________________
૪૯૪ ]
( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
આ દેવીના હાથની સંખ્યા વિશે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોમાં મતભેદ છે. આ દેવી પૂર્વભવમાં માનવી હૂતી અને દેહ છોડ્યા પછી દેવી બન્યાં. જૈનશાસનની સમૃદ્ધિ માટે યોગદાન, યુગપ્રધાનપદ માટે યોગ્ય વ્યકિત રૂપે જિનદત્તસૂરિને સંકેત આપ્યો -- એવાં કાર્યો આ દેવીથી સંપન્ન થયાં છે.
પદ્માવતી દેવી : પદ્માવતીદેવી ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી (યક્ષિણી) છે. શ્રી નવિમલસૂરિજી (વિક્રમની અગિયારમી સદી) રચિત 'શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન'માં પદ્માવતીને સરસ્વતી, દુર્ગા, તારા, શકિત, અદિતિ, લમી, કાલી, ત્રિપુરસુંદરી, ભૈરવી, અંબિકા અને કુંડલિની કહીને વર્ણવી છે. આ દેવીને ચાર હાથ છે. જમણી તરફનો એક હાથ વરદ મુદ્રામાં છે, બીજો અંકુશથી શોભે છે. ડાબી બાજુના એક હાથમાં દિવ્ય ફળ અને બીજામાં પાશ છે. દેવીનાં ત્રણ નેત્ર છે. દેવીના માથા પર ત્રણ કે પાંચ ફણાનો મુકુટ છે. તેને કુર્કટનાગ-વાહિની કહે છે. પદ્માવતીદેવી ભારતનાં અનેક પ્રાચીન જૈન મંદિરોમાં તથા યતિઓના ઉપાશ્રયોમાં વિદ્યમાન છે.
આ દેવીના કાર્ય વિશે કહેવાય છે કે તે પોતાના રૌદ્રરૂપથી અત્યાચારીઓનો નાશ અને સૌમ્યથી વિશ્વનું કલ્યાણ કરે છે. ભગવાન પાર્શ્વનાથના લોકવિશ્રુત પ્રભાવ અને તેમનાં ઘણાં ક્ષેત્રોના ઉદ્દ્ભવમાં પદ્માવતીદેવીનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. પદ્માવતીદેવીની સ્તુતિ રૂપે ત્રીજી શતાબ્દીથી સોળમી શતાબ્દી સુધીમાં ઘણું સાહિત્ય લખાયું છે.
આ દેવીઓ પર સમગ્રપણે અધ્યયન કરવાથી કેટલીક વિગતો જાણવા મળે છે. કેટલીક શાસનદેવીઓ તીર્થંકરના ગુણો અથવા પૂર્વભવમાં પોતાના ઉપર કરેલા ઉપકારોથી પ્રેરિત થઈને તેમનું સંરક્ષણ કરવા તત્પર હોય છે. *. વિપ્નો અથવા અવરોધોનો વિનાશ, ઉપસર્ગોનું નિવારણ અને જનકલ્યાણ એ આ દેવીઓનું મુખ્ય કાર્ય છે.
આ દેવીઓનાં વાહન, આયુધ અને સ્વરૂપોમાં ભિન્નતા જોવા મળે છે. આ દેવીઓની પાપાણ અને ધાતુની મૂર્તિઓ મળી આવે છે.
શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોમાં આ દેવીઓની ઉપાસના પ્રચલિત છે. જો કે, અંબિકા વગેરે દેવીઓના હાથો અને આયુધોના સંબંધમાં એકમતી નથી.
આ દેવીઓ પોતાના આરાધકોને વરદાન આપનાર, આભિચારક ક્રિયાઓને નિષ્ફળ બનાવનાર, શાસ્ત્રાર્થમાં વિપક્ષને પરાસ્ત કરનાર, ધર્મ સંદેશને ઘરે ઘરે પહોંચાડનાર, તામસિકતાનો નાશ કરનાર, કીતિ તથા સિદ્ધિની દાતા માનવામાં આવે છે..
ભારતમાં કોઈ એવો ધર્મ નથી, જેમાં વિદ્યાની અધિષ્ઠાતા દેવી સરસ્વતીને માન્યતા આપવામાં આવી ન હોય. જૈનધર્મમાં સરસ્વતીની ચતુર્ભુજ મૂર્તિઓ મળી આવે છે. જમણી તરફનો એક હાથ અભયમુદ્રામાં, બીજો હાથ કમળ ધારણ કરેલો છે. ડાબી બાજુના હાથમાં ગ્રંથ અને અક્ષમાળા છે. આ દેવીનું વાહન હંસ છે. સરસ્વતી શ્વેત વર્ણની તથા ત્રિનેત્રી છે. તેના કેશકલાપમાં બાલેન્દુ શોભે છે. શ્રી મલ્લિપેણસૂરિ, વિજયકીર્તિ, અહંદાસ, ધર્મદાસ, ધર્મસિંહ, બપ્પભટ્ટસૂરિ વગેરે પ્રસિદ્ધ આચાર્યો તથા વિદ્વાનોએ પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં સરસ્વતીકલ્પ વગેરેની રચના કરી છે. જૈનમંદિરોમાં પણ ઘણાં સ્થળે સરસ્વતીની કળાપૂર્ણ અને ચિત્તાકર્ષક મૂર્તિઓનાં દર્શન થાય છે.
આ સર્વ દેવીઓની સિદ્ધિ માટે મંત્ર-જાપ, સ્તોત્ર-પાઠ વગેરે જૈનધર્મમાં સારા પ્રમાણમાં પ્રચલિત છે. હિંદુઓમાં શકિત-ઉપાસનાનો પ્રચાર વૈદિકકાળથી ચાલ્યો આવે છે. જૈનો અને હિંદુઓમાં પૂજિત દેવીઓના તુલનાત્મક અભ્યાસથી જાણી શકાય કે, સર્વની દેવીઓનાં નામ, કાર્ય, સ્વરૂપ, સાધનાપદ્ધતિ વગેરે એક જ સરખાં છે. માત્ર ભાવાને કારણે નામભેદ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org