________________
૪૧૭
જૈન શ્રમણ આત્માઓએ પૂજ્યશ્રી પાસે પોતાનાં કાળાંમાં કાળાં પાપોની આલોચના બિલકુલ સહજભાવે કરી છે. એની પાછળ મુખ્ય ત્રણ કારણ છે.
(૧) પહેલું કારણ છે પૂજ્યશ્રીની ગંભીરતા. પૂજ્યશ્રી ગંભીરતાના મહાસાગર છે. આ મહાપુરુષની ગંભીરતા આગળ સો સો મહાસાગરો પણ ઝાંખા પડે તેમ છે. ગમે તેવી ગંભીર આલોચના પૂજ્યશ્રીની પાસે અત્યંત સરળતાથી થઈ શકે છે, કારણ કે કોઈ વાંચી જશે. કોઈ સાંભળી જશે આવો ભય કોઈને હોતો નથી, વળી આ વિષયમાં પૂજ્યશ્રી અત્યંત કાળજી ધરાવનારા છે. અનેક જવાબદારીઓ વચ્ચે બેઠા હોવા છતાં પણ સાધુઓની આલોચના સાંભળવાનું, પ્રાયશ્ચિત્ત આપવાનું તેમ જ તે અંગેના પત્રવ્યવહારનું કામ પૂજ્યશ્રી સ્વયમેવ કરતા હોય છે.
(૨) વર્તમાન કાળમાં પૂજ્યશ્રી છેદગ્રંથના વિશિષ્ટ જ્ઞાતા છે. આથી જ સામા જીવોની ભાવના, શક્તિ વગેરે જોઈને એને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે, એટલું જ નહીં, જે પાપ જીવનમાં સહજ બની ગયાં હોય તેમાંથી કાયમ માટે કઈ રીતે છૂટાય તેની ચાવીઓ પણ બતાવતા હોય છે.
(૩) સામી વ્યક્તિની નેગેટિવસાઇડ જાણ્યા પછી પણ એના પ્રત્યે પોતાના હૃદયમાં એકસરખો પ્રેમભાવ, વાત્સલ્યભાવ ધારણ કરવો એ જેવીતેવી બાબત નથી. પૂજ્યશ્રી આ કળામાં પારંગત છે અને એટલા માટે જ પૂજ્યશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લેતાં કોઈને હિચકિચાટ નથી થતો. .
૫. બ્રહ્મનિષ્ઠતા : પૂજ્યશ્રી પાંચ મહાવ્રતોના પાલનમાં સૂમ કાળજી ધરાવે છે. એમાં પણ બ્રહ્મચર્યવ્રતના પાલનમાં અત્યંત નિષ્ઠાવાન છે. વિજાતીય સ્ત્રી કે સાધ્વીની સાથે ક્યારેય દૃષ્ટિ મિલાવીને વાત કરતાં તેઓશ્રીને જોયા નથી. બને ત્યાં સુધી તો વાત કરવાનું જ ટાળે. અત્યાવશ્યક કાર્યાર્થે વાત કરવી જ પડે તો મોં અન્ય દિશા તરફ વાળીને જ વાત કરવાનો આગ્રહ રાખતા હોય છે.
ફોટાઓના આલબમ, વર્તમાનપત્રો અને તેની પૂર્તિઓને ક્યારેય હાથમાં લેતા નથી. આ બધાં સાધનો આપણા વ્રત માટે જોખમી છે, એવું તેઓશ્રીનું દૃઢપણે માનવું છે.
આજના વિષમકાળમાં આવા ભીખવ્રતનું અણીશુદ્ધપણે પાલન કરનારા એ ગુરુદેવનાં ચરણોમાં કોટિ કોટિ વંદના.
