SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિવિધ લેખકોએ વિવિધ ભક્તિભાવથી અને તે તે વિષયના અધ્યયનથી તૈયાર કરેલાં લખાણો દ્વારા પદ્માવતીજીના પ્રભાવશાળી વ્યક્તિત્વને ઉપસાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. પ્રભુ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્તરી” એ ઉક્તિ અનુસાર પ્રભુ પાર્શ્વનાથની અધિષ્ઠાયિકા પદ્માવતીદેવીના અષ્ટોત્તરશતનામનો મહિમા ક્યા નામથી ગાવો અને વર્ણવવો તેની ચર્ચા આમેજ છે. ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર' (પર્વ-૯, સર્ગ-૩) માં પદ્માવતીદેવીનું આ પ્રકારનું વર્ણન છેઃ કુર્કટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, બે દક્ષિણ ભુજાઓમાં પદ્મ અને પાશ તથા રામ ભુજાઓમાં ફળ અને અંકુશ ધારણ કરનારી પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી થઈ. * ‘પદ્માવતીકલ્પમાં આ દેવીનું વર્ણન આ પ્રકારનું છે : પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતીના ચાર હાથમાં કમળ, પાશ,અંકુશ અને ફળ ધારણ કરેલાં છે. તેને કુકડા અને સર્પનું વાહન છે. માથે ત્રણ કે પાંચ ફણાં છે. તે ત્રણ નેત્રવાળી છે. રાતા પુષ્પના વર્ણવાળી એવી પદ્માવતી અમારું રક્ષણ કરો. ‘પદ્માવતી દંડક'માં આથી વિભિન્ન વર્ણન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાદસેવિકા દેવી મનુષ્યના ભવના ભય હરનારી છે. જમણી તરફ દક્ષિણે નાગદેવ ભવજલનું તારણ કરનાર અને ભયરહિત કરનાર છે. ડાબી તરફ ગણ રક્ષા કરનાર અને દૈત્ય-દાનવોનો નાશ કરનારા છે. હંસ ઉપર બેઠેલી આ દેવી ત્રણ લોકને મોહિત કરનારી છે. આ ત્રણ સાહિત્યિક ઉલ્લેખોના આધારે શ્રી પદ્માવતીદેવીની વિગતો આ પ્રમાણે વર્ણવી શકાય : ૧. પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી (પાદસેવિકા, યક્ષિણી). ૨. કૂકડા અને સર્પ (અથવા હંસ)ના વાહનવાળી/પદ્માસના. ૩. સુવર્ણ અથવા રાતા પુષ્પ જેવા વર્ષને ધારણ કરનારી. ૪. ચતુર્ભુજ : બંને ડાબા હાથો (વામ ભુજાઓ)માં ફળ (બીજો) અને અંકુશ છે અને બંને જમણા હાથો(દક્ષિણ ભુજાઓ)માં પદ્મ અને પાશ ધરનારી. ૫. માથે ત્રણ અથવા પાંચ ફણાઓ યુક્ત સર્પાકૃતિ. ૬. તે ત્રિનેત્રી છે. ત્રણ લોકને મોહિત કરનારી તથા શિવની જેમ સૌમ્ય રૂપથી વિશ્વનું કલ્યાણ કરનારી. જૈનોની આવિખ્યાત દેવી શ્રી પદ્માવતીના રાજરાજેશ્વરી સ્વરૂપનું વિવિધ લખાણો મારફતે આલ્હાદક ચિત્રણ વિભાગ એકમાં થયેલું છે, જેમાં પદ્માવતીજી દેવીને મહાલક્ષ્મીના સ્વરૂપે, ભુવનેશ્વરીના સ્વરૂપે, વિદ્યારૂપે, ગાયત્રી અને સાવિત્રી તરીકે, જૈન દેવી સૃષ્ટિમાં અધિષ્ઠાત્રી તરીકે, લક્ષ્મીજી સ્વરૂપે, કુંડલિની શક્તિ તરીકે તથા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિકએવાં ત્રિરૂપ તરીકે વર્ણવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, એમનાંદિવ્યધામો, એમની ઉપાસનાવિશે, ધરણેન્દ્ર સાથેના સંબંધો વિશે, પાર્શ્વનાથ પ્રભુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy