________________
૪૦૮ ]
( શ્રી પાણ્વનાથોપસર્ગ-હારિણી
મા ભગવતીજી શ્રી પદ્માવતી દેવીની મહાપૂજાનું વિધાન
મૂળશંકર પ્રા. ભટ્ટ
'પદ્માવત્યારક”માં રાજરાજેશ્વરી શ્રી શ્રી પદ્માવતીજીનાં સૌન્દર્ય, મહિમા, યંત્રાદિગ્દર્શક આઠ શ્લોક છે. આ આઠે શ્લોક/મંત્રો અહીં વિદ્વાન લેખકે 'પદ્માવતી ઉપાસનામાંથી સંક્ષેપમાં દર્શાવી ભગવતીનો સંપૂર્ણ પૂજનક્રમ શાસ્ત્રીય રીતે વર્ણવેલ છે. ઉપરાંત આ લેખમાં શ્રી પદ્માવતીજીની શક્િત, રક્ષણશક્િત, સિદ્ધમત્રો, શૃંગારરૂપ, યંત્રમંડલ આલેખન, વર્ણમહત્ત્વ વગેરેની પૂરક માહિતીનું સંકલન સુંદર રીતે કરાયું છે. બરાબર વાંચી-વિચારી-સમજીને યંત્રપૂજન કરવાથી ઘણો લાભ થઈ શકે છે. પૂજનરહસ્યો પણ હૃદયને સ્પર્શી જાય અને ભાવનામાં વૃદ્ધિ કરે એ રીતે વર્ણવ્યાં છે.
-- સંપાદક
ભગવતી શ્રી પદ્માવતી દેવી શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનનાં અધિષ્ઠાયિકા દેવી છે. તેમની આરાધનાવિધિ માટે દિવ્ય સ્તોત્રની રચના દ્વિજ શ્રી પાર્શ્વ દેવ ગણિએ કરેલી છે, તે “શ્રી પદ્માવત્યાષ્ટક' તરીકે પ્રસિદ્ધ છે. આ અષ્ટકના પહેલા આઠ શ્લોકોમાં તેના રચયિતા મહર્ષિએ યોગ્ય પદવિન્યાસ રહસ્યમય મંત્રસાધનાનો ઉપદેશ આપેલ છે. ભગવતી પદ્માવતી દેવીના આ દિવ્ય સ્તોત્રના પ્રથમ આઠ શ્લોકોમાં મંત્ર-યંત્રનું રહસ્ય પણ મૂકેલું છે.
આ 'પદ્માવત્યારક' ના પ્રથમ શ્લોકમાં ભગવતી પદ્માવતીનું ઉત્કૃષ્ટ દેવત્વ દર્શાવ્યું છે. બીજા શ્લોકમાં દેવીની દિવ્ય મહાશક્િતનું નિદર્શન કરાવતા અનેક મંત્રોના રહસ્યને ગૂંથી લેવામાં આવ્યું છે. ત્રીજા શ્લોકમાં ભગવતી પદ્માવતીની રક્ષણશક્િતનો ખ્યાલ આપતું સુંદર વર્ણન ગ્રંથકારે કર્યું છે અને કેટલાક મંત્રોનું રહસ્યમય પ્રતિપાદન કર્યું છે. ચોથા શ્લોકમાં શાસ્ત્રકાર મહાત્માએ ઘણા સિદ્ધમત્રો ગર્ભિત રીતે ગૂંથ્યા છે. તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથની પ્રસન્નતા ભરેલી, યોગક્ષેમને આપનારી શુભ દષ્ટિ માત્રથી જ સર્વ પ્રકારનાં કાર્યો સિદ્ધ થાય છે. તે સિદ્ધ કરવા ભગવાનના પરિવાર-દેવતાઓના મંત્રો અહીં દર્શાવ્યા છે. પાંચમા શ્લોકમાં અપકકાર મહાત્માએ ભગવતી પદ્માવતીનું શંગારરૂપ વર્ણવી તેને કામદેવની અધિષ્ઠાત્રી બતાવી છે. છઠ્ઠા શ્લોકમાં વિષહરણ પ્રયોગ તથા સૌભાગ્ય પ્રાપ્તિ અને સંતાનપ્રાપ્તિના પ્રયોગોનું રહસ્ય કહેવાયેલું છે. આ શ્લોકના અનુસંધાનમાં રચાયેલ એક અદ્ભુત યંત્ર ભૂતપ્રેતાદિનાશ, પુત્રાહિમાવાન માટે તૈયાર કર્યું છે. વૃત્તિકાર તેની પ્રશંસા માટે કારિકાઓ આપે છે :
अपुत्रा लभते पुत्रं, निन्दवो जीवितप्रजाः । यत्रधारणमात्रेण दुर्भगा सुभगा भवेत् ।। प्रभवति विषं न भूतं सन्निहितं चेटकाश्च भूताश्च । संस्मरणादस्य सत्यं पापमपि नाशमुपयाति ।।
અર્થાતુ, આ યંત્રના પૂજનથી નિઃસંતાન નારીને પુત્રપ્રાપ્તિ થાય છે, ત્યક્તાનો સંસાર ફરીથી શરૂ થાય છે અને મૃતવત્સાનાં (જેનાં બાળકો જીવતાં ન હોય તેનાં) સંતાનો જીવિત રહે છે. વળી આ યંત્રનું પૂજન કરનારને વિષની અસર થતી નથી, ભૂત-પ્રેત નજીક આવતાં નથી, એટલું જ નહિ; આ યંત્રના અહર્નિશ દર્શન કરતાં રહેવાથી તેનાં બધાં પાપો નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org