________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
છે. આમ, તંત્ર, મંત્ર અને યંત્ર એ દેવીની કે શક્તિની ઉપાસનામાં મહત્ત્વનાં અંગ છે. જૈન ધર્મમાં પણ મંત્ર-જાપ પ્રચલિત છે.
આરાધ્ય દેવતાનું કરોડવખત સ્ત્રોત્ર-પાઠ કરો અને માત્ર એક જ વખત તેના મંત્રની માળા ગણો - બંનેનું ફળ તો સરખું જ એમ સંત-મહાત્માઓ કહે છે. મંત્રજાપના આવા પ્રભાવથી અને મહિમાથી આરાધકો પૂરા માહિતગાર થાય અને શ્રદ્ધા સંપન્ન થાય અને પૂરા ઉત્સાહ ઉમંગ ઉલ્લાસથી મંત્રની આરાધનામાં જોડાય એવું શ્રદ્ધાળુઓ કહેતા હોય છે. આથી જ મહાત્માઓ અને પરમાત્માઓના નામરૂપ મંત્રોનું સ્મરણ, જપન અને આલંબન ભવસાગર તરવા માટે રામબાણ ઉપાય છે.
૭૯
આ વિભાવનાના સંદર્ભમાં આપણે જૈન ધર્મમાં પ્રચલિત શક્તિ-ઉપાસનાને જોવી જોઈએ; ખાસ કરીને તીર્થંકરોની માતા, તે તે તીર્થંકરની શાસનદેવી અને વિદ્યાદેવીની પ્રતિષ્ઠા અને ઉપાસના પણ થતી રહે છે. બૌદ્ધધર્મમાં પણ શક્તિ-ઉપાસનાનો મહિમા છે અને તારાદેવીની ઉપાસના થાય છે. વૈદિક પરંપરામાં મહાકાલી, મહાસરસ્વતી, મહાલક્ષ્મીની પૂજા આદ્યશક્તિ તરીકે થતી આવી છે.
આ રીતે ભારતના પ્રત્યેક ધર્મ-સંપ્રદાયમાં શક્તિ-ઉપાસનાનું મહત્ત્વ સ્વીકારાયું છે અને તેમાં પણ ‘નામ રૂપ જૂજવાં’નો સિદ્ધાંત કામ કરે છે. સમયે સમયે અને સંપ્રદાયે સંપ્રદાયે વિધિવિધાનમાં યથોચિત અને સમયોચિત ફેરફારો તો થતા રહેવાના અને તેતોવિકાસનું પરિણામ છે. શક્તિ-ઉપાસનાની પદ્ધતિમાં અને પદાર્થ પૂજામાં તફાવત રહેવાનો. મંત્ર-તંત્ર-યંત્રમાં પણ બાહ્ય દૃષ્ટિએ જે તે સંપ્રદાયની જરૂરિયાત મુજબ કે શક્તિના વ્યક્તિત્વ અનુસાર થોડા ફેરફાર જોવા મળે તે તદ્દન સ્વાભાવિક છે. પણ શક્તિઉપાસનાની બુનિયાદ તો આરંભમાં વર્ણવી છે તે જ રહેવાની.
જૈનધર્મમાં પણ પદ્માવતીદેવીની ઉપાસનાના મૂળમાં વૈચારિક ભૂમિકા કે તાત્ત્વિક દર્શન તો બ્રાહ્મણધર્મમાં કે વૈદિક ધર્મમાં છેતેજોવા મળશે. માત્ર આચારક્ષેત્રે અને વિધિવિધાન બાબતે તફાવત જોવા મળે છે. પદ્માવતીદેવીની ઐતિહાસિકતા વિશે હજી ખાસ અન્વેષણ થયું નથી, જે અપેક્ષિત છે. પણ જૈન પરંપરા અનુસાર તે અતિ લોકપ્રિય શાસનદેવી તરીકે ગણાયાં છે. પદ્માવતીજી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુનાં શાસનદેવી છે. આ દૃષ્ટિએ આજથી આશરે ત્રણેક હજાર વર્ષ પૂર્વે શ્રી પદ્માવતીજીનો કાર્યસમય સૂચવી શકાય.
પદ્માવતી દેવીની જે પ્રતિમા આપણે જોઈએ છીએ, તેમાં તે દેવી પદ્માસના તરીકે દર્શાવાઈ છે. મહાલક્ષ્મી, ગાયત્રી, વૈભવલક્ષ્મી, સરસ્વતી વગેરે દેવીઓ પણ પદ્માસના છે. આથી એવું સમજાય છે કે દેવ-દેવીના આસન તરીકે પદ્મ પવિત્ર મનાયું છે. કમળનું ફૂલ પોતે પ્રતીકાત્મક છે અને તે ત્રણેય ભુવનનું પ્રતિનિધિત્વ સૂચવે છે. આ કારણે આસન તરીકે પદ્મનું મહત્ત્વ સ્વીકારાયું છે. આ દૃષ્ટિએ પદ્માસના પદ્માવતીને આપણે અવલોકવાં જોઈએ. એ ચતુર્ભુજા છે. સામાન્ય રીતે દેવ-દેવીઓને મનુષ્યેતર દર્શાવવા સારુ એમને મહદંશે ચતર્ભુજા કે અષ્ટભુજા તરીકે અભિવ્યકત કરાયાં છે. દેવદેવીઓના હાથમાં કોઈ ને કોઈ આયુધ કે અન્ય સામગ્રી ધારણ કરેલી જોવા મળે છે. ઉપરાંત તેમના એકાદ-બે હાથ કોઈ ને કોઈ મુદ્રાયુક્ત હોય છે. પદ્માવતીદેવીના ચારમાંથી ત્રણ હાથોમાં પાશ, અંકુશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org