રે સ્વપ્ર આવ્યું કે એક હાથી પોતાના બે મદનિયાંને લઈ પોતાની પાસે આવી રહ્યો છે. અને સાચે જ સ્વપ્રમાં થયેલ સૂચન પ્રમાણે બાબુભાઈ પોતાનાં બે સંતાનો સાથે દીક્ષા લેવા પૂજ્યશ્રી પાસે આવ્યા તેથી પૂજ્યશ્રીએ દીક્ષાસમયે બાબુભાઈનું નામ મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી પાડ્યું. કુંજર એટલે હાથી અને બધે વિજય મળવાનો એવો હાથી એટલે ‘જયકુંજર’. જયકુંજર હાથીનું વિસ્તૃત વર્ણન શ્રી ભગવતીસૂત્રમાં આવે છે. સંયમી બન્યા બાદ શ્રી જયકુંજરવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધવા સાથે એવા ગુરુસમર્પિત બની ગયા કે, પોતાનાં સંતાનો-શિષ્યોના ઘડતરની તમામ જવાબદારી પૂ. ગુરુદેવને સોંપીને ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યો. સં. ૨૦૧૧ થી સં. ૨૦૩૮ સુધી આ મંત્ર તેઓશ્રીએ જીવની જેમ જાળવી રાખ્યો, જેના પ્રતાપે આજે પૂજ્યશ્રીના એ બંને શિષ્યો એક સિદ્ધહસ્ત લેખક તરીકે અને એક કુશળ પ્રવચનકાર તરીકે પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ તરીકે ગુરુદેવ સાથે જ રહી શાસનપ્રભાવના કરી રહ્યા છે. સમર્થ લેખક અને પ્રભાવક પ્રવચનકાર તરીકે પોતાના બે સંતાનશિષ્યો તૈયા૨ થઈ ગયેલ હોવા છતાં આ રીતની ગુરુસમર્પિતતાની ભાવના જોઈ, મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી મહારાજના વ્યક્તિત્વ-યોગ્યતાથી પ્રેરાઈને, પૂ. ગુરુદેવના કાળધર્મ પછી, પૂ. દાદાગુરુદેવશ્રીએ તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ૩ ના પાલીતાણામાં ગણિપદ અને સં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy