________________
૧૧૪
સારાભાઈને સક્રિય સાથ આપ્યો અને એને કારણે ‘જ્યોતિસંઘ’ જેવી અત્યંત મહત્ત્વની મહિલા સંસ્થા ઊભી થઈ,
તે વખતે કોંગ્રેસ સંસ્થામાં પણ એમણે પોતાની સેવાઓ આપી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે તથા મ્યુ. શાળાના સમિતિના સભ્ય તરીકે સફળ કામગીરી બજાવી હતી. ૧૯૪૬માં તેઓ મુંબઈ વિધાનસભામાં બિનહરીફ ચૂંટાયા હતાં ને ખેરસાહેબના પ્રધાનમંડળમાં શિક્ષણ ખાતાના પાર્લમેન્ટરી સેક્રેટરી નિમાયાં હતાં. તે પછી તો નાયબ શિક્ષણમંત્રી અને ૧૯૬૨માં ગુજરાતના શિક્ષણ મંત્રી બન્યાં હતાં. સમાજકલ્યાણ ખાતાનો હવાલો પણ સંભાળ્યો હતો ને ગાંધીમૂલ્યોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ પ્રવૃત્તિઓને શાળામહાશાળાઓમાં નિત્ય આચારમાં-અમલમાં લાવવા નિરંતર પ્રેરણા આપતાં રહ્યાં હતાં. અને એ મુજબ યોગ્ય આયોજન કરવા સલાહસૂચનાઓ આપતાં રહેતાં હતાં.
૧૯૪૧માં અમદાવાદમાં જ્યારે સૌ પ્રથમ કોમી હુલ્લડ થયું, ત્યારે જાનને જોખમે તેને શાંત ક૨વા માટે નીકળી પડ્યાં હતાં. કોમી હુલ્લડની ભયંકર આગ ઠારવા જતાં અદ્ભૂત રીતે એ આગમાંથી તેઓ હેમખેમ બહાર આવ્યા. એમનું નીડર વ્યક્તિત્વ હતું, કે જેની સામે ગમે તેવું હિંસક ઝનૂન પણ શાંત પડતું હતું.
પોતાની માતાની સ્મૃતિમાં એમણે અડાલજમાં માણેકબા વિનયવિહારની સ્થાપના કરી. સ્ત્રી ઉન્નતિ અર્થે મહિલા સમુન્નતિ સંઘની સ્થાપના કરી. ગુજરાત યુનિવર્સિટી સ્થપાઈ, તો એમાં પણ સેનેટના ને સિન્ડીકેટના સભ્ય તરીકે સેવાઓ આપી. યુ.જી.સી.ના સભ્ય તરીકે પણ તેઓ રહ્યાં હતાં.
૧૯૭૦માં સરકારે તેમને ‘પદ્મશ્રી' એવોર્ડ પણ આપેલો. ખરેખર જ એમણે તનમનધનથી સમાજ સેવાને દેશસેવામાં પોતાનું જીવન અર્પિત કર્યું. આજીવન બ્રહ્મચારિણી રહી ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત અનુસાર પોતાનું જીવન અત્યંત સાદગીપૂર્વક રાખી જનસેવામાં પોતાના ધનનો સદ્ઉપયોગ કર્યો. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલન વખતે પણ લોકોને સાચી વાત સમજાવવા બહાર નીકળી પડ્યાં હતાં. અત્યંત પ્રેમ અને સહાનુભૂતિપૂર્વક લોકો સાથેનો એમનો વર્તાવ પ્રશંસનીય હતો. આવું એક મધુર વ્યક્તિત્વ ૧૯૮૫ની ૧૧મી માર્ચે વિલીન થઈ ગયું.
Jain Education Intemational
બૃહદ્ ગુજરાત
પૂ. બાપુતા પરમમિત્ર અને સમાજ સેવક ડો. હરિપ્રસાદ દેસાઈ
અમદાવાદની મ્યુનિસિપાલિટીને કેટલાંક નામાંકિત પ્રમુખ-ઉપપ્રમુખ મળ્યા છે, તેમાંના એક ડૉ. હરિપ્રસાદ દેસાઈ. ૧૮૮૦માં જન્મેલા ડોક્ટરસાહેબ વ્યવસાયે ડોક્ટર હતા અને સાથે સાથે પતાની સેવાઓ પણ એમણે ચાલુ રાખી હતી. ૧૯૩૦માં તેઓ ૫૦ વર્ષની ઉંમરે અમદાવાદની સુધરાઈના પ્રમુખ તરીકે આવ્યા હતા ને તે પછી ચાર વાર મ્યુનિસિપાલિટીની સેનેટરી કમિટીના ચેરમેન તરીકે ૧૯૩૦ થી ૧૯૩૯ દરમ્યાન પોતાની સેવાઓ આપી હતી. આ દાયકામાં તેમણે અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા અને રોગમુક્ત કરવા ભારે પ્રયત્નો કર્યા હતા. એ પછી ૧૯૪૨માં જાન્યુઆરીથી ઓગષ્ટમાં ‘હિંદ છોડો’ આંદોલન શરૂ થયું અને ૨૧મી ઓગષ્ટે મ્યુનિસિપાલિટી પણ લડતમાં જોડાઈ, ત્યાં સુધી ડોક્ટર સાહેબ ઉપપ્રમુખપદે રહ્યા હતા. આ બધાં વર્ષો દરમ્યાન એમના પહેલા પ્રમુખ તરીકે રહી ચૂકેલા સરદાર વલ્લભભાઈ પટેલની ઉત્તમ પ્રણાલીઓને તેમણે આગળ ચલાવી હતી. ડોક્ટર સાહેબ સાદગીનો નમૂનો હતા. અત્યંત સાદગીપૂર્ણ તેમનું જીવન હતું. મ્યુનિસિપાલિટીના પ્રમુખ વગેરે ઊંચા હોદ્દાઓ ઉપર હોવા છતાં તેઓ હંમેશા પોતાની સાયકલ ઉપર જ ફરતા હતા. સાયકલ પર વચ્ચેના ડંડા પર જોડેલું એક મોટું પાકીટ રાખતા. એ જોઈને પણ દૂરથી ખ્યાલ આવી જાય કે ડોક્ટરસાહેબ ક્યાંક જઈ રહ્યા છે!
ડોક્ટરસાહેબ વ્યવસાયે ડોક્ટર હોવા છતાં અનેક વિષયોના જાણકાર હતા. અમદાવાદ એ તો સંસ્કારનગરી ને ગુજરાતનું પાટનગર. એમાં જાતજાતની ને ભાતભાતની વિવિધ વિષયોની સભાઓ મળે. આમાંની ઘણીખરી સભાઓમાં ડોક્ટર સાહેબ પ્રમુખ સ્થાને હોય અને જે તે વિષય પર પણ અત્યંત અભ્યાસપૂર્ણ અને રમૂજી શૈલીમાં પ્રવચન આપે. તેઓ અનેક વિષયોના જાણકાર હતા. તેઓ સંગીતના પણ ભારે રસિયા હતા.
રાજકારણને પણ તેઓ બરાબર સમજ્યા હતા અને સાથેસાથ ગાંધીવિચારધારાને પણ એમણે બરાબર પચાવી હતી. ૧૯૪૨ની લડત વેળા એમનાં એક વ્યાખ્યાનમાં ડોક્ટર
સાહેબ કહ્યું કે ‘‘આ બગડેલી દુનિયાને સુધારવાનો એક જ ઉપાય છે. તે એ કે દરેક માણસ એક માણસને સુધારે.’’ પછી
For Private & Personal Use Only
www.jainelibrary.org