________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૪૮૧
જૈનધર્મમાં ચોવીસ તીર્થંકરની શાસનદેવીઓમાં પદ્માવતી દેવી આજે સૌથી વધુ પ્રચલિત છે, વધુ પૂજિત છે. પદ્માવતી દેવીનો રકત અને સુવર્ણ જેવો ચળકતો રંગ આત્માનો ઉજાસ સૂચવે છે. કુફ્ફટ અને સર્પ જીવજંતુ અને પશુસૃષ્ટિ પ્રત્યે પ્રેમ દર્શાવે છે. હાથમાં આયુધોનો પણ ગહન અર્થ છે. 'પા' આદિકાળથી પવિત્રતા અને સુંદરતા માટે પ્રચલિત છે. કમળનો ગુણ (જળકમળવતુ” શબ્દથી સૂચવે છે નિર્લેપતા અને અનાસકિત. કમળ વિશ્વની ઉત્પત્તિ સૂચવે છે. પદ્મમાં મધુરસ હોય છે, જે જીવ માત્રમાં મધુર રસ સુચવે છે. “પાશ' જીવ-જીવને, માનવ-માનવને બાંધતા વ્યાપક પ્રેમભાવનું દર્શન કરાવે છે. અંકુશ' આત્મસંયમ અને દેહદમનની ભાવના રજુ કરે છે. જ્યારે બીજોરું' એક શુકનવંતુ ફળ કહ્યું છે.
પદ્માવતી દેવીની મૂર્તિઓ પાષાણમાં અને ધાતુમાં સુંદર રીતે કંડારેલી જોવામાં આવે છે. આવી મૂર્તિઓ ગુજરાતમાં પણ જોવામાં આવે છે, જેમાં પ્રભાસપાટણ, જૂનાગઢ, શત્રુંજય, શંખેશ્વર, ભાવનગર, અમદાવાદ--નરોડાનાં પાણ્વનાથ મંદિરમાંની મૂર્તિઓ પ્રસિદ્ધ છે. આવાં અનેક શિલ્પો, સ્થાપત્યો, મૂર્તિઓ ભારતમાં અને એશિયાખંડમાં હજી જીવંત છે. ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરે છે. શ્રી પદ્માવતી દેવીનું દર્શન આપણે એવી જ ભવ્ય ભાવનાથી આજે પણ કરીએ.
| \
-
:
છે
\
જી
શાસન રક્ષિકા શ્રી પંચાંગુલી દેવી ઓસીયા (રાજપૂતાના) ફોટો પ્રાપ્ત : પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org