________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા
રીતસર અંદાજ મળે. આ પદ્માવતી દેવીની જૈન શાસનના રક્ષણ માટે ભગવાન શ્રી પાર્શ્વનાથને ૨૮૬૨ વર્ષ પહેલાં કેવળજ્ઞાન થયું તે દિવસે વારાણસી શહેરમાં નિયુક્તિ કરી હતી. ભગવાન શ્રી પાર્શ્વનાથનાં મંદિર બંધાવવાની શરૂઆત જ્યારે થઈ હશે ત્યારે કોઈ કાળે મંદિરમાં ગોખલા બનાવીને ભગવાન શ્રી પાર્શ્વનાથનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓને પધરાવવાનું શરૂ થયું હશે.
દેવી માટે પરિકર કરવું જોઈએ એવી કોઈને કલ્પના જ નહતી. મને પ્રેરણા થઈ. પરિકરનું નિર્માણ કરાવ્યું. પરિકરની જ્યારે વાત લખી રહ્યો છું ત્યારે શરૂઆતમાં તીર્થંકરના પરિકરનો પરિચય કરી લઈએ. પરિકરની પ્રથા દેવ-દેવીમાં અતિ અલ્પ હતી અને તે પરિકર સામાન્ય કક્ષાનું એટલે પાછળ કમાન બનાવી દેવા પૂરતું. પણ મોટાં પરિકરની પ્રથા હતી જ નહિ. આ પ્રથા પહેલવહેલી વાલકેશ્વરની મૂર્તિમાં દાખલ કરી. સામાન્ય પરંપરા મુજબ દેવીને પરિકરની જરૂર નથી હોતી પણ મૂર્તિને વધુ ભવ્ય બનાવવા અને ૐ નમ: પાર્શ્વનાથાય, આ શ્લોકનું સારું અવતરણ થાય વગેરે કારણે પરિકરની રચના કરી છે. પ્રશ્ન થાય કે પરિકર એટલે શું? - પરિવાર એ સંસ્કૃત શબ્દ છે. તેનો ગુજરાતી શબ્દ વાર થાય છે, એટલે તીર્થંકરની મૂર્તિ સાથે સંબંધ ધરાવતા પ્રાતિહાર્યો કે દેવ-દેવીઓથી સ્થાપિત કરવામાં આવે તે પરિકર કહેવાય.
આપણા સંઘમાં પરિકર શબ્દ બોલવામાં જરા આકરો લાગ્યો એટલે પરિકરની જગ્યાએ લોકોએ પરઘર શબ્દ જેનો કોઈ અર્થ ન હતો છતાં તે ગોઠવી દીધો અને પરિકર પરઘરથી ઓળખાવા લાગ્યું. આ પરિકરના ત્રણ પ્રકારો છે: એકતીર્થી, ત્રિતીર્થી અને પંચતીર્થી પરિકર. એકતીર્થ એટલે મૂર્તિ એક જ હોય અને ફરતું પરિકર પથ્થરનું શિલ્પ હોય. તેમાં બંને બાજુએ ચામરધારી ઇન્દ્રો હોય અને ઉપર પણ દેવદેવીઓ તથા પક્ષીઓ વગેરેની આકૃતિઓ હોય. પરિકર આવ્યું એટલે નીચે ગાદીનું જોડાણ અવશ્ય થાય જ.ત્રિતીર્થી પરિકરમાં મૂર્તિની બંને બાજુએ ઊભા કાઉસ્સગ્ગીયા હોય એટલે ભગવાનની ત્રણ મૂર્તિ થઈ. મૂર્તિ માટે તીર્થ શબ્દ વાપરીએ એટલે ત્રણતીર્થી પરિકર થયું. ત્રણતીર્થીમાં ત્રણ મૂર્તિ નક્કી કરી તેમાં હવે બે મૂર્તિનો વધારો કરવાથી પંચતીર્થી પરિકર થયું. વધારાની મૂર્તિ કાયોત્સર્ગવાળી ઊભી (કાઉસ્સગ્ગીયા) મૂર્તિની ઉપર જ ગોખલો બનાવીને મૂર્તિ બનાવેલી હોય, કાં તો પાછળથી પધરાવેલી હોય છે. એ પંચતીર્થી પરિકર કહેવાય છે. દરેક તીર્થકરના પરિકરમાં ઠેઠ મથાળની ગોળાકાર કમાનમાં જન્માભિષેક માટે ગગનમાર્ગે વાજતેગાજતે જઈ રહેલા દેવો – ઇન્દ્રોનો સમૂહ કંડારવામાં આવે છે.
શિલ્પના ગ્રન્થોમાં તીર્થકરોનાં પરિકર બનાવવાની વાત લખી છે. તે કયારથી નક્કી થયું અને પહેલ-વહેલું પરિકર ક્યારે થયું? એ બધું ચોક્કસ કહેવું એ શોધનો વિષય છે.
આજથી પચાસેક વર્ષ પહેલાં દહેરાસરોમાં કયાંક કયાંક પરિકરો મને જોવા મળ્યાં. છાપેલા ગ્રંથોમાં જોયું છે. મ્યુઝિયમમાં તથા ભૂગર્ભમાંથી નીકળેલી ધાતુની મૂર્તિઓમાં પણ જોવા મળ્યાં ત્યારે થયું કે પરિકરો એક જ જાતનાં થતાં ન હતાં. સમય જતાં એમાં પણ વિવિધતા દાખલ થવા માંડી. મારી પાસે પણ પરિકરના જુદી જુદી જાતના ફોટાઓ છે. ત્રીસેક વર્ષ પહેલાં જુદા જુદા પરિકરોના ફોટા સાથે પરિકરના પરિચય અંગે ગુજરાતી અને ઇગ્લિશ માસિકમાં પ્રગટ કરવા માટે એક લેખ પણ લખ્યો હતો. જો કે પરિકરની વિવિધતા આઠ-દશ પરિકરો પૂરતી જ મર્યાદિત લાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org