________________
૪૭૪ ]
આદેશ મળવાથી હું એ મુજબ કરું છું, અને એનાથી મારું કલ્યાણ થઇ રહ્યું છે. આ પણ અજબ જ કહેવાય ને ! ?
આ ઉપરાંત બીજા પણ નાના-મોટા ઘણા અનુભવો થયા છે, પરંતુ એ બધાને અક્ષરદેહ અપાય નહીં. ફકત જિજ્ઞાસુ જીવોના સંતોષ ખાતર વાનગી રૂપ થોડાક અનુભવો રજૂ કર્યા છે. કોઇને આમાં પોતાની મોટાઇ કે ડંફાસ મારવાનું જણાય, કોઇને આત્મશ્લાઘા જેવું પણ કદાચ જણાય. આવી સંભાવના નકારી કાઢતો નથી, તેમ છતાં પણ સાધકને વર્તમાનકાળમાં પણ સાધનાનું ફળ અવશ્ય મળે જ છે, એ વાતની પ્રતીતિ થાય એટલા માટે જ શક્ય એટલી સાવચેતી રાખીને ટૂંકમાં રજૂઆત કરી છે.
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
એક વાત જાત-અનુભવની એ પણ છે, કે આપણી સાધનામાં જેટલી નિષ્કામ ભાવના વધારે એટલી સિદ્ધિ વધારે અને ઝડપથી મળશે. અને મને અમુક વસ્તુ મળે કે મને સિદ્ધિ મળે, એવી પણ ભાવના હશે તો વિલંબે સિદ્ધિ મળે અને કદાચ ન પણ મળે.
સિદ્ધિ - પછી એ નાની હોય કે મોટી હોય, સામાન્ય હોય કે વિશિષ્ટ હોય; પરંતુ સિદ્ધિ મળે તે પછી તેને પચાવતાં આવડવું જોઇએ. જો પચાવી ન શકે તો સૌથી પહેલું નુકસાન એ કે તે આગળ વધી નથી શકતો, અને બીજું નુકસાન, જે કંઇ મેળવેલું હોય છે તે ધીમે ધીમે ચાલ્યું જાય એવું પણ બને. આવા પણ બે-ત્રણ બનાવો જાણવા મળેલા છે. ઇત્યલમ્.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org