________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા
ગણવી. વાંછાન્યાસ, બાણન્યાસ અને અંગન્યાસ કરવા.
મા ભગવતી પદ્માવતીના પૂજનમાં યક્ષકર્દમનો જ ઉપયોગ કરવો. કપૂર, અગરનું લાકડું, કસ્તૂરી, ભીમસેની કપૂર (બરાસ) અને રક્તચંદન- આ બધી સુગંધી વસ્તુઓ એકત્ર કરવાથી યક્ષકર્દમ બને છે.
[ ૪૧૩
હાથમાં પુષ્પાંજલિ ગ્રહણ કરી શ્રીયંત્રરાજ મધ્યે બિરાજમાન મા ભગવતી પદ્માવતીનું પૂજન કરવા માટે પ્રાર્થનામંત્ર બોલી ૫૨મ ગુરુદેવની આજ્ઞા માગવી. યંત્ર ઉપર પુષ્પાંજલિ ચડાવતાં થાળી ડંકો વગાડવો.
ષોડશોપચાર પૂજનના પ્રારંભમાં અભિષેક વિધાનમાં જળ અને દૂધ અથવા શુદ્ધ દૂધ તેમ જ પંચામૃતનો અભિષેક થઈ શકે. સુંદર રાગ-સંગીતથી અભિષેક-સ્તોત્ર બોલી અભિષેક કરવો. પછી શુદ્ધ જળથી અભિષેક કરી અંગલૂછણાં કરી ભગવતી શ્રી પદ્માવતીને પાંચ મીટર લાંબું અતિ સુંદર વસ્ત્ર થાળમાં મૂકી મંત્રોચ્ચારસહ અર્પણ કરવું.
વસ્ત્રાર્પણ કરીને યોગ્ય મંત્રો તથા યોગ્ય વિધાનપૂર્વક હવે પછી દર્શાવેલ પૂજનવિધિ કરવાનો રહે છે. મંત્રો તથા વિધાન કોઇ પણ યોગ્ય પુસ્તકમાંથી ઉપલબ્ધ થશે.
વસ્ત્રપૂજા બાદ શ્રીકળશપૂજા, નેત્રાંજનપૂજા, ગંધપૂજા, કસ્તુરીપૂજા, કુંકુમપૂજા, સિંદુરપૂજા, કુસુમાંજલિ, અવીરપૂજા, અલંકારપૂજા, દિવ્યવસ્ત્રપૂજા, અક્ષતપૂજા, પુષ્પાંજલિપૂજા, પુષ્પમાલાપૂજા, સૌભાગ્યદ્રવ્યપૂજા, ધૂપપૂજા, દીપદાનપૂજા, ફલપૂજા, નૈવેદ્યપૂજા, તામ્બુલપૂજા, પ્રાર્થના અને નમસ્કારનું વિધાન કરવું. સબીજસૃષ્ટિ મુદ્રાથી નમસ્કાર કરી કુસુમાંજલિ ચડાવવી. મા રાજરાજેશ્વરી પદ્માવતી દેવીને નૈવેદ્યમાં પાયસ-ખીર સિવાય અન્ય કોઈ ભોજ્યપદાર્થ ધરાવી શકાય નહિ. પરંતુ મા ભગવતીના સખી-મંડળની દેવીઓને ભાત, ધી, સાકર, પાયસ, માલપુવા નંગ ૨૩, ચોખાના લોટના લાડુ નંગ ૨૩, પૂરી, શાક, કઢી, પાનનાં બીડાં નંગ ૨૩, પાવલી સહિત ૨૩ રૂપિયા તથા શ્રીફળ નંગ ૧ થાળમાં લઈ નૈવેદ્ય ધરી શકાય.
ઉપર્યુકત વિધાન-પૂજન પૂર્ણ કરી અગ્નિકુંડમાં આહુતિનો પ્રારંભ કરવો. ઉપર્યુકત વિધાન પ્રમાણે જો ઉપાસક પૂજા કરતા હોય તો નિત્ય આહુતિ આપવાની જરૂર નથી. આહુતિ આપનાર વ્યકિત શરૂઆતથી અંતિમ આહુતિ સુધી એક જ રહેવી જોઈએ.
પૂજનમાં જેટલા જેટલા વલયોમાં સ્થાપિત દેવીઓ છે તે તમામ દેવીઓને એક એક આહુતિ, તે મંત્ર બોલીને આપી શકાય. જો સમયની અનુકૂળતા ન હોય તો મા ભગવતી રાજરાજેશ્વરીના મંત્રની જ ૧૦૮ આહુતિ આપવી. આહુતિ આપનારે ઊનના આસન પર બેસવું.
આહુતિ વિધાનના બે પ્રકાર છે : (૧) આવરણ પૂજાંગ આહુતિ વિધાન, (૨) પ્રધાનકુંડ અથવા જાપની પૂર્ણાહુતિમાં કરાતું આહુતિ વિધાન.
આહુતિનો કાર્યક્રમ સૂર્યાસ્ત પહેલાં પૂર્ણ થઈ જાય તેમ કરવું. છતાં, જો કોઈ કારણસર મોડું થાય તો મા ભગવતીને ચડાવેલ નૈવેદ્ય-ફૂલ વગેરે તમામ વસ્તુઓ પૂજનના સ્થાનમાંથી ખસેડી તેનો ઉપયોગ કરાવી દેવો. રાત્રિએ કોઈ પણ દ્રવ્ય રાખી શકાય નહિ.
પૂજન તથા આતિના ચમત્કારો જાય માટે કોઈ ચેષ્ટા ન કરવી. હૃદયકમલમાં મા ભગવતી પદ્માવતી દેવી ઉપર પૂર્ણ વિશ્વાસ-શ્રદ્ધા-આસ્થા હોય તો જ આ સમગ્ર કાર્ય કરવું હિતાવહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org