________________
TIM
SUM
ભગવતીજીના દર્શનસ્વરૂપની સમીક્ષા
[દર્શન વિભાગ) ચિત્રસંપુટનો કલાવૈભવ મૂર્તિશિલ્પો અને પરિકરનું કલાવિધાન તા. ૨૨/૬ ૯૪
લે. આ. શ્રી યશોદેવસૂરિજી મ.
જૈન સાહિત્ય મંદિર, પાલિતાણા દર્શન બાહ્ય અને આભ્યાન્તર બે પ્રકારનાં છે. મૂર્તિઓનાં બાહ્ય દર્શન જોતાં તેના આંતરદર્શનમાં સહાયક અને જ્ઞાનપ્રાપ્તિમાં પ્રધાન સાધન બની રહે છે. દુઃખી લોકોના અંતરને ઠારે છે અને અનેક રીતે પરમ શાંતિ આપે છે. જેમ અહંતપદે વિરાજેલા તીર્થકર ભગવંતોનાં દર્શન વીતરાગ થવા પ્રેરે છે તેમ શાસનરક્ષિકા દેવીઓની મૂર્તિઓનાં દર્શન તેમનાં ઐશ્વર્યો, રક્ષણ, વૃદ્ધિ, શાંતિ, પુષ્ટિ, વરદાન આપવાની શક્તિઓનો પરિચય કરાવે છે. દેવસ્વરૂપનું દર્શન સાધકની સૌમ્યતામાં વૃદ્ધિ કરી તેને ઘૂળમાંથી સૂમમાં લઈ જાય છે. પ્રસ્તુત દર્શન વિભાગમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક વગેરે પ્રદેશોનાં જિનાલયોમાં ભગવતી પદ્માવતીજીના પથ્થર, આરસ, ધાતુ, કાગળ, રત્નો વગેરે માધ્યમોથી સર્જાયેલ વિવિધમૂર્તિ સ્વરૂપોનાં મનનયનાનંદકારી જોઈને ઘડીભર મુગ્ધ થઈ જઈએ એવા ૧૦૮થી વધુ ફોટા અહીંયાં પ્રસિદ્ધ કર્યા છે, એમાં ઘણી આકૃતિઓ સૌમ્ય, શાંત, પ્રસન્ન મુદ્રાવાળી અને ચિત્તાકર્ષક છે. પદ્માવતીજીની મૂર્તિમાં દેશ-પરદેશના લોકોના સૌથી સર્વમાન્ય શ્રદ્ધેય બની ગયેલા વાલકેશ્વર મુંબઈ-રીજરોડ ઉપરના શેઠ અમીચંદ પન્નાલાલ ટ્રસ્ટના મંદિરના પહેલા મજલે ભગવતી શ્રી પદ્માવતીજી છે. આ મૂર્તિનું સર્જન ભગવતીજીની કોઈ અલૌકિક કૃપાથી બીજે ક્યાંય જોવા ન મળે તેવું બેનમૂન, અજોડ, આકર્ષક અને ભવ્ય બન્યું છે, કે દર્શન કરો ત્યારે તમે જોયા જ કરો, જોયા જ કરો, ત્યાંથી ખસવાનું મન ન થાય તેવી જોરદાર મેગ્નેટ-લોહચુંબક જેવી બની ગઈ છે. વાલકેશ્વરની જગ્યા કે જ્યાં માતાજીને બેસાડ્યા તે તેમને મનગમતી જગ્યાએ જ સ્થાપિત કર્યા છે અને માતાજીની આકૃતિ પણ એમને જેવી પસંદ હતી, તે પ્રમાણે જ તૈયાર થઈ છે. મૂર્તિને ઘડનાર કારીગર પણ કહે છે કે, મેં આવી મૂર્તિ
cactus flower
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only