________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[૪૦૫
શ્રી પદ્માવતીજીને ગૃહમાં કયાં-કેવી રીતે પધરાવવાં ?
- શ્રી જશુભાઇ જે. શાહ
નૂતન ગૃહમાં રહેવા જતા પૂર્વે જેમ કુંભ મૂકવાનું કે ગૃહવાસ્તુ કરવાનું મંગલ વિધાન કરવામાં આવે છે તેમ ગૃહમાં ભગવતી પદ્માવતીજીની પધરામણી કરવી હોય તો સ્થાનની યોગ્ય પસંદગી અને વિધિ થવી જોઇએ. સ્થાન-સમય-તિથિ-વાર પ્રમાણે એ થાય, એ માટે જાણકારી જરૂરી છે. ઘણા સાધકો શ્રી પદ્માવતીજીના શ્રી વિગ્રહને, યંત્રરાજને ગૃહમાં પધરાવતા હોય છે, પણ તેની પ્રતિષ્ઠા પૂર્વે અનેક સાવધાનીઓ રાખવી પડતી હોય છે. શ્રી જશુભાઇએ એ વિધિ અને શુદ્ધિ માટે આ લેખમાં યોગ્ય માર્ગદર્શન કર્યું છે.
-- સંપાદક
મા ભગવતી પદ્માવતીજી, કે જેમનું સ્મરણ રોગ-શોકનું શમન કરનાર છે, જેમની ભક્િત જીવને પરમાત્મા સમીપ લઇ જનારી છે, જેમનો નામમંત્ર ચિંતામણિરત્નથી પણ અધિક ફળદાયી છે, જે કમલપત્રની પીઠ પર બિરાજમાન છે, જેમની ભક્િત કરતાં શક્િત વધે છે અને જીવ અનેક પ્રકારનાં કષ્ટોથી મુક્ત બને છે, જે મહાદેવી ભક્તોની હરહંમેશ કાળજી લઈ ભક્તોની સઘળી ઉપાધિ દૂર કરે છે, એવાં મા ભગવતી પદ્માવતીજીની સ્થાપના ગૃહમાં કેવી રીતે કરવી તે જોઇએ.
સામાન્ય રીતે જ્યાં જ્યાં પરમકૃપાળુ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પરમાત્માના મંદિરમાં પદ્માવતીજીની સ્થાપના કરેલી હોય છે ત્યાં ભક્તો મહાદેવી શ્રી પદ્માવતીનાં દર્શન-પૂજન કરતા હોય છે. કેટલીક જગ્યાએ મા પદ્માવતીજીનાં સ્વતંત્ર મંદિરો પણ જોવામાં આવે છે. અને ત્યાં પણ ભક્તો માની પૂજાવિધિ કરતા હોય છે. તેમ છતાં અરિહંત પરમાત્માની હાજરીમાં દેવ-દેવીઓની વિશિષ્ટ પ્રકારની પૂજા-અર્ચના-ઉપાધિ થઇ શકતી નથી. તેથી કેટલાક સાધક આત્માઓ ગૃહમાં ભગવતી પદ્માવતીજીની સ્થાપના કરતા હોય છે. એ વિધિપૂર્વક સ્થાપના કેવી રીતે કરવી તે જોઇએ.
સૌ પ્રથમ તો મા ભગવતી પદ્માવતીજીની સ્થાપના ગૃહમાં કરવાની ઈચ્છા ધરાવનાર સાધકે મા ભગવતીજીની સ્થાપના માટે એક અલગ, હવા-ઉજાસવાળો અને જ્યાં આજુબાજુમાં અશુદ્ધિ ન હોય એવો રૂમ પસંદ કરવો જોઇએ. કારણ કે, ભકિત અને શુદ્ધિ એ મંત્ર-સાધનાના મુખ્ય સ્તંભો છે. ઓરડાની જગ્યા શુદ્ધ અને પવિત્ર હોવી જોઇએ. દેવીપૂજાના ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, દેવસ્થાપના માટેનું સ્થળ પવિત્ર, શાંત અને ચિત્તને પ્રસન્નતા આપે તેવું હોવું જોઇએ.
મા ભગવતી પદ્માવતીજીની મૂર્તિ સુંદર, દર્શનીય અને ચિત્તને પ્રસન્નતા આપે તેવી હોવી જોઇએ અથવા તેની છબી પણ સુંદર હોવી જોઇએ, જેથી સાધના કરતાં નિર્મળ અને સુંદર ભાવ આવે. મંત્રવિશારદોનો મત એવો છે કે, જે સ્થાન ઉપર મહાદેવી શ્રી પદ્માવતીજીની સ્થાપના કરવાની હોય તે બધી ભૂમિ એક-દોઢ હાથ ઊંડી ખોદી તેમાં મૃત પ્રાણીઓનાં કલેવરો, હાડકાં, કોલસો, ખીલા વગેરે જે કંઈ અશુદ્ધિ હોય તે દૂર કરવી, તે ભૂમિનું પૂરું શોધન કરી લેવું. પછી શુદ્ધ પવિત્ર માટીથી તે જગ્યા પૂરી દઇ, જળનો છંટકાવ કરવો. તે જગ્યા સરખી-સમતલ રાખવી. પછી તેને ગાયના છાણથી લીંપી લેવી અથવા આરસ આદિ પથ્થરો નાખી શુદ્ધ-સ્વચ્છ કરવી જોઇએ.
મા ભગવતી પદ્માવતીજીની મૂર્તિ અથવા છબી પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ દેવીનું મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org