________________
૩૯૪]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
કુંડ બનાવ્યા બાદ, ત્રિકોણ યંત્ર લખી હવન કરવો. ૧૦૦૮ વાર કરવાથી મંત્રસિદ્ધિ પ્રાપ્ત થાય.
શ્રી પદ્માવતી માતાજીની નિત્ય પૂજાવિધિ અને કવચ સ્તોત્ર –
પ્રથમ ભૂમિ ઉપર નહીં પડેલું ગોમય-છાણ લેવું અને મૃત્તિકા-ગોરમાટી બન્નેનું મિશ્રણ કરી કંકમના ૫ટ્રકોણ અને ત્રિકોણમાં મધ્યબિન્દુ કરવું. અબોટ ઘી દીવડામાં નાખી દીપક પ્રગટાવવો. ત્યાર બાદ રતાંજણી, સુખડ તથા ખીજડાનાં કાષ્ઠનો અગ્નિ પ્રગટાવવો, અને અગ્નિદેવની પૂજા કરવી. ધૃત-મધુ-સાકર-દૂધ-દહીં, આ પાંચ વસ્તુ મિશ્ર કરી પંચામૃત હવનમાં નાખવું, પંચામૃત હવન કરવો. આહુવાન મંત્ર ભણવો અને આહુવાન કરવું. તે પછી લાપસી, વડાં, વેડમી, પૂડલા, ખીર, બાકુલા -- આ વસ્તુનો પણ હવન કરવો આવશ્યક છે. મેવા-ચારોલી, ચાર બદામ, ફળ, પત્ર-પુષ્પાદિ પછી વસ્ત્ર-ચોળી-ઘાટડી-ચૂલો-ચણિયા-ચાંદલો, શ્રીફળ-સુંગંધી તેલ--નૈવેદ્ય ચડાવવો. આટલી વિધિ બાદ વિસર્જન શ્લોક આ પ્રમાણે બોલવો --
अपराध सहस्राणि क्रियते नित्यशो मया, तत्सर्व क्षम्यतां देवी, प्रसीद परमेश्वरी ।
આ શ્લોકથી વિસર્જનવિધિ કરવી. જ્યારે હવન ચાલુ હોય ત્યારે, યજ્ઞમાં ઉપસ્થિત પ્રત્યેક જણને પ્રસાદ આપવો. આ વિધિ દર વર્ષે કરવી. તેમાંય ખાસ દિવાળી, આસો માસની અષ્ટમી, નવરાત્રિ--એ દિવસે ખાસ હવન કરવો અને આશાહીનં-ક્રિયાહીન' આખો શ્લોક બોલવો. અથવા આ શ્લોક પણ બોલી શકાય :
आहूति नैव जानामि, नैव जानामि पूजनं, विसर्जनं न जानामि, क्षम्यतां परमेश्वरी । स्तोत्रं न जानामि, जप न होम मंत्रं न तंत्रं परम सु यंत्रं पूजा नं नच चातुरीणां जाने पुनः केवल मातृनाम् माता भवानी च पिता भवानी भ्राता भवानी भगिनी भवानी, गोत्रं भवानी कुलजा भवानी विना भवानी न हि किंचिदस्ति ।
ઉપરોકત નિત્ય પૂજાની વિધિ જાણવી અને કરવી.
जैन बोध प्रदीपेन नरस्याभ्यंतरं तमः । ममात्मा निर्मलां चक्रे तस्मै श्री गुरवे नमः । पद्यावती महादेवी सर्वदुष्ट निषर्हणी, मथनी सर्व शत्रुभ्यो प्रसन्नाभव भारती ।। पुरा-प्रकाशितं देवी गुह्यात् गुह्यतरं महत् । पद्मावती महादेव्याः कवचकं तु चोत्तमम् । पद्याइत्यभिधापद्यारत्नं श्रेष्ठं महद्भुतम् ।। ब्रह्मरंधे सदा रक्षेत्, पद्यानां महासती नेत्रे रक्षेत् धृतिकीर्ति मुखं रक्षेत्तु भारती । कर्ण रक्षेत् श्रुतिश्रद्धा नासिकायां सुगंधिका ।। स्कंधे स्कंधावती देव्या हदये बुद्धिसिद्धिदा । जंघायां मे सदा रक्षेत् नाभिदेशे विवस्थिता, कामरूपा महादेवी लिग रक्षेत्तु मे सदा ।। जंघायां मे सदा रक्षेत् कामदा कामवर्तिना, जानु रक्षेतु मातंगी श्रीपदाऽऽकाशगामिनी ।। गतिवती वेगवती रक्षता मे पदद्वयी ।। अंगन्यासं करन्यासं ब्रह्मणा कथितं पुरा, यो नित्यं धारयेद्धीमान् इन्द्रतुल्यौ सुखी भवेत् (इन्द्रतुल्यौत्तरो भवेत्) ।।
પદ્માવતીજીની સાધના કરતાં પહેલાં આ પદ્માવતી કવચનું પઠન કરવું, અને કોઈ પણ સાધના વખતે આ કવચ ૧ વખત ભણીને સાધના કરવી, જેથી કષ્ટ-વિદનથી બચાવ થાય. મન્નાદીને क्रियाहीनं भावहीनं च यत्कृतम् । तत्सर्व क्षम्यतां देवी, प्रसीद परमेश्वरी ।।
ઇતિ ભૈરવ મહાપદ્માવતી કલ્પ સપૂર્ણ. (શ્રાવણ સુદ ૧, વિ. સં. ૨૦૪૮ના વિંઝાણ ચાતુર્માસમાં આ મહાકલ્પ લખેલો છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org