________________
૭)
શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
ભારતમાં (પ્રાયઃ) પહેલવહેલી નવીન પ્રકારની સંયુક્ત વાહનવાળી પદ્માવતી દેવીનું અભૂતપૂર્વ અવતરણ વાલ્વેશ્વરની મૂર્તિમાં થવા પામ્યું.
ઉપરના ભાગે પદ્માવતીજીના ચાર હાથનાં આયુધોમાં પણ વિકલ્પો જોયાં, પણ પ્રામાણિક પૂર્વકાલીન કોઈ એક ગ્રંથને આધારે બનાવી લખ્યું એટલે શ્વેતાંબરીયપૂર્વકાલીન ગ્રંથોમાં જે પરંપરા ચાલી આવતી હતી તેમાં ફેરફાર ન કરવો એવી ઇચ્છા હોવાથી ચાર હાથમાં શાસ્ત્રીય રીતે ચાર આયુધો મૂક્યાં છે, નહિતર જમણા હાથમાં જ્યાં કમળ છે ત્યાં ભૈરવ પદ્માવતી કલ્પમાં વરદ (વરદાનની) મુદ્રા પસંદ કરી છે, ક્યાંક માળા મુકાવી છે. અમુક અપેક્ષાએ વરદ મુદ્રા પણ ખોટી નથી, પરંતુ બહુ જૂની પરંપરાનો જ આદર કરવો એટલે તેમાં કશો ફેરફાર ન કર્યો. પદ્માવતીના જમણી બાજુના બે હાથમાંથી એક હાથમાં કમળ મૂક્યું છે. કમળની આકૃતિની પસંદગી બંધબેસતી સુયોગ્ય રીતે કરી છે અને ઉપરના પાશર એટલે ભેગું કરેલું દોરડું બતાવ્યું છે. ડાબી બાજુના બે હાથમાં ઉપરના હાથમાં અંકુશ અને બીજા હાથમાં ખાસ કરીને કચ્છમાં વધુ જાણીતું બીજોરાનું ફળ મૂકવામાં આવ્યું છે. આયુધો કેવી ખૂબીથી મુકાવ્યાં છે, આંગળીઓ કેવી રીતે કલાત્મક બનાવરાવી છે તે જોજો.
તે પછી આવી વાત માથાની ફણાની. માથે ફણા મુકાવવી તો શી રીતે મુકાવવી? જૈન તીર્થકરોની મૂર્તિઓમાં ત્રણ પ્રકારે ફણા કરવાની પ્રથા જોવા મળે છે. ફણા વખતે વિચારવાનું એટલું જ છે કે કઈ જાતની ફણા સુંદર લાગશે અને મૂર્તિને આકર્ષક બનાવશે. મેં મારી પોતાની સમજ પ્રમાણે માથાની નીચેના ભાગથી શરૂ થતી ફણા બનાવરાવી છે. વળી હજારો વર્ષથી ફણા એક જ પ્રકારની જોવા મળે છે એટલે મને જરૂરી અને યોગ્ય નવીનતા કરવાનો શોખ, જેથી માતાની મૂર્તિની શોભા પણ વધે એટલે ભારતમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની જેટલી ફણાઓ છે તેમાં તમને ક્યાંય જોવા ન મળે એવી ફણા બનાવરાવવી. સામાન્ય રીતે વરસોથી ફણાનો ઉપરનો ભાગ ઢળતો ગોળાકર રાખવાની પ્રથા છે, જ્યારે અમારી આ પદ્માવતીજીની મૂર્તિમાં એવું નથી બનાવ્યું, પણ આમાં માથા ઉપર વચમાં એક ફણી કરાવી ને પછીની ફણાઓ જરા-જરા નીચે-નીચે ઊતરતી કરવામાં આવી છે. બંને બાજુએ કપાત પ્રકારની એકની નીચે એક એ રીતે કરાવી છે. તમે માતાજીની સામે ઊભા રહો તો બધી ફણાઓ એકની નીચે એક એમ લાગશે. આજ સુધી પાર્શ્વનાથ-પદ્માવતીજીની મૂર્તિઓમાં જરા-જરા માત્ર મોંઢાનો આગલો ભાગ જ જુદો જુદો બતાવવાની પ્રથા છે, જ્યારે આમાં તો કટ કરી-કરીને લાંબી ફણાઓ બતાવવામાં આવી
માતાજીનું આસન કયું પસંદ કરવું? તો પદ્માવતીજીની મૂર્તિઓ પૂર્વકાળથી પદ્માસનવાળી અને ભદ્રાસનવાળી મળે છે. મને પોતાને એમ થયું કે પદ્માસનનું દ્રશ્ય તો આપણે રોજેરોજ ભગવાનની મૂર્તિમાં જોઈએ છીએ, પણ દેવી છે માટે પરંપરાને અનુસરવું. બીજું આસન કરાવીએ તો આપણા મનને આનંદ થાય, મેગ્નેટબને, એ કરતાંય દેવી સ્ત્રી છે એટલે એને બંધબેસતું આસન ભદ્રાસન વધારે સારું, એટલે મેં ભદ્રાસન બતાવ્યું છે. ભદ્રાસન એટલે ડાબો પગ ઉપર વાળી લેવાનો અને જમણો પગ લાંબો રાખવાનો. સ્ત્રીની મૂર્તિ સ્ત્રીની મર્યાદા મુજબ સવસ્ત્રા હોવી જોઈએ તેમ જ સાથે-સાથે શિલ્પ હોવાથી શિલ્પ-કલાનું પણ દર્શન થવું જોઈએ, એટલે મેં આખા પગની અંદર આરસની મૂર્તિ ઘડાવતી વખતે જ મૂર્તિમાં વસ્ત્ર ઉપસાવરાવ્યાં. બંને પગની પાની કેવી ઢબે મૂકવી તે પણ વિચારણા કરીને મૂકવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org