________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૪૭૯
દરેક ધર્મમાં દેવદેવીઓનું સ્થાન અને માહાત્ય
* જયેન્દ્રભાઈ નાણાવટી પ્રાચીન ગ્રંથો અને પુરાતત્ત્વના અવશેષો દ્વારા દેવદેવીઓની વિપુલ માહિતી મળે છે. ખજુરાહો હોય કે પાટણની રાણકી વાવ હોય, કચ્છ વગેરેમાં ખોદકામ કરતાં મળી આવેલા ટીંબા હોય કે અજન્ટાની ગુફાઓ હોય, કાશીનું મંદિર હોય કે રાણકપુરના જિનપ્રાસાદની કલાકારીગરી હોય, જેસલમેરનો ગ્રંથભંડાર હોય કે પાટણનો ગ્રંથભંડાર હોય -- આવાં અનેક માધ્યમો દ્વારા આપણને દેવ-દેવીઓના સ્થાનની માહિતી સંપ્રાપ્ત થાય છે. પુરાતત્ત્વવિદ્યાના પ્રખર અભ્યાસી શ્રી જયેન્દ્રભાઈ નાણાવટીના આ લેખમાં વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં નિર્ગુણ-નિરાકાર ચિતિશકિતને સગુણ સાકાર રૂપે કયાં કયાં કેવી રીતે ઉપાસવામાં આવી તેનો ઊંડાણપૂર્વકનો પરિચય કરાવી, શ્રી શ્રી પદ્માવતીજીના સ્વરૂપની પણ સુપેરે ઝાંખી કરાવવામાં આવી છે.
-- સંપાદક, પાંચ હજાર વર્ષ પહેલાં સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ ત્રણ સ્થળોએ સંસ્કૃતિનો સૂરજ ઉદિત થયો : ભારતમાં સિંધુ નદીને કિનારે, ઇરાકમાં યુક્રેટીસ અને કૈગ્રિસ નદીના કિનારે તથા ઇજિપ્તમાં નાઇલ નદીના કિનારે. ત્યારબાદ ઇરાન, કીટ, ગ્રીસ, રોમ, યુરોપ, ચીન, જાપાન વગેરે દેશોમાં સંસ્કૃતિનાં અજવાળાં પથરાતાં ગયાં. સંસ્કૃતિના ઉદય અને પ્રસાર સાથે, પ્રકૃતિનાં ગૂઢ પરિબળો સામે ટકી રહેવા માનવહૃદયમાં સદભાવના અને તેમાંથી ધર્મભાવનાનાં બીજ રોપાયાં. આ સદભાવનાનાં ફળસ્વરૂપે ક્રમે ક્રમે કળા-કારીગરી પણ અસ્તિત્વમાં આવ્યાં. પ્રકૃતિની અદશ્ય શકિતને અનેક રૂપો-આકારોમાં કલ્પી, માનવીની અલગ અલગ ભાવનાઓ રજૂ કરતી દેવદેવીઓની મૂર્તિઓ અને સ્વરૂપો પણ અસ્તિત્વમાં આવ્યાં. કુદરતનાં અદશ્ય, ગૂઢ, નિરંજન, નિરાકાર એવા સ્વરૂપને સાકાર કરવાની અને તેની પ્રત્યક્ષ પ્રતીતિ પામવા માટે નક્કર અવલંબનની જરૂર જણાઇ. પરિણામે, જુદાં જુદાં પ્રતીકો-આકારો અસ્તિત્વમાં આવ્યાં. અને ત્યાર પછી તો મૂર્તિઓ, મંદિરો, સ્તૂપ, દેવળો, મસ્જિદો, સીનાગોગ, ગુરદ્વારા આદિનાં સર્જન થવાં લાગ્યાં. જગતના સાંસ્કૃતિક ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસમાં આ શિલ્પ-સ્થાપત્યનો પણ અમૂલ્ય ફાળો છે.
પહેલાં દર્શાવી તે પ્રાચીન ત્રણ સંસ્કૃતિમાં આજે માત્ર ભારતીય સંસ્કૃતિ જ જીવંત રહી છે. તેનાં મંત્રો, મંદિરો, સ્તૂપો, મૂર્તિઓ, ગ્રંથો વગેરે આજપર્યત ઠેર ઠેર વિદ્યમાન છે. જ્યારે અન્ય સંસ્કૃતિ-ઇજિપ્ત કે ઇરાકની કળાકારીગરી, મૂર્તિઓ વગેરેનાં દર્શન કરવા હોય તો જે તે દેશના મ્યુઝિયમમાં જવું પડે. તે ધર્મો કે મૂર્તિપૂજાઓ હાલ ચાલુ નથી.
સુમેર, બેબીલોન, મેસોપોટેમિયાનાં દેવ-દેવીઓમાં, સુમેરિયાની માટીની મુદ્રામાં, જે હાલ પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં સચવાઇ રહી છે તેમાં પંદર દેવ-દેવીઓનાં નામો છે. ઈમેશવર અને નીમેશવર જેવાં નામો ઉપરાંત, સમાસ એટલે સૂર્યનું નામ પણ છે. અકાડિયન મુદ્રામાં હંસવાહિની દેવી છે, જે ફળ-ધારિણી છે. તેનું નામ ઇશતાર છે, જે સુમેરમાં અને મેસોપોટેમિયામાં છે. આવી અનેક દેવ-દેવીઓ ઉપરાંત, ઈ.સ. પૂર્વે ૩૫૦૦માં વપભપૂજા પણ હતી તેની પ્રતીતિ કરાવતી સોના જેવી ચળકતી કાંસાની મૂર્તિઓ પણ ત્યાંથી મળી આવી છે. ઇજિપ્તમાંથી અનેક દેવ-દેવીઓની મૂર્તિઓ મળી આવી છે, જેમાં સેથ, હર૫, નેવેલી, બૂટો, ઓસીટીસ, રા એટલે સૂર્ય, ઇસિસ દેવી અથવા ઇસથાર જેવી માતૃકાઓ, નેપથીસ, સીલ વગેરે વગેરે છે. આ ઉપરાંત, સુમેર, ઈઝરાયલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org