________________
૧૭૦
તેમજ યુરોપના દેશોમાં ગયા. ગુજરાતમાં ‘સરદાર સ્મારકો’ ઊભા કરવા માટે પુરુષાર્થ કર્યો. જીવનભર રાજકીય, રચનાત્મક, તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મોખરે રહીને યોગદાન આપતા રહ્યા. તા. ૧૧-૩-૧૯૭૭ના રોજ રાજકોટ મુકામે તેમનું નિધન થયું.
શ્રીમતી પુષ્પાબહેન જનાર્દનરાય મહેતા
શ્રીમતી પુષ્પાબહેનનો જન્મ ૨૧-૩-૧૯૦૫એ પ્રભાસપાટણમાં થયો હતો. એમ. એ. સુધી અભ્યાસ કર્યો. સ્ત્રીઓ તેમજ બાળકોની સુરક્ષાના પ્રખર હિમાયતી હતાં. સ્ત્રીઓની ઉન્નતિ માટે પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' તેમજ ‘વિકાસગ્રહો’ જેવી સંસ્થાઓની સ્થાપનામાં અગ્રણી વિદેશી કાપડના બહિષ્કારની તેમજ દારૂની દુકાનો ઉપરના પિકેટિંગની ચળવળોમાં ભાગ લીધો. અમદાવાદમાં કોમી હુલ્લડોમાં કામ કરતાં ઇજા પામ્યાં. ૧૯૪૨ની ચળવળ વખતે ભૂગર્ભવાસીઓને મદદ કરી. ૧૯૪૭ની આરઝી હકૂમતની લડત વખતે સક્રિય કામ કર્યું. ત્યારબાદ જૂનાગઢના મંત્રીમંડળમાં જોડાઈને સેવા બજાવી. ૧૯૪૮માં વિધાનસભાના પ્રથમ સ્પીકર બન્યાં. ‘અખીલ ભારતીય સમાજ કલ્યાણ બોર્ડ'ના પ્રમુખ બન્યા. ભારત સરકારે ‘પદ્મ ભૂષણ’નો ઇલ્કાબ આપીને તેમનું બહુમાન કર્યું. ૧૯૮૩માં તેમની સેવાની કદરરૂપે ‘જાનકીબાઈ એવોર્ડ' એનાયત થયો. સમગ્ર જીવન સ્ત્રીઓની ઉન્નતિમાં વિતાવ્યું.
શ્રી ચંપકલાલ પ્રેમચંદ વોરા
શ્રી ચંપકભાઈનો જન્મ તા. ૨૦-૮-૧૯૦૮ રાજકોટમાં થયો હતો. ૧૯૩૦ની મીઠાની લડત વખતે વિદ્યાર્થીમંડળની સ્થાપના કરીને લડતમાં અગ્રભાગ ભજવ્યો. ૧૯૩૨-૩૪માં વીરમગામની છાવણીમાં રહીને મીઠાની લડતમાં ભાગ લેતાં તેમને ૯૦ દિવસ અંધારી કોટડીમાં પૂરી રાખવામાં આવ્યા. ૧૯૪૨માં ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં જોડાયા. રાજકોટ શહેર સુધરાઈના સુકાની તરીકે વર્ષો સુધી કામ કર્યું. અને રાજકોટના સર્વાંગી વિકાસ માટે ભારે જહેમત ઉઠાવી. તેઓ સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓના સ્થાપક અને મોભી જેવા હતા. રાજકોટ જિલ્લા સહકારી સંઘની સ્થાપના કરી. અને ‘સહકાર’ નામનું પત્ર શરૂ કર્યું. રાજકોટ જ્ઞાનપ્રચાર સંઘની સ્થાપના કરી. રાજકોટમાં બાલભવનની રચના પાછળ
Jain Education International
બૃહદ્ ગુજરાત તેમની પ્રેરણા રહેલી છે. શહેર સુધરાઈના પ્રમુખ તરીકેની ફરજો બજાવતાં તેઓ અકસ્માતનો ભોગ બન્યા. અને તા. ૨૭-૧૦-૧૯૬૪ના રોજ તેમનું નિધન થયું.
શ્રી નાગરદાસ લક્ષ્મીચંદ દોશી
શ્રી નાગ૨દાસભાઈનો જન્મ ૧૯૦૬માં ચલાલા મુકામે થયો હતો. મુંબઈમાં વેપાર કરતા હોવા છતાં રાષ્ટ્રીય રંગે રંગાયા. સ્વામી આનંદના પરિચયમાં આવ્યા. બારડોલીમાં રહીને ખાદી કામમાં જોડાયા. ૧૯૩૦માં દાંડી વિસ્તારમાં મીઠાના સત્યાગ્રહમાં જોડાયા. ધરાસણાના સત્યાગ્રહમાં જોડાતાં બે વખત સખત માર ખાધો. ૧૯૩૨માં મુંબઈથી પકડાયા. સવા વર્ષની જેલ ભોગવી. ૧૯૩૪માં બિહાર ભૂકંપ વખતે સુંદ૨ કામગીરી બજાવી.
ત્યારબાદ ૧૯૩૭માં ગાંધીજીની આજ્ઞાનુસાર ચલાલામાં રહીને ખાદીકામ શરૂ કર્યું. અને ખાદીકામના આજીવન ભેખધારી બની રહ્યા. પંચાયતીરાજમાં રસ લીધો અને લોકોને ઉપયોગી સેવા કાર્યો કર્યાં. તેઓ સૌરાષ્ટ્રના પાયાના રચનાત્મક કાર્યકર્તાઓના મોવડી સમા હતા. અવિવાહિત રહીને આશ્રમવાસી જીવન જીવ્યા. તેમનું નિધન ૬-૭-૧૯૮૨ના રોજ થયું.
શ્રી પુરુષોત્તમ નારણદાસ ગાંધી
શ્રી પુરુષોત્તમભાઈનો જન્મ તા. ૫-૪-૧૯૦૯ રાજકોટ મુકામે થયો હતો. ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. બાલ્યાવસ્થા ગાંધીજીના આશ્રમમાં વ્યતીત થઈ. ત્યારપછી રાજકોટ આવીને રાષ્ટ્રીયશાળામાં જોડાયા. હરિજન સેવાનું કામ કર્યું. ૧૯૩૦ની લડત વખતે પિકેટિંગ કરતાં પકડાયા. ચારમાસ જેલવાસ ભોગવ્યો.
રાજકોટની લડત વખતે ગાંધીજીનો નિવાસ રાષ્ટ્રીયશાળામાં હતો. ત્યારે તેમની સેવામાં રહ્યા. ૧૯૪૨ની હિંદ છોડો લડત વખતે પકડવામાં આવ્યા અને રાજકોટમાં છ માસ જેલવાસ ભોગવ્યો. તેઓ ગાંધીજી પ્રેરિત રચનાત્મક કાર્યોમાં જોડાયા. ખાદીગ્રામોદ્યોગ, હરિજન સેવા, નવી કેળવણી ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરતા રહ્યા. મહિલા અંધશાળા, અપંગશાળા જેવી સંસ્થાની રચનાઓમાં અગ્રભાગ ભજવ્યો. સંગીત વિદ્યાલય દ્વારા સેંકડો વિદ્યાર્થીઓને સંગીતનો રંગ લગાડ્યો. ગીતા, મહાભારત, ગાંધીવિચારના
For Private & Personal Use Only
www.jainelibrary.org