________________
૭૨
શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
સામાન્ય રીતે દેવીની મૂર્તિમાં સામાન્ય કક્ષાનાં પરિકરોમાં માથે ભગવાન શ્રી પાર્શ્વનાથ અને દેવીના હાથની બંને બાજુ ચામરઘારી દેવી-દેવીઓ – લગભગ આટલું જ હોય છે.
વાલકેશ્વરની મૂર્તિ ઘણી મોટી હતી. પરિકર મોટું થવાનું હતું એટલે જગ્યા ઘણી હોવાથી બહુ ધ્યાનપૂર્વક અને સમજપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, એટલે ઉપર-માથે ભગવાન પાર્શ્વનાથ મૂકવા માટે સુંદર ગોખલો બનાવ્યો. તેની બંને બાજુ ચામરધારી દેવો. તે પછી ભગવાનને હાર પહેરાવવા જઈ રહેલા હોય એવા બે દેવો બતાવ્યા. પરિકરની વચલી કમાનની વાત થઈ. તે પછી બંને બાજુની ઊભી થાંભલીમાં શું મુકાવ્યું છે તે જોઈએ.
થંભીની ટોચ ઉપર (બંને બાજુએ) ગોખલા છે તેમાં આપણી ડાબી બાજુએ વાંસળીવાદક દેવ છે અને આપણી જમણી બાજુએ વીણાધારીદેવછે. તે બંને ગોખલાઓની નીચે અને માતાજીના મુખાકૃતિની સમાંતર હરોળમાં આપણી ડાબી બાજુના ગોખલામાં પંચફણાધારી ધરણેન્દ્રમુકાવ્યા છે. તેની નીચે તેમનું હાથીનું વાહન પ્રતીકરૂપે મૂક્યું છે. એમની જમણી બાજુના ગોખલામાં ધરણેન્દ્રની બીજી પત્ની વેરો જણાવી છે. તે ત્રણ ફણાધારી છે. તેમનું આસન સર્પનું છે. તેની નીચે વરસોથી ચાલી આવતી પ્રથાનુસાર ચામરધારી દેવીઓ મુકાવી છે. તેની ઠેઠ નીચે શિલ્પ અને શાસ્ત્રના નિયમ મુજબ બંને બાજુએ મૂર્તિ ભરાવનારની આકૃત્તિઓ મૂકવાની પ્રથા છે પરંતુ ભરાવનાર પુણ્યવાન આત્માઓની ઇચ્છા ન હોવાથી છેવટે મંગલરૂપે કળશો મુકાવવા પડ્યા છે. અભૂતપૂર્વ, અજોડ, સુંદર પરિકરનો પરિચય
પ્રશ્ન થાય છે કે ધરણેન્દ્ર અને વૈરોટ્ય કેમ મુકાવ્યાં? તેનો જવાબ એ છે કે પરિકરમાં ખાલી જગ્યા ઘણી રહેતી હતી અને એ જગ્યા સાર્થક રીતે પૂર્ણ થાય તો સારું એ ખ્યાલથી એક નવો વિચાર સ્કૂર્યો. સેંકડો વરસોથી હજારો સાધુ-સાધ્વીજીઓ અને લાખો શ્રાવક-શ્રાવિકાઓ દરેક મહિનાની સુદી-વદી તેરસે સાંજના માંગલિક શબ્દથી ઓળખાતું દેવસી પ્રતિક્રમણ (એક ધર્મક્રિયા) કરે છે. તેના પ્રારંભમાં નિશ્ચિત પણ સંઘે નક્કી કરેલું સંસ્કૃત ભાષાનું પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન બોલાય છે અને એ જ શ્લોકનું પદ્માવતીજીની સપરિકર મૂર્તિમાં અવતરણ કરવું કેમ કે આ શ્લોક બધી રીતે સુયોગ્ય હતો. એ ચૈત્યવંદનની પહેલી ગાથા આ પ્રમાણે છે :
ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતા
હીં ધરણેન્દ્ર વૈરોટ્યા, પદ્માદેવી યુતાયતે II રચનાકાર કવિ પ્રથમ ભગવાન પાર્શ્વનાથને નમસ્કાર કરે છે ત્યારે તે કહે છે કે ભગવાન પાર્શ્વનાથને ચરણે જાવ એટલે તમારી બધી ચિંતાઓ દૂર થઈ જાય છે. વળી પાર્શ્વનાથ કેવા છે? તો વિશ્વમાં ચિંતામણિરત્ન જેવા છે. ચિંતામણિરત્ન મળ્યું હોય તો વ્યક્તિની બધી ચિંતા દૂર થાય છે. વળી ધરણેન્દ્ર તેમની પત્ની પદ્માવતી અને બીજી પત્ની વૈરોચ્યા સહિત શોભે છે. આ અનુષુપ છંદમાં બનેલા આ શ્લોકનો ભાવ આકૃતિરૂપે પદ્માવતીજીની સપરિકર મૂર્તિમાં ગોઠવી દીધો છે. - ભગવાન શ્રી પાર્શ્વનાથના સુપ્રસિદ્ધ ચૈત્યવંદનનો પહેલો શ્લોક બોલવો. શ્લોક બોલતી વખતે આ શ્લોકનો ભાવ આ મૂર્તિમાં ઉતારવામાં આવ્યો છે એટલે પદ્માવતીજીને વંદન કરો ત્યારે પ્રથમ આ શ્લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org