સૌજન્ય : પરપ્રભ ભગવાન જૈન દેરાસર પેઢી, ૬૮, નવી ચાલ ભીવંડી (મહારાષ્ટ્ર) તરફથી
ગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય
હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. ભારતવર્ષની આર્ય સંસ્કૃતિથી સોહામણી આંધ્રપ્રદેશની અલબેલી રાજધાની હૈદરાબાદ જેવી હરિયાળી ભૂમિમાં વસતા શ્રી નરસિંહ સ્વામીના કુળમાં, ધર્મપત્ની શ્રી લક્ષ્મીબાઈની પવિત્ર કુક્ષિમાંથી એક તેજસ્વી બાળરત્ન પ્રગટ થયું. વિ.સં. ૧૯૯૦, કા.વ. ૯, તા. ૩૦-૧૧-૧૯૩૪ની પવિત્ર રાત્રિએ પ્રગટેલા તેજ સિતારાનું ભવિષ્ય બેનમૂન અજોડ હશે જ અને આજનો પ્રગટેલો સિતારો વીરશાસનનો ઝળહળતો તેજ સિતારો બનશે એવા સંકેતથી જ જાણે કુદરતી તેનું નામ પણ બનશ એવા સક વીરાસ્વામી’ રાખવામાં આવ્યું!
બાલ્યવયથી જ શૂર-તેજસ્વી, વીરાસ્વામી, બ્રાહ્મણ છતાં ઉચ્ચ સંસ્કારી, ધર્મમય વાતાવરણમાં ઉછેર થયો અને વળી સૌભાગ્યની કેવી લીલા! ૧૨ વર્ષની બાલ્યવયે ગુજરાત તરફ અચાનક જ આવવાનો એવો સુઅવસર પ્રાપ્ત થયો છે જેમ કોઈ રાજા બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે, પછી વિજયની વરમાળા પહેરીને જ પાછો ફરે ! પ.પૂ.પં. ચંદ્રવિજયજી મ.સા. પૂ.પૂ. મુનિરાજ પ્રભાવવિજયજી મ.સાના સમાગમમાં રહેતા દીક્ષાનો ભાવ વધુ પ્રગટતા સં. ૨૦૦૭ના કારતક વદ-૮ના શુભ દિને અમદાવાદ સ્થિત કીકાભટ્ટની પોળમાં દીક્ષા ગ્રહણ કરી અને પ.પૂ. મુનિપ્રવર પ્રભાવવિજયજી મ.સા.ના શિષ્ય તરીકે જાહેર થયા. પૂ. આચાર્યશ્રી લાભસૂરિ મ.સા., પૂ. પંન્યાસ ચંદ્રવિજયજી મ.સા. તથા ત્રિપુટી મ.સા.ની શુભ નિશ્રામાં વીરાસ્વામીમાંથી મુનિ હેમપ્રભવિજયજી મ.સા બન્યા.
વિ.સં. ૨૦૨૦માં ખંભાત ચાતુર્માસ દરમ્યાન પૂ. દાદા ગુરુદેવશ્રી ચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના અંતરના આશીર્વાદ અને પૂ. ગુરુદેવશ્રી પ્રવિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રભાવશાળી પ્રેરણાથી નિત્ય, પ્રવચનનો પ્રારંભ થયો! માતૃભાષા તેલુગુ હોવા છતાં પૂ. બન્ને ગુરુદેવોની આશીષ અને અસ્મલિત ધારાએ વહેતી કૃપાવર્ષાથી પૂજ્યશ્રીએ કાવ્યમય અનોખી વિશિષ્ટ છતાં સરળ શૈલીમાં વ્યાખ્યાન દ્વારા ભાવિકોને ભીંજવ્યાં.
પૂજ્યશ્રીનાં ચરણે ૨૦-૨૫ મુમુક્ષુ આત્માઓએ સંપૂર્ણ જીવન સમર્પિત કરી શિષ્યત્વ અપનાવ્યું છે અને પૂજ્યશ્રીના વરદ હસ્તે સ્વ-પર અનેક સમુદાયો-ગચ્છોમાં સેંકડો દીક્ષાઓ થઈ છે.
ગુજરાત-મહારાષ્ટ્ર, કર્ણાટક - આંધ્ર - તામિલનાડુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org