________________
૭૮
શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
ઉપાસનાનું મહત્ત્વ ધ્યાનાહ ગણાય. વિવિધ ધર્મ-સંપ્રદાયોમાં દેવી-ઉપાસના વિવિધ નામે થતી રહેતી હોય છે. એટલે કે, “નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે' એ પંક્તિ દેવી-ઉપાસનાના સંદર્ભમાં વિચારણીય છે. સર્વદેવ ના દેશવં પ્રતિ તિા જેમ બધી નદીઓ અંતે સમુદ્રને મળે છે તેમ, અંતે તો કોઈપણ નામે થતી દેવી-ઉપાસના છેવટે તો મહાશક્તિની-અદૃશ્ય દેવીશક્તિની-માતૃત્વની ઉપાસનામાં જ પરિણમે છે. સમગ્ર ભારતમાં આ રીતે યુગે યુગે શક્તિ-ઉપાસના થતી રહી છે અને શક્તિપીઠોનાં નિર્માણ થતાં રહ્યાં છે. ફેર એટલો જ કે ધર્મ ધ કે સંપ્રદાય સંપ્રદાયે ઉપાસના-પદ્ધતિમાં ઓછા-વત્તો ફેર જોવા મળે છે; બાકી મંત્રાદિમાં તો ઝાઝો ફેર જોવા મળતો નથી.
દેવી-ઉપાસના કે શક્તિ-ઉપાસના સાથે મંત્ર, યંત્ર અને તંત્રનાં ત્રિપરિમાણી વિધિવિધાન પણ વત્તે ઓછે અંશે સંળાયેલાં હોય છે. આ સાથે કલાની વિભાવના પણ અનુયૂત છે અને તેથી કલાવિકાસના ભાગરૂપ માતૃદેવીનો ખ્યાલ પણ જોડાયેલો છે.
તંત્રએ મોક્ષપ્રાપ્તિ માટેની ક્રિયાનું એક અંગ છે, અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો એ એક પ્રકારની મુક્તિવિધિ છે. પદ્માવતી દેવીની ઉપાસના પણ આવી મુક્તિવિધિના સંદર્ભમાં થતી હોવાનું તથા આધ્યાત્મિક અને ભૌતિક સિદ્ધિના પ્રદાત્રી તરીકે પ્રતિષ્ઠિત હોઈ તેઓ સકલ સિદ્ધિદાત્રિ હોવાનું આપણે જાણીએ છીએ.
તંત્રવિધિ પૂજાની ભાવનામાંથી વિકસી છે અને ભારતમાં બધી ધાર્મિક વિધિઓમાં પૂજાની બુનિયાદ સ્વીકારાઈ છે. પૂજામાં અર્બનું મહત્ત્વ છે. અર્થમાં મૂળ વિચાર અર્પણનો-સમપર્ણનો-યજ્ઞનો છે, જે માટે માધ્યમ (એટલે કે પદાર્થ એટલે કે મૂર્તિ-યંત્ર) જરૂરી બને છે. યજ્ઞ એ યોગ છે અને તે ક્ષેમનું માધ્યમ છે. અર્થાત્ જે નથી તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા તે યોગ છે અને જે પ્રાપ્ત થયેલું છે તેનું રક્ષણ કરવું તે ક્ષેમ છે અને તેથી તો યોગક્ષેમ'ની પરંપરા ભારતીય સંસ્કૃતિનું હાર્દ છે અને પરિણામે પ્રત્યેક ભારતીય ધર્મ કે સંપ્રદાયમાં યોગક્ષેમની ભાવના નિહિત છે.
આપણે જોયું કે યજ્ઞ માટે માધ્યમ જરૂરી છે અને તંત્ર-ઉપાસનામાં તે માધ્યમ મૂર્તિરૂપ-પ્રતિમારૂપ છે. આમ, ઈશ્વરની અલૌકિક શક્તિની-અદૃશ્ય તત્ત્વની સંનિધિ પ્રાપ્ત કરવા સારુ મૂર્તિ એ પૂજાનું માધ્યમ છે. આમ, પૂજા માટે ભારતીય ધર્મના વિવિધ પ્રવાહો એક યા બીજી રીતે કોઈ ને કોઈ સ્વરૂપ-આકારપ્રકારની મૂર્તિનો ઉપયોગ કરે છે. પદ્માવતીદેવીની મૂર્તિનું નિર્માણ પણ આ વિભાવના હેઠળ થયેલું છે.
તંત્રમાં શ્રદ્ધાનું મહત્ત્વ છે અને શ્રદ્ધા માટે પદાર્થની જરૂર છે; તેથી સંભાળ અને સંતોષની આવશ્યક્તા રહે છે. ઉપનિષદોમાં આ અંગે નિર્દેશ છે. પદ્માવતીદેવીની ભક્તિમાં પણ આપણે આ બાબત જોઈએ છીએ.
તંત્રમાં મંત્ર અનિવાર્ય છે. મંત્રનો સતત જાપ જરૂરી છે. જાપ બોલીને કે મૌન ધારા (માનસી) રટી શકાય છે. પરમાત્માની પરમ ચેતનાને પોતાની સન્મુખ લાવવાની પ્રક્રિયા તે જાપ. આથી આધ્યાત્મિક ઉન્નત્તિ અને ચિત્તની શાંતિ માટે જીવનમાં જાપની આવશ્યકતા છે. આધ્યાત્મિક વિજ્ઞાનમાં સર્વમાન્ય અને સુપરિચિત જપ સાધના છે. આમ, તંત્ર અને મંત્ર પરસ્પરના સહયોગી છે. એકબીજા વિના અધૂરાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org