________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
કંઈક વિચારણીય
અહીં જે કંઈ રજૂ કરવામાં આવ્યું છે તેમાં બધું મૌલિક પ્રદાન હોવાનો દાવો નથી – ન હોઈ શકે. ઈશકૃપાથી, ગુરુકૃપાથી અને સ્વાધ્યાય દ્વારા જે પ્રાપ્ત થયું હોય તેને જ અહીં શબ્દોમાં પ્રગટ કરવાનો વિવિધ લેખકો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવા મહાકાય ગ્રંથોને અને તેમાં રજૂ થયેલા વિષયોને આત્મસાત્ કરવાનો દાવો તો કોઈથી થઈ શકે તેમ નથી; પરંતુ આ દ્વારા પણ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને દર્શન – અને તેમાં પણ વિશેષ કરી જૈન ધર્મ અને દર્શનની યત્કિંચિત સેવા સંપન્ન થાય, જિજ્ઞાસુઓને તેમાંથી કાંઈક માર્ગદર્શન મળે અને મુમુક્ષુઓને કશુંક મહત્ત્વનું પાથેય પ્રાપ્ત થાય, તો ઉત્સાહી અને ઉદ્યમી પ્રકાશન- સંસ્થાનો લાંબા સમયનો આ અલ્પ પ્રયત્ન સફળ થયો લેખાશે.
પૂર્વાચાર્યો અને મુનિભગવંતોની આજ્ઞા અનુસાર પોતાની અધ્યાત્મ-સાધનાના ભાગરૂપે કરવામાં આવેલા સ્વાધ્યાય અને ગહન ચિંતન-મનનના એક દીર્ઘ પ્રયોગના પરિપાક રૂપે પ્રાપ્ત થયેલું આધ્યાત્મિક જીવનનું જે અનુભવ રૂપી નવનીત, તે યથાશક્તિ-મતિ રજૂ કરીને આલેખવાના પરિણામ રૂપ આ ગ્રંથનું ગઠન થયું છે. આમ કરવા જતાં અલ્પજ્ઞતા કે પ્રમાદવશ કાંઈ દોષો તેમાં પ્રવેશ્યા હોય તો તે પ્રત્યે સુજ્ઞ વાચકે અંગુલિનિર્દેશ કરીને અમને ક્ષમા કરવા વિનંતી છે.
ગ્રંથનો દર્શન વિભાગ
દર્શન શબ્દ સંસ્કૃતના યજ્ઞ – જોવું-નિહાળવું એવા અર્થના ધાતુ ઉ૫૨થી સિદ્ધ થાય છે. વ્યક્તિ અને પદાર્થોનું ચક્ષુઓથી થતું દર્શન જેમ બાહ્ય આકૃતિનો પરિચય કરાવે છે. જેમ સિંહ, વાધ કે દીપડાની આકૃતિ તેના સ્વભાવનો પરિચય આપી ભય પ્રેરે છે તો પુષ્પો જેવી પૂજાસામગ્રી દેવસ્વરૂપનું દર્શન કરાવી સાધકને આત્માભિમુખ બનાવે છે.
અમસ્તું પણ માનવનો વ્યવહાર ઇન્દ્રિયોના સાધનોવાળો હોય છે. બધી જ ઇન્દ્રિયોમાં નેત્રો સૌથી વધુ ઉપયોગમાં આવી અન્ય સર્વ વ્યવહારોને સુગમ બનાવે છે. નેત્રોને આકાર, રંગ, રૂપ, સજ્જા, વેશભૂષા, અલંકારો સહિતના દૃશ્યની ટેવ પડી છે. એથી ભક્તિમાર્ગમાં – ઉપાસનામાં પણ નેત્રો પરમ સહાયક બને છે. જન્મ-જન્માંતરોની તીવ્ર તપશ્ચર્યા પછી જેમણે ધાતી કર્મો પરિહર્યા અને નવીન કર્મો બાંધવાથી દૂર રહ્યાં તેવા પૂર્ણ જ્ઞાની, પૂર્ણ દર્શન, પૂર્ણ ચારિત્ર્યસંપન્ન અદ્વૈત પદે આરૂઢ થયેલા તીર્થંકર ભગવંતો કેવા હશે તે મૂર્તિઓ વિના શી રીતે સમજાય ?
માનવ સાધક તો બનવા ઇચ્છે જ છે. તેને પરમ સુખ મેળવવું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની સમ્યક્ આરાધના વિના સમકિત થવાય નહીં. આ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર્યની આરાધના માટે દેહની સ્થૂળતાથી ઉપર કીકી નેત્રોની આધિભૌતિક વિષયાવલીમાંથી બહાર નીકળી દિવ્ય દર્શન, દિવ્ય સૌંદર્ય ને દિવ્ય દેહનાં દર્શન પૂજન ધ્યાન માટે અનિવાર્ય છે.
સૌંદર્યના બે પ્રકારો જોઈએ તો અસ્થી, ચર્મ, માંસ, ત્વચાનાં પ્રાકૃત સૌંદર્યોનાશવંત, ક્ષણિક, અર્ધી પળમાં ગંધાઈ ઊઠે તેવાં છે, જ્યારે પુણ્યકર્મોના અતિપ્રબળ સંચયથી પ્રાપ્ત થતાં જે દેવોનું સૌંદર્ય તે
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org