SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] અને બૌદ્ધ ધર્મમાં દેવ-દેવીઓની મૂર્તિઓના સતત વધી રહેલા-વિકાસ-વિસ્તારના જીવંત ઇતિહાસનું વિશ્વવ્યાપી અવલોકન. શ્રી પાર્શ્વપ્રભુ અને તેમનાં અધિષ્ઠાયકોમાં શિરોમણિ શ્રી પદ્માવતીજી લેખક : હિતેશ એસ. શાહ) ૪૮૨ સર્પનો ઉદ્ધાર, સર્પના છત્ર દ્વારા રક્ષણ, સર્પનું લાંછન જે પાર્શ્વનાથ પ્રભુ સાથેની નાગની ઘનિષ્ઠતા સૂચવે છે, અને તેના કારણે શ્રી પાર્શ્વનાથની પૂર્વકાલીન-અર્વાચીન પ્રતિમાઓમાં સર્પનાં વિવિધ સ્વરૂપોનું અને સાથોસાથ પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર અને પદ્માવતીદેવીની આકૃતિઓનું નિરૂપણ વ્યાપક રૂપે જોવા મળે છે, ને તેમાંય અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીની મૂર્તિઓ જોડાજોડ, અલગ ને સ્વતંત્ર રૂપે વિરલ પ્રમાણમાં જોવા મળે છે. અને આ પ્રત્યેક વાતનું પૂર્વકાલીન ગુફાઓ, તીર્થો, સંગ્રહાલયો અને અનેક ગ્રામ-નગરોના જિનાલયોમાં પ્રતિષ્ઠિત શ્રી પાર્થપ્રભુની તેમજ શ્રી પદ્માવતીજીની અનેકવિધ પ્રતિમાઓનાં નિર્દેશન અને અવલોકન દ્વારા કરવામાં આવેલું પ્રતીતિકર આલેખન. જૈનધર્મમાં દેવી-દેવતાનું આગવું સ્થાન [લેખક : ડૉ. એચ. સી. જેન) ૪૮૦ દેવી-દેવતાઓની ઉપાસનાનું મહત્ત્વ, તેનાં પ્રશિક્ષણ માટે શિબિરો યોજવાની જરૂર; ઉપાસનાદિ દ્વારા દુઃખો-વિઘ્નોનું નિવારણ અને સુખની પ્રાપ્તિ; જેના પ્રબળ પ્રભાવથી પ્રેરિત લોકહૃદયમાં વસેલું દેવી-દેવતાઓનું આગવું સ્થાન. તીર્થકર, યક્ષ અને શાસનદેવી - સંકલન) ૪૮૮ શ્રી ઋષભદેવ આદિ ચોવીસ તીર્થકરોનાં વર્ણ, લાંછન, નક્ષત્ર અને રાશિ; અને ચોવીસે તીર્થકરોનાં યક્ષનાં તેમ જ શાસનદેવીનાં નામો, વર્ણો, વાહનો, ભુજાઓની સંખ્યા અને ભુજાઓમાં ગ્રહણ કરેલાં આયુધોનાં નામોનું વર્ણન. જેનધર્મમાં દેવીઓ લેખક : અનવર આગેવાનો ૪૯૨ માતૃશક્તિ, માતૃપૂજા, અને વિશ્વભરમાં તેનો વ્યાપ; જૈનધર્મમાં તીર્થકરોની માતાઓ, શાસનદેવીઓ, વિદ્યાદેવીઓ, દિક્યુમારિકાઓ તથા સરસ્વતી, લક્ષ્મી વગેરે દેવીઓનું આગવું સ્થાન; અને શાસનદેવીઓમાં અતિ પ્રસિદ્ધ એવાં ચકેશ્વરી, જ્વાલામાલિની, અંબિકા અને પદ્માવતીદેવીનાં રસપ્રદ નિરૂપણ સાથે માહિતીસભર આલેખન. વીતરાગ પ્રભુની સેવામાં દેવ-દેવીઓ લેખક : જસુભાઈ જેશાહ] ૪૫ પ્રત્યેક વીતરાગ પ્રભુનાં - તીર્થકરનાં - અવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક પ્રસંગે ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક - ચારેય પ્રકારનાં સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓનું આગમન અને તેઓની વિધ-વિધ પ્રકારની સેવા-ભક્તિનું અદ્ભુત, આહલાદક, રસપ્રદ વિસ્તૃત વર્ણન ને તેમાંય મેરુપર્વત પરના પ્રભુજીના જન્માભિષેક પ્રસંગે ૬૪ ઇન્દ્રો સમેત સર્વદેવ-દેવીઓનાં સપરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy