________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[૫૨૫
દિકુપાલો વિશે વિચારો
- નલિનાક્ષ પંડ્યા
પૂજાવિધિમાં દિબંધનો વિધિ આવે છે. ચાર દિશાઓ, ચાર ઉપદિશાઓ, ઊર્ધ્વ અને અધો - એમ દશ દિશાઓ તો આપણે જાણીએ છીએ, પણ શ્રી નલિનાસભાઈ પંડ્યાએ અત્રે દિશાઓના અધ્યક્ષ દિકપાલોનો ધાર્મિક, પૌરાણિક અને પ્રાકૃતિક દષ્ટિએ પ્રસ્તુત કરેલો પરિચય ઘણો માહિતીપ્રદ અને રસપ્રદ છે. વળી, જૈન અને બૌદ્ધ ધર્મનાં પ્રમાણો સાથે અપાયેલ કેટલીક વિગતો પણ એટલી જ અભ્યાસપૂર્ણ છે. આ લેખ લેખકના વ્યાપક અભ્યાસનું અને સચોટ નિરૂપણ-શક્તિનું દર્શન કરાવે છે.
-- સંપાદક
ભારતીય ધર્મો (હિન્દુ, જૈન અને બૌદ્ધ)માં દિશા અને વિદિશા (=કોણ)ના અધિપતિ -રક્ષક તરીકે દિપાલોની કલ્પના કરવામાં આવી છે. દિપાલો પોતપોતાની દિશાનું રક્ષણ કરતા હોવાથી પૂજનના અધિકારી મનાય છે. મત્સ્યપુરાણમાં એમની પૂજાવિધિ વર્ણવેલી છે.
પુરાણો અનુસાર ઇન્દ્ર પૂર્વના, વરુણ પશ્ચિમના, કુબેર ઉત્તરના અને યમ દક્ષિણ દિશાના દિક્પાલ છે. બે દિશાઓ વચ્ચેની દરેક વિદિશા (=કોણ)ના એકેક, એમ બીજા ચાર દિપાલો પણ છે, જેમના નામ પરથી તેમના રક્ષણ હેઠળના કોણનું નામકરણ થયું છે. આ ચાર દિપાલ છે : અગ્નિ (અગ્નિકોણ અથવા દક્ષિણપૂર્વના), નિર્ઝતિ (નૈáત્યકોણ અથવા દક્ષિણપશ્રિમના), વાયુ (વાયવ્યકોણ અથવા પશ્ચિમોત્તરના) અને ઈશાન (ઈશાન કોણ અથવા પૂર્વોત્તરના). આમ ચાર દિશા અને ચાર કોણના મળીને કુલ આઠ દિક્પાલ થતા હોવાથી તેમને “અષ્ટદિકુપાલ' કહે છે. મનુસ્મૃતિ તથા બૌદ્ધ ગ્રંથો દિકપાલને લોકપાલ'ના નામે ઓળખાવે છે. અમુક પુરાણોમાં ચાર દિશાના દિક્પાલોનાં સુધર્મા, શંખપદ, કેતુમાન અને હિરણ્યરોમા એવાં અપરનામ પણ મળે છે.
જ્યોતિષશાસ્ત્રમાં દરેક દિશા અને કોણનો એક, એમ આઠ “દિપતિ' ગણાવવામાં આવ્યા છે. તેમનાં સંબંધિત દિશા અને કોણ સાથેનાં નામ આ પ્રમાણે છેઃ સૂર્ય (પૂર્વ), શુક્ર (અગ્નિ), મંગળ (દક્ષિણ), રાહુ (નૈ×ય), શનિ (પશ્ચિમ), ચંદ્ર (વાયવ્ય), બુધ (ઉત્તર) અને બૃહસ્પતિ (ઈશાન). આ દિફપતિઓનો સંબંધ દિશા અને વિદિશા સાથે હોવા છતાં તેમનાં નામ જોતાં સ્પષ્ટ થાય છે કે તે દિપાલ નહીં, પણ કેતુ સિવાયના આઠ ગ્રહો છે.
હવે આ અષ્ટદિપાલ વિષે વિગતવાર જોઈએ.
(૧) ઈન્દ્ર : દેવરાજ ઇન્દ્ર પૂર્વ દિશાના દિપાલ છે. પૂર્વમાં સૂર્યોદયની સાથે દિવસ આરંભ થતાં માનવપ્રવૃત્તિનો પણ આરંભ થાય છે તેથી આ પ્રથમ દિશા સ્વર્ગ અને દેવોના અધિપતિને સોંપાઈ હશે. ઈન્દ્ર સ્વર્ગ અને પ્રાકૃતિક તત્ત્વોના દેવ છે. તે વર્ષાના રૂપમાં પૃથ્વી પર જળ વરસાવીને વનસ્પતિ અને કૃષિના સંવર્ધન દ્વારા પ્રાણીજીવનને પોષે છે. ઋગ્વદમાં ઇન્દ્રને “ધાવાપૃથિવી' (ધૌ = આકાશ એ પિતા અને પૃથિવી એ માતા)ના પુત્ર તરીકે ઓળખાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org