________________
૪૮૨ ]
શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમના અધિષ્ઠાયકોમાં શિરોમણિ શ્રી પદ્માવતીજી
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
* હિતેશ એસ. શાહ
પ્રતિમાવિધાનના પરિપ્રેક્ષ્યમાં શ્રી હિતેશભાઈ શાહનો આ સંશોધનલેખ ખૂબ જ માહિતીસભર છે. સમયે-સમયે દેવીજીના ઐતિહાસિક સંદર્ભો સૈકાવાર પ્રાપ્ત થયા તેનો નિચોડ અત્રે રજૂ કરાયો છે.
નવમી-દસમી સદી સુધીમાં મૂર્તિવિધાનની દૃષ્ટિએ જિનમૂર્તિવિધાન પૂર્ણ વિકસિત થયું હતું અને આવી પૂર્ણ વિકસિત મૂર્તિઓમાં લાંછનો, યક્ષ-યક્ષિણી યુગલો અને અષ્ટ-પ્રાતિહાર્યોની સાથે નવગ્રહ મહાવિદ્યાઓ તેમ જ અન્ય આકૃતિઓ અંકિત થવા લાગી હોવાનાં દષ્ટાંત મળે છે. સંપાદક
ભારતીય ધર્મપરંપરાના ઇતિહાસમાં એક બ્રાહ્મણ અને બીજી શ્રમણ, એમ બે પરંપરાઓ પોતાની આગવી વિશિષ્ટતાઓથી પ્રચલિત છે. આ બન્ને પરંપરાઓ પૈકી પ્રથમ પરંપરામાંથી વૈદિક ધર્મનો ક્રમિક વિકાસ થયો, જ્યારે દ્વિતીય પરંપરામાંથી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો. જૈન ધર્મ 'શ્રમણ' અને 'નિગ્રંથ' નામે જાણીતો થયો. જેમાં શ્રમણ એટલે કે 'શ્રમ' અને નિગ્રંથ એટલે કે ગ્રંથિ વિનાનો, અને બીજો અર્થ ધર્મોપદેશક થાય છે. જે આત્મા સાથે સંકળાયેલાં તમામ કર્મબંધનોનો નાશ કરી, રાગ-દ્વેપાદિ ઉપર વિજય પ્રાપ્ત કરે તેને જિન કહેવામાં આવે છે. કઠોર તપ વડે પોતાના આંતર શત્રુઓને હણીને તેમના ઉપર વિજય મેળવનાર તે 'અર્હત', અને આ અર્હતો કેવળજ્ઞાન મેળવ્યા બાદ 'તીર્થ' એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના બનેલા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તેથી તેઓ 'તીર્થંકર' કહેવાય છે. હિન્દુ ધર્મ તેમ જ બૌદ્ધ ધર્મની જેમ, જૈન ધર્મમાં પણ ચોવીસ જિનો થયા. ચોવીસ જિનો પૈકી ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ તથા મહાવીરસ્વામી વધુ પ્રભાવક ગણાયા.
ઈ.પૂ. ૮૧૭ની સાલમાં બનારસમાં રાજા અશ્વસેનની રાણી વામાદેવીને ત્યાં પાર્શ્વનાથનો જન્મ થયો. પાર્શ્વનાથના જન્મ પહેલાં રાણીએ પોતાની શય્યાની બાજુમાંથી નાગને પસાર થતો જોયો, જેના ઉપરથી પાર્શ્વનાથ નામ પાડવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે." આ ઉપરાંત પાર્શ્વનાથના સર્પ સાથેના સંબંધ અંગે પણ ધર્મગ્રંથોમાં અલગ-અલગ કથાઓ જોવા મળે છે. કમઠ નામનો તાપસ પંચાગ્નિ તપ કરી રહ્યો હતો ત્યારે સળગતા કાષ્ઠમાંથી પાર્શ્વકુમારે બળતા સર્પને કઢાવી તેને નવકારમંત્રના શ્રવણપૂર્વક અંતિમ સમયે સમાધિ અપાવી હતી. ત્યારબાદ જ્યારે પાર્શ્વનાથ દીક્ષાવસ્થામાં ધ્યાનમાં હતા તે દરમિયાન આ કમઠ સાધુએ પછીના ભવે મેઘમાળીના ભવમાં તેમના પર ઉપસર્ગો કર્યા ત્યારે પોતાના પરોપકારી શ્રી પાર્શ્વનાથનું એ સર્વે પછીના ભવે ધરણેન્દ્રના ભવમાં રક્ષણ કર્યું. મૂર્તિશાસ્ત્ર પ્રમાણે સર્પ યક્ષનું પ્રતીક જણાય છે. દેવભદ્રના કથનાનુસાર, ધરણેન્દ્ર પાર્શ્વનાથની પૂજા માટે આવેલા. ડૉ. યૂ. પી. શાહના મતાનુસાર પાર્શ્વનાથનું લાંછન સર્પ નાગ સંપ્રદાય કે નાગ જાતિનો સંબંધ સૂચવે છે. કમઠ સાધુ પાર્શ્વનાથ પર હુમલો (ઉપસર્ગ) કરતો હોય તેવા પ્રસંગવાળી, છઠ્ઠી-સાતમી સદીની પ્રતિમા બાદામીની ગુફામાં તેમ જ ઐહોલે ગુફામાં પણ જોવા મળે છે. પલ્લવ કલાવાળી, આઠમી સદીની, આરકોટ જિલ્લાના તીરક્કોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org