SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પોતાના શિષ્ય બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ શાસ્ત્રવિશારદ, જૈનધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા રહ્યા અને જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક મહારોગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી આયંબિલતપ દ્વારા વર્ધમાનતપની જીવનભર આરાધના અને પ્રેરણા કરતા રહ્યા. વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં પારંગત થયા. પૂ.આ.શ્રી કમલસૂરિજી મહારાજનો સહયોગ સાંપડવાથી પૂજ્યશ્રીએ ઉત્તરાધ્યયન તથા આચારાંગના યોગોહન કર્યા. પૂ. ગુરુદેવ તો કાશી પધાર્યા હતા અને ત્યાં વિદ્વાનો તૈયાર કરવાની ભાવનાથી ‘શ્રી યશોવિજયજી પાઠશાળા'ની સ્થાપના કરી હતી. મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં તેઓશ્રી લાંબો વિહાર કરીને કાશી પહોંચ્યા અને ત્યારે ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું હતું. પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતા શરૂ કરાવવા અને તપોભાવનાની સંવૃદ્ધિ કરવી એ પૂજયશ્રીનાં આગવાં ધર્મકાર્યો હતાં. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે કપડવંજમાં પૂ.આ.શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં. ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ નગીનદાસભાઈ આદિ આગેવાનોની વિનંતીને માન આપી મુંબઈ પધાર્યા. તે સમયે ભૂલેશ્વર-લાલબાગનું ચાતુર્માસ યાદગાર બની રહ્યું. સં. ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત પાલીતાણા પધાર્યા ત્યારે વીરમગામ, સમી આદિ સંઘના આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસાગરસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ ૪ને શનિવારે પ્રાતઃકાળે વિશાળ માનવસમુદાયની ઉપસ્થિતિમાં આચાર્યપદથી અલંકૃત કર્યા. આ ઉપરાંત, ઉપરિયાળા તીર્થની તીર્થકમિટી તથા ઘણાં ગામોના આગેવાનોની ભાવનાથી પૂજ્યશ્રીનો અર્ધશતાબ્દિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો. યથાનામગુણ આચાર્યશ્રી મહાન તપોનિધિ હતા. દસ ચીજો વાપરવાનો નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી, સમેતશિખરજી, ગિરનારજી, શત્રુંજ્ય આદિ તીર્થોની ઘણી યાત્રાઓ કરી. કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં દીર્ઘચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક કાર્યો સુસંપન્ન કર્યાં. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વરદાદાનું સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા પણ કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ વર્ષની વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા. છતાં પણ આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી શંખેશ્વરતીર્થમાં ક૨વાની ભાવના દર્શાવી. પોતાનો નશ્વરદેહ શંખેશ્વર તીર્થધામમાં છોડવાની ઇચ્છા સાથે શંખેશ્વર પધાર્યા. માળા હાથમાં લઈ મહામંત્રનો જાપ જપતાં Jain Education International બૃહદ્ ગુજરાત જપતાં તલ્લીન થઈ ગયા. સં. ૨૦૧૫ના પોષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્તે, પાંચ મણકા બાકી રહેતા નશ્વર દેહનો ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી પૂજયશ્રીનું સ્વગ્ન સાકાર થયું. પૂજ્યશ્રીની સ્મૃતિના સ્મારક રૂપે શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે ‘શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ' નિર્માણ થવા પામ્યો. પૂજ્યશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેરક, ધર્મભાવનાના ઘોતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના ઉદ્ધારક, ઘણા રાજપુરુષોના પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાય ધરાવતા હતા. ૨૧ શિષ્યો, ૪૨ પ્રશિષ્યો અને ઘણાં જ સાધ્વીજીઓનો સમુદાય વર્તમાનમાં વિચરી રહ્યો છે. એવા પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કોટિશઃ વંદન ! (પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી લબ્ધિનિધાન ટ્રસ્ટ - અમદાવાદના સૌજન્યથી) પૂ. આગમોદ્ધારકશ્રીતાં વિશાળ કાર્યો અને સ્વસમુદાયને સફળતાપૂર્વક સંભાળતાર પૂ. આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય આગમોદ્ધારક, આગમમંદિર સંસ્થાપક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સૌમ્ય અને પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજીનો જન્મ વિ.સં. ૧૯૪૮માં ભરૂચ જિલ્લાના જંબુસર ગામે થયો હતો. તેમનું જન્મનામ મોહનભાઈ હતું. પિતા પાનાચંદભાઈ અને ગંગા સમાન માતા ગંગામાએ બાલ્યવયમાં જ સંસ્કારોનું સિંચન કર્યું, વ્યવસાય અર્થે સુરત આવેલા મોહનભાઈને પૂજય શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો અને દીક્ષા લેવાની ભાવના જાગી. કુટુંબીજનોએ આ વાત જાણી પણ અનુમતિ ન આપી. આથી એક દિવસ ઘરેથી ભાગી, ભરૂચ આવી અને ૧૯ વર્ષની ઉંમરે, યુવાનીમાં પગ મૂકતાં જ, પૂ. આગમોદ્ધારકશ્રીની નિશ્રામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. પૂ. ગુરુદેવશ્રીનાં સાનિધ્યમાં રહીને જ્ઞાન-ધ્યાનની સાધનામાં નિમગ્ન બન્યા. ગુરુનિશ્રાએ અલ્પસમયમાં વ્યાકરણ, તર્ક, ન્યાયાદિ શાસ્ત્રના તેમજ યોગોદ્દહન કરવાપૂર્વક આગમોના ઊંડા અભ્યાસી બન્યા. પૂજ્યશ્રીમાં ગુરુભક્તિ-વૈયાવચ્ચનો ગુણ અપૂર્વ હતો. લઘુવયમાં ગુરુદેવ સાથે શ્રી સમેતશિખરજી આદિ મહાતીર્થોની યાત્રા કરવાપૂર્વક કલકત્તામાં ચાતુર્માસ કર્યું. સં. ૧૯૫૮માં ગુરુદેવની નિશ્રામાં અમદાવાદ-ઝાંપડાની પોળમાં શ્રી ભગવતીસૂત્રના યોગોહન કરવાપૂર્વક પૂજ્યશ્રીના વરદહસ્તે કારતક વદ ૧૦ને દિવસે ગણિપદ, પંન્યાસપદ અને ભોયણી તીર્થમાં મહાસુદ ૧૦ને દિવસે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy