________________
૫૨૬ ]
ઇન્દ્રનો વર્ણ ગૌર કે પીત છે. સમુદ્રમંથન દ્વારા નીકળેલો સાત સૂંઢવાળો હાથી ઐરાવત તેમનું વાહન છે. તેમનું મુખ્ય આયુધ કે પ્રતીક વજ્ર છે. ઇન્દ્રના એક હાથમાં વજ્ર, બીજામાં શંખ કે કમંડળ, ત્રીજામાં ધનુષ્યબાણ અને ચોથામાં અંકુશ હોય છે. તેમની મૂર્તિની ડાબી બાજુએ નીચે ઇન્દ્રાણી-શચીને ઊભેલી દર્શાવાય છે. દેવશાસ્ત્રમાં ઇન્દ્રને તપ્ત કાંચન જેવા વર્ણના નિરૂપ્યા છે.
[શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
(૨) અગ્નિ : પ્રકાશ અને ગરમીના સ્રોત તરીકે અગ્નિકોણના આ દિક્પાલની માનવજીવનમાં અગત્યની ભૂમિકા છે. ખોરાક રાંધવામાં અગ્નિની અનિવાર્યતાને કારણે અગ્નિને પ્રત્યેક ઘરમાં સ્થાન મળ્યું છે. માનવજીવનમાં તેમની અનન્ય ભૂમિકાને લીધે અગ્નિદેવ મનુષ્ય-મનુષ્ય વચ્ચે અને મનુષ્ય-દેવ વચ્ચે મધ્યસ્થી કે સાક્ષી રૂપે મનાય છે. તમામ દિક્પાલોમાં અગ્નિ એક માત્ર એવા દિક્પાલ છે, જે નજરે જોઈ શકાય છે.
અગ્નિનો વર્ણ લાલ છે. તેમનું વાહન મેષ (ઘેટો) છે અને પ્રતીક સુચિશાખા છે. મૂર્તિવિધાનમાં અગ્નિને મોટા પેટવાળા બતાવાયા છે. તે ક્યારેક એક મુખવાળા અને ક્યારેક બે મુખવાળા હોય છે. તેમને ત્રણ નેત્ર, ત્રણ પગ, ચાર કે સાત હાથ અને ક્યારેક ચાર શીંગડાંવાળા બતાવવામાં આવે છે. તેમના હાથમાં સુચિશાખા, શક્તિ, કમળ અને કમંડળ હોય છે; અને તેમની બે બાજુએ સ્વાહા અને સ્વધા નામની પત્નીઓ હોય છે.
‘સંસ્કારભાસ્કર' અને ‘શ્રીતત્ત્વનિધિ'માં અગ્નિને બે મુખ, ચાર શીંગડાં, સાત જીભ અને સાત ભુજાવાળા વર્ણવ્યા છે. તેમની આવી મૂર્તિ ચિદંબરમ્ (તામિલનાડુ) અને કંડીપુર (કેરળ)નાં શિવમંદિરોમાં જોવા મળે છે. અગ્નિની બે મુખ, ચાર હાથ અને ત્રણ પગવાળી મૂર્તિ ખજુરાહો (મધ્યપ્રદેશ) અને મોઢેરા (ગુજરાત)નાં સૂર્યમંદિરમાં છે. શ્વેતામ્બર મૂર્તિવિધાનમાં અગ્નિના હાથમાં ધનુષ, શક્તિ અને માળા હોય છે, જ્યારે દિગંબર મૂર્તિવિધાનમાં તેમના હાથમાં એક કુંભ હોય છે.
(૩) યમ : દક્ષિણ દિશાના અધિપતિ યમ ‘વિવસ્વાન' સૂર્યના પુત્ર ગણાયા છે. તે મૃતાત્માના મુખ્ય દેવ છે અને દરેક વ્યક્તિના મૃત્યુ પછી તેના જીવનનાં કર્મો અનુસાર સ્વર્ગ કે નર્કમાં મોકલે છે. યમનું વહન મહિષ (=પાડો) અને મુખ્ય આયુધ કે પ્રતીક દંડ છે. તેમની મૂર્તિઓ બે કે ચાર હાથવાળી હોય છે. જો બે હાથ હોય તો તેમાં ખડ્ગ અને ઢાલ હોય છે અને વધુ હાથ હોય તો તેમાં કલમ, નોંધવહી (મનુષ્યનાં કર્મોની નોંધ રાખવા), દંડ, ખગ, ત્રિશૂળ અને અગ્નિ હોય છે. યમની બાજુમાં નીચલા ભાગમાં મૃત્યુ અને ચિત્રગુપ્તની મૂર્તિઓ હોય છે.
(૪) નિશ્રૃતિ : નૈઋત્ય કોણના આ દિક્પાલને પુરાણોમાં એકાદશ રુદ્ર માન્યા છે. તે ભૂત, પિશાચ, રાક્ષસાદિના અધિપતિ હોવાથી તેમને રાક્ષસેન્દ્ર કહે છે. તેમના આ ઉપનામને અનુરૂપ જ તેમનું સ્વરૂપ હોય છે. નિર્ઝતિનો રંગ લીલો અથવા ધૂમ્રવર્ણ છે. શિલ્પગ્રંથો અનુસાર તેમનું વાહન કૂતરો છે; પણ અન્ય મતાનુસાર તેમનું વાહન સિંહ, ગર્દભ, મનુષ્ય કે શબ પણ છે. તેમના હાથમાં ખડ્ગ અને ઢાલ કે દંડ હોય છે.
‘અંશુમદ્બેદાગમ’માં નિર્ઝતિને દાઢીવાળા નિરૂપ્યા છે. તે ઊર્ધ્વકેશી મુકુટ ધારણ કરે છે અને તેમનું શરીર અલંકારમંડિત હોય છે. તેમની આસપાસ અપ્સરાઓ હોય છે. ‘ભૈરવ' અને ‘ક્ષેત્રપાલ’ એ તેમનાં અપરનામ છે.
(૫) વરુણ : પશ્ચિમ દિશાના દિક્પાલ વરુણ આદિત્યોમાં અગ્રણી લેખાય છે. તે સમુદ્ર અને જળના દેવતા હોવાથી જગતના પ્રાણાધાર છે. તેમની મૂર્તિ જળાશયોમાં સ્થાપવામાં આવે છે. તે ગૌરવર્ણના છે. તેમનું વાહન મગર કે અન્ય જળચર પ્રાણી (જેને કેટલાક ‘ડોલ્ફિન' માને છે) છે. તેમનું મુખ્ય આયુધ કે પ્રતીક પાશ છે. તેમનો એક હાથ વરદમુદ્રામાં અને બાકીના હાથમાં પાશ, કમળ અને કમંડળ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org