SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] વિઘ્નો અથવા અવરોધોનો વિનાશ, ઉપસર્ગોનું નિવારણ અને જનકલ્યાણ એ આ દેવીઓનું મુખ્ય કાર્ય છે..... આ દેવીઓ પોતાના આરાધકોને વરદાન આપનાર, આભિચારક ક્રિયાઓને નિષ્ફળ બનાવનાર, શાસ્ત્રાર્થમાં વિપક્ષને પરાસ્ત કરનાર, ધર્મ સંદેશને ઘરે ઘરે પહોંચાડનાર, તામસિકતાનો નાશ કરનાર, કીર્તિ તથા સિદ્ધિની દાતા માનવામાં આવે છે.....આ સર્વ દેવીઓની સિદ્ધિ માટે મંત્ર-જાપ, સ્તોત્ર-પાઠ વગેરે જૈનધર્મમાં સારા પ્રમાણમાં પ્રચલિત છે. હિંદુઓમાં શકિત-ઉપાસનાનો પ્રચાર વૈદિકકાળથી ચાલ્યો આવે છે. જૈનો અને હિંદુઓમાં પૂજિત દેવીઓના તુલનાત્મક અભ્યાસથી જાણી શકાય કે, સર્વની દેવીઓનાં નામ, કાર્ય, સ્વરૂપ, સાધનાપદ્ધતિ વગેરે એક જ સરખાં છે. માત્ર ભાષાને કારણે નામભેદ જોવા મળે છે. સરસ્વતીનાં નામ ગણાવી શકાય. અલ્પચર્ચિત દેવીઓમાં તીર્થંકરોની માતાઓ સિવાય સોળ વિદ્યાદેવીઓ છે, જેનાં નામ આ પ્રમાણે છે : રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વાંકુશા, પ્રતિચક્રેશ્વરી, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વસ્રામહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અચ્યુપ્તા, માનસી અને મહામાનસી. આમાં બાર નામ એવાં છે, જે તીર્થંકરોની શાસનદેવીઓની સૂચિમાં પણ છે. આ શાસનદેવીઓનો ઉલ્લેખ આગળ જતાં બહુચર્ચિત દેવીઓ રૂપે કરવામાં આવ્યો છે. મુનિઓ અપરિગ્રહી હોવાને કારણે લક્ષ્મીદેવીની આરાધના ઓછી જોવા મળે છે; પરંતુ જૈન ગૃહસ્થો લક્ષ્મીની પૂજા-અર્ચના નિરંતર કરતા જોવા મળે છે. [ ૪૯૩ બહુચર્ચિત દેવીઓ આ પ્રમાણે છે : તેમાં શાસનદેવીઓ પ્રથમ છે. ચોવીસ તીર્થંકરોની ચોવીસ શાસનદેવીઓ માનવામાં આવે છે : ચક્રેશ્વરી, અજિતા, દુરિતારી, કાળી, મહાકાળી, અચ્યુતા, શાન્તા, જ્વાલા, સુતારિકા, અશોકા, શ્રીવત્સા, ચંડી, વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી, અચ્યુપ્તા, ધરણી, વૈરૂટ્યા, દત્તા, ગાંધારી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા. આમાં ચક્રેશ્વરી, જ્વાલામાલિની, અંબિકા અને પદ્માવતીદેવી ખૂબ જાણીતાં છે. તેમનું નિરૂપણ અહીં રસપ્રદ બનશે. ચક્રેશ્વરી : દેવી ચક્રેશ્વરી ભગવાન ઋષભદેવનાં શાસનદેવી છે. તેમને દસ હાથ અને ચાર મુખ બતાવવામાં આવ્યાં છે. કયાંક આ દેવીને ચારથી સોળ હાથ બતાવવામાં આવ્યા છે. પ્રત્યેક હાથમાં ચક્ર ધારણ કર્યું છે, આથી ચક્રેશ્વરી કહેવાયાં છે. તેમનું વાહન ગરુડ છે. દુર્ગાસપ્તશતીમાં ગરુડવાહિની દેવીને વૈષ્ણવી નામે પણ ઓળખવામાં આવી છે. આ દેવી ખૂબ ઉદાર, વજ્ર જેવી કઠોર અને પુષ્પ જેવી કોમળ પણ છે. જ્વાલામાલિની : દેવી જ્વાલામાલિની આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસનદેવી છે. જ્વાલામાલા ધારણ કરતી હોવાથી તેને જ્વાલામાલિની કહે છે. કરાર્લાગીવાહિન નામે પણ ઓળખાય છે. તેમના આઠ હાથ દર્શાવાયા છે, જેમાં ક્રમશઃ ત્રિશૂળ, પાશ, ૠષ, કોદંડ, કાન્ડ, ફળ, વરદ અને ચક્રને ધારણ કરેલ છે. આ દેવીનું વાહન મહિષ છે. અંબિકા : દેવી અંબિકા બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથનાં શાસનદેવી તરીકે પ્રસિદ્ધ છે. તેમનું નિવાસસ્થાન ગિરનાર પર્વત છે. અંબિકાની કીર્તિ ખૂબ હોવાથી તેરમી સદીના મૂર્તિકારોએ તેમની મૂર્તિઓ ભગવાન ઋષભદેવ સાથે કંડારી દીધી હતી. આ દેવીને પણ ચાર હાથ છે. બે હાથમાં આમ્રડાળી અને પાશ છે, બે હાથમાં અંકુશ અને પુત્ર છે. દેહનો રંગ સુવર્ણ અને વાહન સિંહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy