SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૦૫ નં.૪૧ના વિતાન પર આવેલો છે. પ્રથમ સમૂહમાં વિદ્યાદેવીઓ પરંપરાનુસાર સવાહન, સાયુધ, ચતુર્ભુજા અને ત્રિભંગીઓમાં દર્શાવી છે; બીજા સમૂહની વિદ્યાદેવીઓ ત્રિભંગીમાં અને ષડભુજા દર્શાવી છે. લુણવસતિના રંગમંડપના વિતાન પરનાં વિદ્યાદેવીઓનાં આલેખનો અને વિમલવસતિના રંગમંડપનો સમૂહ એકસરખી લાક્ષણિકતાઓ ધરાવે છે. ગુજરાતમાં કુંભારિયાનાં મંદિરો તથા તારંગાના અજિતનાથના મંદિરમાં વિદ્યાદેવીઓની પ્રતિમાઓ આવેલી છે. કુંભારિયાના શાંતિનાથના મંદિરમાં માનવીની એક પણ પ્રતિમા જોવા મળતી નથી. પૂર્વની પડાળીના વિતાન પર વિદ્યાદેવીઓનો એક સમૂહ કંડારાયેલો છે. વિદ્યાદેવીઓનું સામૂહિક આલેખન સૌ પ્રથમ અહીં જોવા મળે છે. પાર્શ્વનાથ મંદિરમાં જ્વાલામાલિનીની મૂર્તિ પ્રાધાન્ય ભોગવે છે. તારંગામાં અજિતનાથના મંદિરના શિલ્પવૈભવમાં વિદ્યાદેવીઓ અગ્રગણ્ય છે. અહીં વિદ્યાદેવીઓનાં વાહનો પરંપરાગત જોવા મળતાં નથી. મધ્યપ્રદેશમાં માત્ર ખજુરાહોના આદિનાથના મંદિરમાં જ વિદ્યાદેવીઓનાં આલેખનો આવેલાં છે. આ મંદિરના રથિકા ગવાક્ષોમાં સોળ વિદ્યાદેવીઓનાં શિલ્પો જોવા મળે છે. વાહનયુકત આ દેવીઓને ચતુર્ભુજા કે અષ્ટભુજા છે. દેવીઓના મસ્તકભાગે જિન-આકૃતિઓ કંડારેલી છે. ચક્રેશ્વરી : તીર્થકર ઋપભદેવની યક્ષિણી ચક્રેશ્વરીને શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં ગરુડવાહિની અને હાથમાં ચક્ર ધારણ કરતી દર્શાવી છે. તે ચતુર્ભુજા કે અષ્ટભુજા કે દ્વાદશભુજા હોવાનું જણાયું છે. ચક્રેશ્વરીની પ્રતિમાઓ ૯મી સદીથી પ્રાપ્ત થાય છે. દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અષ્ટભુજા ચકેશ્વરીની એક પ્રતિમા સુરક્ષિત છે. ગરુડ પર સવાર થયેલ દેવીના ઉપરના છ હાથમાં ચક્ર ધારણ કરેલ છે. જ્યારે નીચેના બે હાથમાં અનુક્રમે વરદમુદ્રા અને ફળ ધારણ કરેલાં છે. ૧૨ સેવાડી (રાજસ્થાન)ના મહાવીર મંદિરમાં દ્વિભુજા ચક્રેશ્વરીની ભૂતિ કંડારેલી છે. આબુ-દેલવાડાના લુણવસતિની દેવકુલિકા નં. ૧૦ના વિતાન પર અષ્ટભુજા ચક્રેશ્વરીનું સ્વરૂપ જોવા મળે છે. અષ્ટભુજા ચક્રેશ્વરીની પ્રતિમા ગ્યારસપુર (મધ્યપ્રદેશ)ના માલાદેવીના મંદિરના શિખરમાં પણ જોવા મળે છે. દશ ભુજા ધરાવતી ચક્રેશ્વરીની એક સુંદર પ્રતિમા મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયમાં આવેલી છે. ખજુરાહોમાંથી ચક્રેશ્વરીની ચાર પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે, જે પૈકી ત્રણ પ્રતિમાઓને ચતુર્ભુજા છે અને એક પભુજા છે. દેવગઢ (મધ્યપ્રદેશ)માંથી મળેલી ચક્રેશ્વરીની પ્રતિમાઓમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આ પ્રતિમાઓને ચતુર્ભુજા, પભુજા, અષ્ટભુજા, દશભુજા અને વિશતિભુજા (વીસ હાથ) છે, જે ચકેશ્વરીનાં વિવિધ સ્વરૂપોને વ્યકત કરે છે. આ પ્રતિમાઓ અહીંનાં મંદિરોનાં સંભો, ઉત્તરાંગો અને માનસ્તંભો પર કંડારેલી છે. દેવગઢમાંથી વિંશતિભુજા ચક્રેશ્વરીની બે પ્રતિમા સ્થાનિક સાહુ જૈન સંગ્રહાલયમાં સુરક્ષિત છે. એક પ્રતિમાના સાત હાથ જળવાયા છે; જ્યારે બીજી પ્રતિમાના વીસ વીસ હાથ મોજૂદ છે. ઓરિસાની નવમુનિ અને બારભૂજી ગુફાઓમાં ચકેશ્વરીની મૂર્તિઓ કંડારેલી છે, જે અનુક્રમે દસ અને બાર હાથ ધરાવે છે. દક્ષિણ ભારતની ચકેશ્વરીની પ્રતિમાઓમાં તેનાં વાહન-ગરુડનો કયારેક અભાવ હોય છે; પરંતુ ચક્ર હંમેશાં જોવા મળે છે." ઈલોરાની ગુફા નં. ૩૦ની ચકેશ્વરીની પ્રતિમાને દ્વાદશભુજા છે. ગુજરાતમાંથી પ્રાપ્ત થતી ચકેશ્વરીની પ્રતિમાઓ મોટે ભાગે ચતુર્ભુજા છે. પાટણના સુવિધિનાથ મંદિરમાં, ગિરનાર ઉપર વસ્તુપાલ-તેજપાલની ટૂંકમાં ડાબી બાજુના ગવાક્ષમાં, ઘોઘાના નવખંડા પાણ્વનાથ મંદિરમાં, શત્રુંજય ઉપર દાદાની ટૂંકમાં, મોતીશાની ટૂંકના મુખ્ય મંદિરમાં અને વડનગરના પીઠોરી માતાના મંદિરના ઓટલામાં ચક્રેશ્વરીની પ્રતિમાઓ આવેલી છે." ચક્રેશ્વરીની ઉપર્યુકત પ્રતિમાઓ દેવીના સ્વતંત્ર સ્વરૂપને રજૂ કરે છે. આ ઉપરાંત દેવીની જિનસંયુકત પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. ચંદ્રાવતી, વિમલવસહિ, પ્રભાસપાટણ, ખંભાત, જ્યારે બીજી ડારેલી છે, જે અનુરક અભાવ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy