________________
૪૮૪
આજીવન ગુરુ-અંતેવાસી
પૂજ્ય મુનિશ્રી હીરવિજયજી મહારાજ
વાગડ પ્રદેશના અનન્ય ઉપકારી આ મહાપુરુષનો જન્મ વિ.સં. ૧૯૧૩માં પલાંસવામાં થયો હતો. તેઓ ચંદુરા કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઓધવજીભાઈ તથા માતાનું નામ રૂપાબાઈ હતું. તેમનું સંસારી નામ હરદાસ હતું. આ પુણ્યશાળી આત્માએ ૨૫ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૩૮ના માગશર સુદ-૩ના પલાંસવા મુકામે પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. તેમનું નામ શ્રી હીરવિજયજી પાડી પ.પૂ. શ્રી જીતવિજયજી મ.સા.ના શિષ્ય
બનાવ્યા હતા.
પુણ્યશાળી માણસોના પ્રસંગો પણ પ્રતાપી જ હોય છે. આ સમયે વરસીદાનમાં ૫૦૦૦ કોરી અને મહોત્સવનો કુલ ખર્ચ ૮૦૦૦૦ કોરી થયો હતો.
પૂ. ગુરુ મહારાજે કચ્છ-વાગડ-ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગામોમાં વિચરી ધર્મોપદેશ વડે કેટલાય આત્માનો ઉદ્ધાર કરી, બ્રહ્મચર્યવ્રત અને સંયમના ઉચ્ચતમ માર્ગે વાળ્યા હતા. તેઓશ્રીના શુભ હસ્તે તપ, જપ, પચ્ચક્ખાણ, તપસ્યાઓ, પૂજાઓ અને જૈન શાસનની પ્રભાવનાં અનેકાનેક શુભ કાર્યો થયાં હતાં.
શ્રી બુદ્ધિવિજયજી, શ્રી કનકસૂરિ તથા શ્રી તિલકવિજયજી તેમના શિષ્યો હતા. આમ દરેક સ્થળની ભૂમિને પાવન કરીને અનેક ભવ્યાત્માઓનો ઉદ્ધાર કરીને શારીરિક શક્તિ ક્ષીણ થઈ જવાથી અંતે પોતાની જન્મભૂમિ પલાંસવામાં સ્થિરતા કરી. વિ.સં. ૧૯૮૬નું અંતિમ ચાતુર્માસ પલાંસવા કર્યું અને આસો વદ-૧૧ના રોજ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગે સિધાવી ગયા.
તેમના સ્વર્ગવાસથી વાગડના જૈન સમાજને મોટી ખોટ પડી! વાગડભૂમિના અનન્ય ઉપકારી પૂજ્યશ્રીના ચરણકમળમાં હાર્દિક વંદના.
સૌજન્ય : વાગડ સમુદાયના પૂ.આ.શ્રી કલાપ્રભસૂરિજીમ.ના આજ્ઞાવર્તિ સ્વ.સા.શ્રી સુલસાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા. શ્રી
શિલરત્નાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રુતપૂર્ણાશ્રીજી મ.ના વર્ષીતપની અનુમોદનાર્થે પૂ.સા.શ્રી શક્તિપૂર્ણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રીમતી પરમાબેન સુરજીભાઈ સાંગણ પરિવાર મનફરા (કચ્છ-વાગડ) તરફથી
Jain Education International
વિશ્વ અજાયબી :
જૈન દેરાસરજી, લાકડીઆ (કચ્છ) વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ
વિ.સં. ૧૯૩૯, ભાદરવા વદ-૫ના પુણ્ય દિવસે પલાંસવા (કચ્છ-વાગડ)માં એક જ્યોત પ્રગટી, જેના પ્રકાશથી સમસ્ત વાગડ પ્રદેશ પ્રકાશિત થઈ ઊઠ્યો. એ જ્યોતિ ‘કનકસૂરિજી મહારાજ તરીકે પ્રખ્યાત થઈ. માતા : નવલબહેન, પિતા : નાનચંદભાઈ, ગૃહસ્થી નામઃ કાનજીભાઈ હતું.
નાનપણથી જ વૈરાગ્ય-વાસિત આ આત્મા વિરાગીની સાથે બુદ્ધિશાળી પણ હતા. એમની ઉત્કટ બુદ્ધિને જોઈને પલાંસવાના ઠાકોર તેમને બેરિસ્ટર બનાવવા ઇંગ્લેન્ડ મોકલવા તૈયાર થયા, પણ જે ધર્મનાયક બનવાના હોય તેમને બેરિસ્ટર
For Private & Personal Use Only
www.jainelibrary.org