________________
૪૮૦ ]
| શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી
તથા જોર્ડન અને ભૂમધ્ય સમુદ્રમાંથી--કેનાનમાંથી--પણ વૃ૫ની મૂર્તિના અવશેષો મળી આવ્યા છે. આમ, આ બધાં પ્રાચીન સ્થળોમાં પૂર્વે સૂર્ય, માતૃકા, વૃભ આદિ દેવ-દેવીરૂપે પૂજાતાં હતાં.
ઈજિપ્ત, ઇરાક, સુમેર વગેરે દેશોમાં સૂર્યમંદિરો તેમ જ દેવ-દેવીઓની મૂર્તિઓ લુપ્ત થતાં ગયાં. અદ્વૈતવાદ અને એકેશ્વરની માન્યતા દઢ થઈ, જે મધ્યપૂર્વમાં ખ્રિસ્તીધર્મમાં અને ઇસ્લામધર્મમાં જીવંત બની. પ્રાચીન ભારત, મેસોપોટેમિયા અને ઈજિપ્તની સંસ્કૃતિનાં મૂળિયાંમાંથી સિંચાઈ ઉત્તર-પશ્ચિમના પ્રદેશો -- ક્રીટ, ગ્રીસ, રોમ વગેરે સારાયે પશ્ચિમના પ્રદેશોને પોતપોતાની રીતે આવરી લીધા. ભારતીય સંસ્કૃતિ એ જ ભારતની વિશિષ્ટતા છે. સાધુતા, સાત્ત્વિકતા અને આધ્યામિકતા સાથે સંસ્કૃતિનું આપણા પૂર્વજોએ ભવ્ય દર્શન કર્યું છે. આપણાં દેવ-દેવીઓ ઋગ્વદા સમયના આર્ષદ્રષ્ટા ઋષિઓની ભવ્ય કલ્પનાઓમાંથી સર્જાયો છે. યુગો પહેલાં ભારતે અનેક કુદરતી તત્ત્વમાં એક જ ચૈતન્યની ઝલક નિહાળી. દેખાતી વિવિધતામાં એક જ તત્ત્વ જોયું અને તે તત્ત્વને આદરભાવથી. પૂજ્યભાવથી પોતાના હૃદયની વેદી પર બેસાડ્યું. ઇન્દ્ર, વરણ, અગ્નિ, સંધ્યા, ઉપા, પર્જન્ય વગેરેને આરાધ્યાં. પછીથી બીજા ત્રણ વેદોનું સર્જન પણ થયું. કર્મકાંડનો જમાનો પણ આવ્યો. ઉપનિષદો, પુરાણો, બ્રાહ્મણો પણ સર્જાયાં. પછીના યુગમાં અનેક દેવ-દેવીઓની મૂર્તિઓનું સર્જન થયું -- અને તેત્રીસ કરોડ દેવતાઓની ગણના થઈ.
આ બધી ઉત્ક્રાંતિમાં બે મુખ્ય દેવોની ધર્મપુજા--એક વૈષ્ણવ અને બીજી શિવ--મોખરે આવે છે. તેત્રીસ કોટિ દેવતાઓની યુગોથી ચાલી આવતી દૈવી લડત પછી વૈષ્ણવ અને શૈવ સૌથી પ્રાધાન્ય પામ્યા, અને તેના પંથ વિશાળ બન્યા. જો કે, આ બધાંની પાછળ પણ એક જ અદશ્ય શક્તિ-સર્વોપરી શકિત-આદિશકિતની શોધ હતી. પ્રભુ એક જ છે તે સિદ્ધાંત સ્થાપાયે જતો હતો. આ બે શાખા વિકસતી હતી ત્યારે સૌથી છેલ્લે શકિતપંથ અસ્તિત્વમાં આવ્યો. બ્રહ્માંડની એ મહાન, નિરંજન, નિરાકાર, સર્વવ્યાપક સ્ત્રીશકિતના સ્વરૂપમાં આદ્યશકિતની ભાવના મળે છે. આ શકિતની પૂજા માતાના સ્વરૂપમાં શરૂ થાય છે. આપણા પૌરાણિક ઋષિમુનિઓ આ બ્રહ્માંડની શક્તિને આપણી સમક્ષ મહાલક્ષ્મીના રૂપમાં મૂકે છે. એ આદ્યશકિત મહાલક્ષ્મીમાંથી સત્ત્વ, રાજસ્, અને તમારું રૂપે ત્રણ મહાદેવીઓ સર્જાય છે - મહાસરસ્વતી એટલે સત્ત્વગુણ પ્રધાન, મહાલક્ષ્મી એટલે રસગુણ પ્રધાન અને મહાકાલી એટલે તમસગુણપ્રધાન. આખું બ્રહ્માંડ આ ભાવોથી ઓતપ્રોત છે. ત્યાર પછી આ દેવીઓની મહત્તા વધતી જાય છે. દિવસો જતાં આવી દેવીઓનાં ગણ્યા ગણાય નહીં એટલાં સ્વરૂપો અને મૂર્તિઓ સર્જાયા છે. મૂર્તિઓ પ્રથમ કયારે સર્જાઈ છે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે; પરંતુ વૃષભ અને માતૃકાઓ તેમ જ શિવલિંગો તો તામ્ર અને પાપાણયુગથી, એટલે કે ૪૦૦૦ થી ૫૦૦૦ વર્ષથી મળી આવે છે.
પ્રાચીન સાહિત્ય અને પુરાતત્ત્વના અવશેષો દ્વારા એમ જણાય છે કે, મૂર્તિઓ જૈનધર્મમાં પણ પ્રાચીનકાળથી અસ્તિત્વમાં હતી. ૨૪ તીર્થકરોનાં પૂજન-અર્ચન સાથેસાથે ક્રમેક્રમે અન્ય ધર્મોની જેમ દેવ-દેવીઓ, યક્ષ-યક્ષિણીઓ, અને અન્ય દેવીઓ ઉમેરાતાં ગયાં. શાસનદેવીઓ, વિદ્યાદેવીઓ વગેરે દેવીઓનાં સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં. તંત્રવિધાનોમાં દેવ-દેવીઓના ૫ પ્રક જૈનદેવીઓમાં ખાસ કરીને ત્રણ પ્રકારો જોવામાં આવે છે : પ્રાસાદદેવીઓ, સંપ્રદાય દેવીઓ અને કુળદેવીઓ. આ બધી દેવીઓમાંથી આજે તો આપણે ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના યક્ષ સાથેની યક્ષિણી, જે પદ્માવતી દેવી તરીકે જાણીતી છે તેનું ધ્યાન ધરીશું.
ગ્રંથ-જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ'માં આ દેવીનું વર્ણન આપ્યું છે. રંગે લાલ, છતાં હેમવર્ણી, કુફ્ફટ વાહન, ચાર હાથમાં પદ્મ, પાશ, અંકુશ અને બીજોરું ધારણ કરેલ છે. કેટલાક ગ્રંથોમાં આ દેવીના આઠ કે ચોવીસ હાથ પણ નોંધાયા છે. વેદધર્મમાં પણ પદ્માવતીનું સ્થાન છે, જેમાં તે મહાલક્ષ્મી ઓળખાઈ છે. પરંતુ જૈનધર્મમાં તેનું સ્થાન અપૂર્વ છે અને તેના તંત્રગ્રંથોમાં પણ અદ્વિતીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org