________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા]
(૧) પદ્માસન શા માટે કરવું જોઈએ? ત્યારે એક વાત એવી જાણવા મળે છે કે આપણા શરીરના
પાછલા ભાગમાં ત્રણ નાડીઓ છેઃ ઈડા, પિંગલા અને સુષુમ્ના. તેમાં ધ્યાન એકાગ્રતા માટે સુષુમ્ના નાડીને જાગૃત કરવી પડે છે. સુષુમ્ના નાડીને જ્યારે તમારે જાગૃત કરવી હોય તો પદ્માસન કરો. એટલે બે નાડી વચ્ચેની સુષુમ્નાનો પ્રવાહ ચાલુ થઈ જશે. પ્રવાહએટલે વાયુ સહ ઊર્જા. સુષુમ્ના નાડીને જાગૃત કરવાની એટલા માટે કે તે નાડીથી મન એકાગ્ર થાય છે. સુષુમ્નાનો સંબંધ સહસ્રાર કમલ સાથે છે. સહસ્રાર સાથે જોડાણ થાય એટલે સાધકને
આત્મસાક્ષાત્કાર થવા પામે છે. (૨) કેટલેક ઠેકાણે જમણો પગ ઉપર રાખીને ડાબો પગ લાંબો રાખે છે. આવી પણ મૂર્તિઓ
બની છે. વાલ્વેશ્વર જાવ ત્યારે માતાજીના ચાર હાથની આંગળીઓ જોજો. ફોટામાં જોજો. કલાકાર પાસે મેં કલાત્મક સૌંદર્ય દેખાય અને કલાનું દર્શન થાય તેવી આંગળીઓની નાજુક રચના કરાવરાવી છે. ચારે હાથના વળાંક જોજો. તેમાં પણ હાથના વળાંકની વાસ્તવિકતા જળવાય તેનો ખ્યાલ રાખ્યો છે. ઘણે ઠેકાણે ચાર હાથ કરવાના હોય ત્યારે કારીગર બે હાથ ગમે ત્યાંથી જોડી દે છે.
માતાજીનું મસ્તક મુગટ સાથે જ બનાવી દીધું એટલે માતાજીને મુગટ પહેરાવાય કે ન પહેરાવાય તો પણ અશોભનીય ન લાગે. તેમના વાળમાં, અંબોડામાં, ભામંડલમાં સુંદરતા અને કલાત્મકતાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. સૌથી શ્રેષ્ઠ કક્ષાનું તો માતાજીનું મુખારવિંદ કરાવવામાં આવ્યું છે. આ બધાંના કારણે માતાજીની મૂર્તિ અત્યંત સુંદર, નમણી, નાજુક, મનભાવન, આંખમાં વસી જાય તેવી, લોકોના શબ્દોમાં કહીએ તો માતાજીની પાસેથી ખસવાનું મન ન થાય એવી બની ગઈ. હવે રહી પરિકરની વાત -
દેવીની મૂર્તિ પાછળ પરિકર હોવું જ જોઈએ એવો નિયમ નથી. દેવીની મૂર્તિઓ મોટે ભાગે પરિકર, વિનાની હોય છે. બહુ જૂજ મૂર્તિઓ સામાન્ય પરિકરવાળી જોવા મળે છે. મને પોતાને થયું કે વાલેશ્વર માતાજીની મૂર્તિમાં ભવ્યતા આવે, મૂર્તિસુંદર-આકર્ષક બને એ માટે પરિકર કરાવવું અને એ માટે મેં જુદીજુદી જાતના પરિકરના ફોટાઓનું અવલોકન, ચિંતન-મનન કરીને દેવીની સાથે સુમેળ ખાય એ રીતનું પરિકર શોભાસ્પદ બને એ માટે મેં નવું સંકલન કરીને પરિકરની ડિઝાઇન આર્ટિસ્ટને મારી પાસે બેસાડીને કરાવરાવી. મુંબઈ-વાલ્લેશ્વરની મૂર્તિના પરિકરમાં શું શું મુકાવ્યું છે ?
સામાન્ય રીતે દેવીની મૂર્તિ ઉપર જે ભગવાનની દેવી હોય તે ભગવાનની મૂર્તિ બેસાડવી જ જોઈએ એવો નિયમ નથી. ભગવાનની મૂર્તિ બેસાડવાની અનુકૂળતા પદ્માવતીની મૂર્તિમાં જેવી હોય છે તેવી બીજી મૂર્તિમાં હોતી નથી. કેમકે પદ્માવતીના માથે ફણા છે એટલે મૂર્તિને બેસાડવાની ભૂમિકા બરાબર મળે છે. એમાં જ્યારે પરિકર હોય ત્યારે તો પૂરતી અનુકૂળતા મળી રહે છે. જુદાં જુદાં તીર્થધામોનાં તથા કેટલાંક મ્યુઝિયમોનાં ખંડિત-અખંડિત પરિકરોના ફોટાઓ જોયા બાદ આ પરિકરનું આયોજન કરવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org