________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૪૦૭
જો માતાજીની સ્થાપના કરવા માટેના રૂમમાં અલગ ગોખ કે નાનકડું મંદિર અથવા કબાટ હોય તો, તેમાં લાલ કપડું પાથરી માતાજીની મૂર્તિ યા છબીની સ્થાપના થઇ શકે. પણ તે કબાટ લોખંડનો ન હોવો જોઇએ કે તેનો કોઇ ભાગ લોખંડનો ન હોવો જોઇએ. તે સ્થાન આગળ લાલ પડદો રાખવો જોઇએ. હા, એક વાત ખાસ સમજી લઇએ કે, ચિત્તની પ્રસન્નતાપૂર્વક ભગવતી પદ્માવતીજી પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને પરમ કૃપાળુ પાર્શ્વનાથ પ્રભુની હૃદય-મંદિરમાં સ્થાપના કરી, માતાજીની સ્થાપના કરવામાં આવે તો ઉત્તમ ગણાય.
મા ભગવતી પદ્માવતીજીનાં અનેક સ્વરૂપોમાં રક્તવર્ણ સ્વરૂપ સૌથી વધારે પ્રસિદ્ધ છે. જ્યારે ગૃહમાં માતાની સ્થાપના કરવાની હોય અને જો શકય હોય તો, સુંદર મજાના કમળના આસન પર માતાજી બિરાજમાન હોય તેવું સુંદર દશ્ય આંખો સમક્ષ આવી જાય તેવી છબી અથવા મૂર્તિ હોય તો વધારે ઉત્તમ ગણાય. અંતમાં,
पद्मासना पद्यदलायताक्षी, पद्यानना पद्मकराङ्घ्रि-पद्या । पद्यप्रभा पार्श्व-जिनेन्द्रसक्ता, पद्यावती पातु फणीन्द्रपत्नी ।।
અર્થાત, કમળના આસનવાળી, કમળપત્ર જેવાં દીર્ઘ નેત્રોવાળી, કમળ જેવા હાથ અને કમળ સમ ચરણોવાળી. કમળ જેવી કાંતિવાળી શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રની શાસનદેવી તથા શ્રી સર્પરાજ ધરણેન્દ્રની પત્ની શ્રી પદ્માવતી દેવી મારી રક્ષા કરો.
કારક
કે
આ
કાકા
::
TET
હતી
?
::
કામ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org