________________
દેવી પદ્માવતી : અપૂર્વ આકર ગ્રંથ)
– ડૉ. રસેશ ચ. જમીનદાર
જૈનાગમોમાં શાસનનું રક્ષણ કરનારી, અવધિજ્ઞાનના લોચનવાળી, પરમસિદ્ધિઓના પ્રદાતા ત્રેવીસમા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનની જાગૃત અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીનાં અનેક રહસ્યોથી જ્ઞાનસમૃદ્ધ આ ગ્રંથમણિ અત્રે પ્રસ્તુત છે. જૈનધર્મમાં પદ્માવતી એ વ્યક્તિગત નામ નથી, એ એક પદ છે. ત્રેવીસમા તીર્થંકરનાં જે પણ શાસનદેવી હોય છે તેને પદ્માવતી કહેવાય છે. માટે અત્યારે પદ્માવતીનું પદ ભોગવી રહેલ છે તે આત્મા ત્યાં તે પદ્માવતી પદ પર ક્યારે આવ્યો તેનો રસપ્રદ ઇતિહાસ મેળવવો અને જાણવો જ જોઈએ. ભારતીય ભૂમિમાં ઉદ્ભવેલા-વિકસેલા અનેક ધર્મોમાં માતૃશક્તિની પરમ ઉપાસના તથા શક્તિસાધનાના વિવિધ સંદર્ભોનું નિરૂપણ કરતા આ આકર ગ્રંથની પ્રાસ્તાવિક નોંધ રજૂ કરનાર ડૉ. રમેશભાઈ ચ. જમીનદાર ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રખર જ્ઞાતા છે, અને ગૂજરાત વિધાપીઠમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ છે. ગુજરાત અને ભારતની અનેક યુનિવર્સિટીઓમાં વર્ષોથી મહત્ત્વપૂર્ણ સેવા આપી રહ્યા છે.
સંપાદક
-
જીવનનો પ્રાદુર્ભાવ પાણી દ્વારા શક્ય બને છે. તેમાં પાણી એ જીવનનો મુખ્ય સ્રોત છે. ભારતમાં પાણીને સર્જનપ્રક્રિયાની બુનિયાદ ગણવામાં આવે છે. તેથી પાણી એ માતૃત્વનું મૂળ પ્રતીક ગણાય છે. આથી આપણે નદીને લોકમાતા કહીંએ છીએ. ભારતીય સંસ્કારોમાં માતા સર્વસ્વ છે. આથી આપણે માતૃદેવો ભવ, એમ કહીએ છીએ. આમ, ભારતની સાંસ્કૃતિક તથા સાંસ્કારિક પરંપરામાં માતાની ભાવના સર્વશ્રેષ્ઠ અને ઉમદા ગણાય છે. માતા એ પ્રેમની મૂર્તિ માટે પ્રાકૃતિક વિભાવના છે. આચાર્ય શંકરના મતે કુપુત્ર જન્મી શકે છે, પણ કુમાતા નહીં. આ છે ભારતીય સંસ્કૃતિમાં માતાનું મહત્ત્વ. આમ માનવજીવનમાં સૌથી પ્રિય શબ્દ ‘મા’ છે. તેની શક્તિ અદ્વિતીય છે. જૈનધર્મમાં પણ માતા પદ્માવતીના શબ્દોચ્ચારથી અને ભક્તિ તથા દર્શનથી ભક્તો ધન્યતા અનુભવે છે - એવું આ ગ્રંથના વાચનથી સૂચવાય છે.
માતાને જ્યારે આપણી પરંપરામાં આપણે સર્વસ્વ ગણીએ છીએ ત્યારે તેને આપણે સાક્ષાત મૂર્તિમંત શક્તિ તરીકે સ્વીકારીએ છીએ, તેની દયાથી સમષ્ટિને ટકાવીએ છીએ. આ શક્તિ કેવળ સમૃદ્ધિ, નસીબ કે સૌભાગ્યની દેવી છે એવું નથી, પણ તે સમષ્ટિનું સર્વ-તત્ત્વ-સ્રોત છે. આ દૃષ્ટિએ ભારતની સાંસ્કૃતિક પરંપરામાં શક્તિની ઉપાસના કે દેવીની ઉપાસનાનું મહત્ત્વ સાર્વત્રિક છે; પછી તે કોઈપણ ભારતીય ધર્મ કે સંપ્રદાય હોય. આ સંદર્ભમાં જૈન ધર્મની વિખ્યાત શ્રી પદ્માવતી દેવીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org