________________
૪૫૮]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
પંચભૂત પરમેષ્ઠી પંચઈન્દ્રી પરાજય. ધુરિ મંત્ર યંત્ર ધંકારિ ધુરિ, સિધ સાધક ભાપતિ સહ; ભદ્રસાર પયંપઈ ગુર સંમત ઉદેપુત્ર ઓંકાર કહિ.' આમ, અહીં 'ને પરમેશ્વરનું રૂપ ગણાવેલ છે.
શ્રીસાર પાઠક 'સારબાવની' (અથવા 'કવિતબાવની')માં સં. ૧૬૮૯માં રચાયેલ મારવાડી-ગુજરાતી ભાષામાં પ્રણવનો મહિમા આ રીતે ગાય છે :
‘ૐ ૐકાર અપાર પાર તસુ કોઇ ન લક્ષ્મીય, સવકપર સિરતાજ મંત્ર ધરિ કવિયણ ગભય, અર્ધચંદ આકારિ ઉવરિ મીડઇ જસુ સોહઈ, જે સેવઇ ચિત લાઈ તિકે તિહુઅણ મન મોહબ, સાધિક સિદ્ધ જોગી જતિ, જાસુ બાન અહનિસિ કરઈ, કવિ સાર કહઈ ૐકાર જપિ, કાંય સયણ ભુલ્લો ફિરઇ.” (૧) ભાવ કવિ (?) ૧૭મી સદીમાં પાપપુણ્યની ચોપાઈ રચતાં આદિમાં લખે છે : ૐ નમો શ્રી વીતરાગાય...' શ્રી નયસુંદર સં. ૧૬૧૮ની યશોધર નૃપ ચોપાઈ'ની આદિમાં લખે છે : "ૐ નમ: શ્રી જૈનભારત્યે...” શ્રી મંગલ માણેક સં. ૧૬૩૯ની અંબડ કથાનક ચોપાઈ'ની શરૂઆતમાં લખે છે : ‘સદા સંપદ સદા સંપદ રૂપ ઑકાર...' શ્રી વાદિચંદ્ર શ્રીપાલ આખ્યાન' (સં. ૧૬૫૧)માં આદિમાં લખે છે : 'ૐ નમઃ સિદ્ધ...” શ્રી કૃષ્ણદાસ દુર્જનસાલ બાવની' (સં. ૧૬૫૧)નો આરંભ આ રીતે કરે છે : 'ૐકાર અનંત આદિ સુરનર મુનિ ધ્યાવહિ, જિક પંચ પરમેષ્ટિ તુસઉ સબઇ સમણિ પાવહિ, મહામંત્ર મુષિ એહ સિદ્ધ સાધિક સબ જાણહિ.' આમ પ્રણવને મુખ્ય મહામંત્ર ગણાવ્યો છે. શ્રી જિનહર્ષ-જસરાજ દોહાબાવની' (સં. ૧૭૩૦)ના આરંભે લખે છે : 'ૐ યહ અક્ષર સાર છે, એસા અવર ન કોઇ...” આ જ કવિ જસરાજ બાવની' અથવા 'ૐકાર બાવની'માં (સં. ૧૭૩૮)માં લખે છે : ૐકાર અપાર જગત આધાર સર્ષે નરનારી સંસાર જપે છે, બાવની અક્ષર માહિં ધૂરાક્ષર જ્યોત પ્રદ્યોતન કોટિ તપે છે; સિદ્ધિ નિરંજન ભેષ અલેપ સરૂપ નિરૂપ જોગેન્દ્ર જપે છે, એસો મહાતમ છે ૐકાર કો પાપ જસા જાકે નામિ પે હૈ. (૧).
શ્રી ધર્મવર્ધન-ધર્મસિંહ પાઠક (સં. ૧૭૨૫માં) ધર્મ(ભાવના) બાવની' (હીંદી)માં 'ઓમ'નો મહિમા આ રીતે ગાય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org