SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના શિયાવાડા ગામેથી પણ ખોદકામ દરમિયાન ધાતુ-પ્રતિમાઓ મળી આવેલી. પાર્શ્વનાથની આ ધાતુ-પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા સંવત ૧૫૮૮ (ઈ.સ. ૧૫૩૨)ની, જ્યારે દ્વિતીય પ્રતિમા સંવત ૧૭૮૫ (ઈ.સ. ૧૭૨૯)ની છે. આ પદ્માસનસ્થ પ્રતિમાના પૃષ્ઠભાગે સર્પ સપ્તફણા સાથે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આમ, ગુજરાતમાંથી ખૂબ બહોળા પ્રમાણમાં પાર્શ્વનાથની પ્રતિમાઓ મળી આવેલી છે. પદ્માવતી દેવી : વરાહપુરાણકારે૮ દેવી પદ્માવતીનું સ્થાન પદ્મકોશ ઉપર સૂચવેલું છે, જેના આધારે તેનું નામ પદ્માવતી પડેલું જણાય છે. પશ્ચિમ ભારતમાંથી મળી આવેલી પાર્શ્વનાથની પ્રતિમા સાથે, આગળ જણાવી ગયા તેમ, ઈ.સનના દસમા શતક પછીથી પદ્માવતી શાસનદેવીની પ્રતિમા મૂકવાની પરંપરા જોવા મળે છે, જ્યારે દસમા શતક અગાઉની પ્રતિમા સાથે અંબિકા યક્ષિણીની પ્રતિમા જોવા મળે છે. ૧૯ એક તાંત્રિક દેવી તરીકે પદ્માવતીની ઉપાસના વધતાં, પદ્માવતી દેવીનો મહિમા વધુ પ્રભાવક બન્યો હોવાનું જણાય છે. જો કે પદ્માવતી દેવીના સ્વતંત્ર મંદિરનો ઉલ્લેખ કારવાર જિલ્લાના બનવાસી નજીક ગદનાપુર ખાતે મળી આવેલા કદંબા રવિવર્મા (ઈ.સ. ૪૮૫-૫૧૯)ના શિલાલેખમાં જોવા મળે છે. રકત વર્ણની પદ્માવતીનું વાહન કક્કટ છે. લીલાવતી પરાણ ૨૧ મુજબ ચતુર્ભુજાઓમાં પધ પાશ, અંકુશ ને બિજોરું ધારણ કરે છે. વિવિધ ગ્રંથો પૈકી રૂપમંડન ત્રિષષ્ઠિ અને શિલ્પરત્નાકરમાં કુક્કટ સાથે સર્પનું વાહન હોવાનું વિશેષમાં નોંધાયું છે. દિગંબર ગ્રંથોમાં સૌથી જૂના ગ્રંથ પ્રતિષ્ઠાસારસંગ્રહમાં પદ્માવતીને ચાર, છ, આઠ કે ચોવીસ હાથ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. ચતુર્ભજ દેવી હોય તો બે હાથમાં પદ્મ, તુતીય કરમાં અંકુશ અને ચતુર્થમાં માળા ધારણ કરેલી હોય છે. જો છ હાથની પ્રતિમા હોય તો આયુધોમાં અનુક્રમે પાશ, પગ, ભાલો, અર્ધચંદ્ર, ગદા તેમજ દંડ હોવાના ઉલ્લેખો જોવા મળે છે. અષ્ટભુજ પ્રતિમા હોય તો ઉપર્યુકત આયુધો ઉપરાંત મુશળ તેમ જ વરદ કે અભય મુદ્રા વ્યક્ત કરવાનું જણાવાયું છે. ચોવીસ હાય હોય તો દેવીના હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ખગ્ગ, બાલેન્દુ, પદ્મ, નીલપદ્મ, ધનુષ, ભાલો, પાશ, કુશ, ઘંટા, બાણ, દંડ, ઢાલ, ત્રિશૂલ, કુઠાર, વજ, માલા, ફળ, ગદા, પત્ર, પલ્લવ વગેરે આયુધો મૂકવા સુચવેલું છે. જો કે યક્ષિણી સાથેનું વાહન કુશ્કટ, સર્પ, પાશ, અંકુશ વગેરે આયુધો દર્શાવવાની પરંપરા ૧૧મા શતકથી શરૂ થયેલી હોવાનું જણાય છે.૨૩ વળી દેવગઢ, ખજુરાહો, લખનૌ (રાજ્ય સંગ્રહાલય), વારાણસી વગેરે સ્થળોએ નોંધાયેલી ૧૧મી-૧૨મી સદીની પદ્માવતી દેવીની પ્રતિમાઓમાં પદ્મ, કલશ, અંકુશ, પાશ ઉપરાંત વિશિષ્ટતા રૂપે પુસ્તક પણ દર્શાવવામાં આવતું. ૨૪ ભૈરવ પદ્માવતી કલ્પમાં પદ્માવતીનાં છે સમાનાર્થ નામોનો ઉલ્લેખ જોવા મળે છે :- (૧) તોતલ, (૨) ત્વરિતા, (૩) નિત્યા, (૪) ત્રિપુરા, (૫) કામસાધિની અને (૬) ત્રિપુર ભૈરવી. ઉપરના જણાવેલાં છ સ્વરૂપોનું નિરૂપણ નીચે મુજબ જોવા મળે છે : (૧) તોતલા : પાશ, વજ, ફળ અને કમળ ચાર ભુજામાં ધારણ કરેલાં હોય છે. (૨) ત્વરિતા : શંખ, કમળ, અભય અને વરદ એમ ચાર ચતુર્ભુજ હોય છે, જેનો વર્ણ સૂર્ય જેવો હોય છે. (૩) નિત્યા : પાશ, અંકુશ, કમળ અને અક્ષમાલા ચારેય ભુજામાં ધારણ કરેલાં છે. હંસ એ વાહન છે. સૂર્ય જેવો વર્ણ છે. જટામાં બીજનો ચંદ્ર જોવા મળે છે. (૪) ત્રિપુરા : આઠ ભુજાઓમાં શૂળ, ચક્ર, કળશ, કમળ, ધનુષ, બાણ, ફળ અને અંકુશ ધારણ કરેલાં છે. કંકુ વર્ણનાં દેવી છે. (૫) કામસાધિની : ચાર કરમાં શંખ, કમળ, ફળ અને વરદ ધારણ કરેલાં છે. વર્ણ પુષ્પ જેવો છે. કુફ્ફટ-સર્પનું વાહન છે. (૬) ત્રિપુરભૈરવી : પાશ, ચક્ર, ધનુષ, બાણ, ઢાલ, તલવાર, ફળ અને કમળ આઠ ભુજાઓમાં ધારણ કરેલાં છે. ઇન્દ્રગોપ જેવો વર્ણ છે. ત્રિનેત્ર ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy