SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સરસ્વતી : હિંદુ અને બૌદ્ધ ધર્મની જેમ જૈનધર્મમાં પણ સરસ્વતીનું આદરણીય સ્થાન જોવા મળે છે. તેનાં વિવિધ નામો પૈકી વાગ્દવી નામ જાણીતું છે. જૈન ગ્રંથોમાં મેધા તથા બુદ્ધિની દેવી અથવા શ્રુતદેવી તરીકે ઓળખાવી છે. તે જૈન આગમોની અધિષ્ઠાત્રી દેવી છે. જૈન સરસ્વતીની સૌથી પ્રાચીન પ્રતિમા મથુરાના કંકાલી ટીલામાંથી પ્રાપ્ત થઈ છે, જે હાલ લખનૌના રાજ્ય સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ ખંડિત પ્રતિમાના ડાબા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. અક્ષમાળા ધારણ કરતો જમણો હાથ તૂટી ગયેલો છે. જૈન મૂર્તિકળામાં સરસ્વતીનું આલેખન બીજી સદીથી શરૂ થયું હતું એમ આ મૂર્તિને કેન્દ્રમાં રાખી કહી શકાય. - સરસ્વતીની પ્રતિમાઓ બહુધા ગુજરાત અને રાજસ્થાનમાંથી પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં કુંભારિયા અને તારંગામાં સરસ્વતીની પ્રતિમાઓ આવેલી છે. કુંભારિયાના નેમિનાથ મંદિરની દેવકુલિકાઓની પશ્ચિમની ભીંત પર મયુરવાહિની સરસ્વતીનું એક સુંદર આલેખન જોવા મળે છે. તારંગાના અજિતનાથ મંદિરમાં સરસ્વતીની ૧૪ પ્રતિમાઓ કંડારેલી છે. - રાજસ્થાનમાં ઓસિયાં, નાડોલ, નાડલાઇ, આબુ-દેલવાડા, પિંડવાડા પાસે અજારી તીર્થ અને પલમાંથી સરસ્વતીની પ્રતિમાઓ મળી આવી છે. આ સર્વમાં બીકાનેર પાસેના પલ્લુ ગામમાંથી પ્રાપ્ત થયેલી સરસ્વતીની બે પ્રતિમાઓ પૈકી દિલ્હીમાં રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સુરક્ષિત પ્રતિમા સર્વોત્કૃષ્ટ છે. બીજી પ્રતિમા બીકાનેરના સંગ્રહાલયમાં આવેલી છે. આ બંને પ્રતિમાઓ આરસમાં કંડારેલી છે. રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સુરક્ષિત પ્રતિમા ત્રિભંગીમાં ઊભેલી છે. ચતુર્ભુજ દેવીના ડાબા હાથમાં પુસ્તક અને જમણા હાથમાં પુંડરીક ધારણ કર્યું છે. નીચેનો જમણો હાથ વરદમુદ્રામાં છે. જ્યારે ડાબા હાથમાં કમંડલ ધારણ કર્યું છે. મસ્તક પાછળ અલંકૃત પ્રભામંડળ શોભાયમાન છે. પ્રતિમાની ઉપરના ભાગે ગાંધર્વો ઊડી રહ્યા છે, જ્યારે ચરણની બંને બાજુએ વીણાધારિણી બે સેવિકાઓ ત્રિભંગીમાં ઊભેલી છે. છેક નીચે બે ઉપાસકો (દાતા દંપતી) અંજલિ મુદ્રામાં ઊભા છે. પ્રતિમાને આવૃત્ત તોરણ અલંકૃત છે. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ આ પ્રતિમાને મધ્યકાલીન ભારતીય શિલ્પકળાના આકર્ષક નમૂના તરીકે બિરદાવે છે." સોળ વિધાદેવીઓ : જૈનોમાં ૪૮ હજાર વિદ્યાદેવીઓની માન્યતા છે પરંતુ તે પૈકી માત્ર સોળ વિદ્યાદેવીઓ જ વધુ પ્રચલિત છે. આ સોળ વિદ્યાદેવીઓ સોળ કળા અને વિજ્ઞાનની દે મનાય છે. આ સોળ વિદ્યાદેવીઓનાં નામ આ પ્રમાણે છે : રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વર્જકુશા, અપ્રતિચક્ર અથવા જંબુનદા, પુરપદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાક્વાલા અથવા જ્વાલામાલિની, માનવી, વૈરોટી, અય્યતા, માનસી અને મહામાનસી. સોળ વિદ્યાદેવીઓની મૂર્તિઓ વિશેષ કરીને રાજસ્થાન અને ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ છે. મધ્યપ્રદેશમાં ખજુરાહોના આદિનાથના મંદિરમાં પણ તેમના સ્વરૂપો દર્શનીય છે. ઓસિયાના મહાવીરસ્વામીના મંદિરમાં પ્રજ્ઞપ્તિ, નરદત્તા, ગાંધારી, મહાજ્વાલા, માનસી તથા મહામાનસીની મૂર્તિઓ કંડારેલી છે. ઘાણે રાવના મૂછાળા મહાવીર મંદિરમાં માનસી અને મહાજ્વાલા સિવાયની અન્ય વિદ્યાદેવીઓનાં આલેખનો જોવા મળે છે. સાદરા (રાજસ્થાન)ના પાર્શ્વનાથના મંદિરમાં ૧૧ વિદ્યાદેવીઓનાં સ્વરૂપો આવેલાં છે. સેવાડી તીર્થન મહાવીર મંદિરમાં, નાડોલના પદ્મપ્રભુ અને જાલોરના મહાવીર મંદિરમાં પણ વિદ્યાદેવીઓની પ્રતિમાઓ આવેલી છે. આબૂ-દેલવાડાના વિમલવસહિ અને લુણવસહિમાં વિદ્યાદેવીઓનાં ઉત્તમ શિલ્પો કંડારેલાં છે.o વિમલવસહિમાં વિદ્યાદેવીઓના બે સમુહો આલેખાયા છે. પ્રથમ સમૂહ રંગમંડપમાં અને બીજો સમૂહ દેવકુલિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy