________________
૬૦
[શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
શ્રી પદ્માવતીજીની ધ્યાનમયી સાધના
Tલેખક : મનસુખ વાયડા) ૪૬૦ નવધા ભક્તિમાં પૂજન, આરાધનાદિમાં જેમ ધ્યાનનું મહત્ત્વ તેમ શ્રી પદ્માવતીદેવીની સાધના માટેનાં પૂજા, અર્ચના, આરાધના, અનુષ્ઠાન, ઉપાસના, જાપ, ધ્યાન વગેરે માધ્યમોમાં પણ ધ્યાનનું મહત્ત્વ; ધ્યાનની વ્યાખ્યા; સાધના માટેની પાત્રતા; શક્તિસાધનાના વિવિધ રૂપો અને તેની યોગ્યાતાયોગ્યતા કે લાભાલાભ વગેરેનું માર્ગદર્શક અવલોકન. શ્રી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાઓથી બચવા શું કરવું?
લેખક : જસુભાઈ જે શહ) ૪૬૩ શ્રી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાઓથી બચવા માટે શ્રી પાર્થપ્રભુની મુખ્યતા, શ્રી પદ્માવતીજીની ઉચિત સ્થાપના, પૂજનની શુદ્ધ અને ઉત્તમ સામગ્રી, આરાધકમાં આચાર-વિચારઉચ્ચારની શુદ્ધતા, શ્રદ્ધાભાવ, એકાગ્રતા વગેરેની જરૂરિયાત અગત્ય સમજાવતું પ્રતીતિકર નિરૂપણ. શ્રી પદ્માવતીદેવીની આરાધનાનો પ્રભાવ - અનુભૂતિઓ - સંકલના] ૪૬૬
પૂજ્ય ગુરુભગવંતો આદિ દ્વારા પ્રસ્તુત અસામાન્ય ઘટનાઓ-ચમત્કારોના કેટલાક પ્રસંગો કે જેમાં મુખ્યતયાં પ્રવર્તમાનની ઘટના છે, સ્વાનુભૂતિના પ્રસંગોછે અને શ્રી પદ્માવતીદેવીની આરાધનાનો પ્રભાવ છે. પ્રાયઃ બધી ઘટનાઓ ધર્મશ્રદ્ધાને અર્પનારી અને શ્રી પદ્માવતીદેવીના મહિમાને વિસ્તારનારી છે. સ્વાનુભૂત પ્રસંગો
લેખક: રિપુજય)
૪૦૨ જીવનને સફલ બનાવનારાં ધર્મશ્રદ્ધા, પુરુષાર્થ, પરમાત્માની ભક્તિ, ગુરુના આશીર્વાદ વગેરે પરિબળોમાં દેવીકૃપા પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. આ દેવીકૃપા પ્રાપ્ત કરનારા એક સાધકના સાક્ષાત્ સ્વાનુભૂતિના શ્રદ્ધા-ભક્તિને સંવર્ધનારા પ્રસંગોનું આલેખન. જેનધર્મમાં ચમત્કારિક પીઠ: હોમ્બુજા પદ્માવતીદેવી
Tલેખક : પ્રા. લિપિનચંદ્ર ર ત્રિવેદી) ૪૦૫ કર્ણાટક રાજ્યમાં આવેલાં પૂર્વકાલીન, પ્રસિદ્ધ અને ચમત્કારિક એવાં હોબુજા પદ્માવતીદેવીના સ્થાનકની સ્થાપનાનો ઇતિહાસ કે જેમાં જીવ બચાવવા નાસી છૂટેલા જિનદત્તનું સાથેનાં પદ્માવતીદેવીની મૂર્તિના પ્રભાવે રક્ષણ થવું, સ્વમાનુસાર સુવર્ણની પ્રાપ્તિ, એક સુંદર નગરીની સ્થાપના, જે કન્નડ ભાષામાં સોનાને હોખું' કહે છે, તેથી આ નગરી “હોમ્બજા' (સુવર્ણનગરી) નામે વિખ્યાત બની, ને જેમાં ભવ્ય એવું પાર્શ્વનાથનું જિનાલય અને બાજુમાં પદ્માવતીદેવીનું મંદિર, જે આજે પણ હોખુજા પદ્માવતીદેવીના સ્થાનકરૂપે વિદ્યમાન છે... ઇત્યાદિ વૃત્તાંતનું આલેખન આકર્ષક કથાસ્વરૂપે નિરૂપવામાં આવ્યું છે.
દરેક ધર્મમાં દેવ-દેવીઓનું સ્થાન અને માહાસ્ય લેખક : જયેન્દ્રભાઈ નાવટી) ૪૦૯
વિશ્વની ત્રણ પૂર્વકાલીન સંસ્કૃતિઓમાં દેવ-દેવીઓના વિવિધ સ્વરૂપો અને મૂર્તિઓનો પ્રવેશ, વિકાસ તથા ઇજિપ્ત, ઈરાનાદિની સંસ્કૃતિમાં તેના વિલયનું અને ભારતીય સંસ્કૃતિ અન્તર્ગત હિન્દુ, જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org