________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
શ્રી પદ્માવતી માતાના કેટલાક ઉપયોગી મંત્રો
મૈં પૂ ભુવનશેખરસૂરિજી મ.સા. તથા યતિશ્રી મોતીલાલજી મ.
ધર્મારાધનામાં સ્તવનસ્તોત્ર પછીનું સ્થાન મંત્રજપનું લેખવામાં આવે છે. જ્યારે તંત્રકારોએ મંત્રનું મૂલ્ય સ્તવન-સ્તોત્ર કરતાં ઘણું વધારે આંકેલું છે. કહે છે કે આરાધ્ય દેવતાનું ક્રોડવા૨ સ્તોત્ર બોલો અને માત્ર એક જ વાર તેના મંત્રની માળા ગણો, બન્નેનું ફળ સરખું ગણાય છે. મંત્રજાપના આવા પ્રભાવ અને મહિમાથી આરાધકો પૂરા વાકેફ બને અને પૂરા ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મંત્રારાધનામાં જોડાય, એ તેનો હાર્દ છે. અહીં મંત્રસાધનાના ઊંડા જાણકાર પૂ. આચાર્યભગવંતશ્રી વિજયભુવનશેખરસૂરિજી મ.સા. અને પૂ.યતિવર્ય શ્રી મોતીલાલજી દ્વારા સંપાદિત જુદાં જુદાં પુસ્તકોમાંથી કેટલાક મંત્રો પ્રગટ કરાએ છીએ. આ પ્રભાવક, ઉપકારક અને દૈનિક જીવનમાં ઉપયોગી એવા મંત્રોનો-મંત્રજાપનો દરેક લાભ લે એમ ઈચ્છીએ. સંપાદક
[ ૪૨૫
સાધકે એટલું જાણવું જરૂરી છે કે કોઈ પણ દેવી-દેવતાના મંત્રોની સાધના સાધકની સામે અકાર્ય એવી બે શરતોની રજૂઆત કરે છે. પહેલા તબક્કે શ્રદ્ધા અને શુદ્ધિ જોઈએ. તે વિના સિદ્ધિનાં સોપાન ચઢી શકાય નહીં. યદ્યપિ 'શ્રદ્ધાવાન લભતે ફલમ્', કિન્તુ એનો અર્થ એ નથી કે શુદ્ધિમાં બગડે તગડું ચાલે. અતઃ આરાધક કે આરાધિકા ઉચ્ચારને માટે સદા સચેષ્ટ રહે. અહીં કેટલાક મંત્રો આપવામાં આવ્યા છે. સૌ કોઈ તેનો શ્રદ્ધા-શુદ્ધિપૂર્વક જાપ કરે અને તેનો પ્રભાવ પ્રાપ્ત કરે.
(१) ॐ ह्रीं श्रीं क्लीं देवी श्री पद्मावति मम रक्षां कुरु कुरु स्वाहा ।
આ સર્વસાધારણ મંત્ર કોઈ પણ કાર્ય પર ચાલી શકે.
(૨) ૩૪ દો એ વતી શ્રી પદ્માવતી ટ્રેન્યે નમઃ ।
સંકટ સમયની સાંકળ સમો આ મંત્ર પ્રતિદિન એક હજાર જાપ બરાબર પિસ્તાલીશ દિવસ સુધી અવિરત ચાલુ રાખવો જોઈએ. પછીથી કાયમ એક માળા ચાલુ રાખો.
(3) ॐ ह्रीँ हैं हस्क्लीं पद्म पद्म कटिनि नमोस्तु ते ।
કોઈ પણ અભીષ્ટ કાર્યની સિદ્ધિ માટે હમેશાં ત્રણ માળા ગણવી.
(४) ॐ पद्मावति पद्मनेत्रे पद्मासने सौभाग्यलक्ष्मीदायिनि वांछापूरणी
चिंताचरणी रूद्धिं सिद्धिं जयं विजयं कुरु कुरु स्वाहा ।
રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે તેમ જ કોર્ટ-કચેરી યા દુશ્મનની સામે જય મેળવવા માટે હમેશાં ત્રિકાલ એક એક માળા ગણતા રહો.
(૫)
જ્ વની શ્રી પદ્માવતી વેબૈ નમઃ ।
मम इष्ट सिद्धिं सौभाग्यं शीघ्रम् कुरु कुरु स्वाहा ।।
જે તમારા મનની અભિલાપિત વ્યકિત કે પદાર્થ હોય તેની સાથેના તૂટેલા તારને પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org