________________
૪૮૮ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
'તીર્થકર, યક્ષ અને શાસનદેવીઓ
જ સંકલન જૈનધર્મમાં તીર્થકર ભગવાનની સંખ્યા ૨૪ છે. દરેક તીર્થકરને એક યક્ષ (જમણી બાજુએ) અને એક યક્ષિણી (ડાબી બાજુએ) હોય છે. તેમાં યક્ષિણી શાસનદેવીઓ ગણાય છે. આ શાસનદેવીઓ ઉપરાંત શ્રુતદેવતા, શાંતિદેવતા અને સોળ વિદ્યાદેવીઓનાં વર્ણનો પણ જૈન શાસ્ત્રમાં આપણને જોવા મળે છે. ઉપરાંત જૈન ગ્રંથોમાં આ દેવીઓની ઉત્પત્તિની કથાઓ, તેમના અદ્ભુત ચમત્કારો, આકાર-પ્રકાર અને તેમની મૂર્તિઓનાં વિશિષ્ટ વર્ણનો આવે છે. એક સામાન્ય માન્યતા એવી છે કે તીર્થકરોની આ શાસનદેવીઓ તીર્થંકરના ઉપાસકો અને સાધકોના યોગક્ષેમની સંભાળ લે છે તેમ જ શુભ મનોકામના પૂર્ણ કરે છે. આ શાસનદેવીઓનાં પૂજન-અર્ચન-સ્તવન-સ્તોત્ર આદિનું વિપુલ સાહિત્ય આ ગ્રંથમાંથી પણ મળી રહેશે. આ લેખની સામગ્રી તૈયાર કરવામાં શ્રી સી. વી. રાવળ સાહેબે (સારી જહેમત લીધી છે, જે બદલ અમો એમના આભારી છીએ. -- સંપાદક)
૧. આદ્ય-8ષભદેવ : તેમનો વર્ણ કનક જેવો છે, તેમનું ચિહ્ન બળદનું છે. તેઓ ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા છે. તેમની રાશિ ધન છે.
ગોમુખ તેમના આદ્ય યક્ષ છે; તેનો વર્ણ સોનાનો, વાહન હાથીનું, હાથ ચાર છે. જમણા બે હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર તથા ડાબા બંને હાથમાં માતુલિંગ અને પાશ છે.
તેમનાં શાસનદેવી ચકેશ્વરી છે. તેમનો વર્ણ સોનાનો, વાહન ગરુડનું અને તેમને આઠ ભુજાઓ છે. જમણા હાથોમાં વરદમુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે, જ્યારે ડાબા હાથોમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશ છે.
ર, અજિતનાથ : તેમનો વર્ણ સોનાનોતેમનું ચિહન હાથીનું, રોહિણી નક્ષત્રમાં જન્મ અને રાશિ વૃષભ છે. મહાયક્ષ નામે તેમનો યક્ષ છે. તે યક્ષને ચાર મુખ, શ્યામ વર્ણ, માતંગ(હાથી)નું વાહન અને આઠ હાથ છે. જમણા હાથમાં વરદમુદ્રા, મગદળ, રુદ્રાક્ષસૂત્ર અને પાશ છે તથા ડાબા હાથમાં બીજોરું, અભયમુદ્રા, અંકુશ અને શકિત છે.
તેમને અજિતા (અજિતબલા) નામે યક્ષિણી (શાસનદેવી) છે. તેનો વર્ણ ગૌર છે. તેને ચાર હાથ છે. તેના જમણા હાથમાં વરદમુદ્રા અને પાશ તથા ડાબા હાથમાં બીજપૂરક અને અંકુશ છે.
૩. સંભવનાથ : તેમનો વર્ણ સોનાનો છે. ચિહ્ન ઘોડાનું છે. મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મ છે. રાશિ મિથુન છે. તેમને ત્રિમુખ નામે યક્ષેશ્વર છે. યક્ષને ત્રણ મુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, મોરનું વાહન અને છ ભુજાઓ છે. જમણા હાથમાં નોળિયો, ગદા અને અભયમુદ્રા છે ને ડાબા હાથમાં માતુલિંગ, નાગ અને રુદ્રાક્ષસૂત્ર છે.
દુરિતારિ' નામે દેવી છે. તેનો વર્ણ ગૌર છે. વાહન ઘેટાનું છે. ચાર હાથ છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે.
૪. અભિનંદન સ્વામી : કનક જેવી કાંતિ, ચિહ્ન વાનરનું, શ્રવણ નક્ષત્ર છે અને મકર રાશિ છે. 'ઈશ્વર' નામે યક્ષ છે. તેનો વર્ણ શ્યામ, વાહન ગજ અને હાથ ચાર છે. જમણા હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org