SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] તેટલો જલદી ફળે છતાં આચરવો નહિ. ઘણીવાર કેટલાંક અનુષ્ઠાનો કરવા છતાં તાત્કાલિક ફળ ન મળે તો એમ સમજવું કે પૂર્વનાં દુષ્કર્મો અથવા અંતરાયો નડે છે માટે ઉપાસના વધુ ને વધુ તીવ્ર કરવી. (૨૦) ઉપાસનામાં ઉત્સાહ, તીવ્ર લગન, અપાર ધૈર્ય, ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ ખૂબ જરૂરી છે. આ સર્વસાધારણ બાબતોની વાત થઇ. શ્રી પદ્માવતીજીની સાધનામાં (૧) અહિંસાભાવ, (૨) સમસ્ત પ્રાણીઓ - સમસ્ત ચરાચર પ્રત્યે મૈત્રીભાવ, (૩) અતિશય પવિત્રતા, (૪) સાત્ત્વિકતા, (૫) ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય આસ્તિકતા, ભકિતભાવ, શરણાગતિ. (૬) રાગદ્વેષાદિમાં મુકત થવાની અને સંયમધર્મ પરિપાલનની શિવભાવનાથી સાધના થાય તે જરૂરી છે. ઘડીભર માની લઇએ કે ચોક્કસ અર્થપ્રાપ્તિ માટે શ્રી પદ્માવતીજીની સાધના હાથ ધરવામાં આવે ત્યારે પણ તેમાંયે ચોક્કસ મર્યાદા પહેલેથી જ સ્વીકારી લઇએ; કારણ, અમર્યાદ ઇચ્છાઓ, અદમ્ય વાસનાઓ કે અશુભ ગતિ કરાવનાર સત્કાર, માન વગેરે માટે કે દંભથી ઉપાસના કરવા જતાં અનિષ્ટ થવાની સંભવિતતા છે. શ્રી ધરણેન્દ્ર, શ્રી પદ્માવતીજી અને તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના પારસ્પરિક સંબંધોને પૂર્વજ્ઞાન મેળવવું સાધક માટે અનિવાર્ય છે. Jain Education International cobar यशोदेवसूरिनी भगवती श्रीपद्मावती देवी [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી For Private & Personal Use Only संवत २०४१ www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy