________________
૩૯૨ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
(અનુ.) ખાસી આ નયનો મારાં, દિવ્ય દર્શનને ચહે,
મેઘ પંથે દગો માંડી, કલાપી મુગ્ધ ના રહે. ૬. (વસંત.) પૃથ્વી દિનેશ સમ દીપકથી ઉતારે, તારી મહા સુખદ આરતિ હર્ષ ધારે;
જયોત્મા સુધા વિધુ રચી અભિષેક આપે, નક્ષત્ર હાર તુજ ગ્રીવ, અમૂલ્ય સ્થાપે. ૭ (અ) દિવ્યાનંદે ભજું ભાવે, પદ્મિની પ્રિયવલ્લભે, સિદ્ધિદા સિદ્ધિદાત્રી તું, આપો દર્શન દુલ્લભે. ૮.
મહામાયા પદ્માવતીજીની ઉપરોકત સ્તુતિ બોલ્યા બાદ શ્રી પદ્માવતીજીના મંત્રના ૫૦૦૦ જાપ કરવા. આ પદ્માવતીની સર્વોત્તમ ઉપાસના છે. જે શ્રી પદ્માવતી કલ્પમાં બતાવેલી છે. દેવી પ્રગટ થઈ સાધકની તમામ મનોકામના પૂર્ણ કરે છે. જો કે આ ઉપાસના અધૂરી મૂકી મોટા ભાગના સાધક ઊઠી જાય છે. આ અનુભવ યતિરાજ શ્રી દિવ્યાનંદજી મ નો ખુદનો છે. માટે ધી
મને ખુદનો છે. માટે ધીરજ રાખીને, વિપ્નથી પરાસ્ત ન થતાં, હિમ્મતથી આગળ વધો તો જરૂર સફળતા મળશે જ.
શ્રી મહાદેવી પદ્માવતી મહાવિધા :
ॐ श्रीं ह्रीं ह्रः पद्यावती पद्यासने पद्यहस्ते पद्याक्षी कमलानने पद्मगंधा महापद्यनिधि श्रेणी विभूषिते २ चतुर्दश महारत्न नवनिधिभिः धारिणी हाँ हाँ हूँ इः आगच्छ २ सर्व सिद्धिकरी नमः ।
આ મંત્ર અંગેની વિધિમાં દરરોજ ૧૧૦૦ જાપ ૪૧ દિવસ સુધી કરવા. પદ્માવતીની સ્થાપના કરીને ઉત્તરાભિમુખે બેસવું. બાકી બધી વિધિ પદ્માવતીજીના યંત્ર અને મંત્રની વિધિ પ્રમાણે જ કરવી. આ મંત્રથી ઋદ્ધિ અને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે.
સર્વ ઉપદ્રવને નષ્ટ કરવાની પદ્માવતી મહાવિધા :
ॐ नमो भगवते श्री पार्श्वनाथाय ह्रीं धरणेन्द्र पद्यावती सहिताय अट्टे मट्टे क्षुद्र विघट्टे क्षुद्रान् स्तंभय मनोवांछित पूरय पूरय (स्वाहा) ।।
વિધિ : પ્રથમ આ મંત્રગ્રહણ વેળા ૧૧૦૦ જાપ કરી સિદ્ધ કરી લેવો. પછી રોજ સવારમાં પથારીમાંથી ઊઠી, શુદ્ધ થઈ, આ મંત્ર ૨૧ વાર જપવો. બાદ જ્યારે કોઈ ઉપદ્રવ જેવું દેખાય ત્યારે દહીં-ગોળ એકત્ર કરીને તેને આ મંત્રથી અભિમંત્રવા. પછી પોતાના બેસણા (આસન) ઉપર બેસી ઉપર કહેલા દહીંથી પાટિયાની ભીંત-દીવાલમાં ૐ રીં શ્રીં વન- આ મંત્ર લખવો. પછી ૐ દી શ્રી - આ ત્રણ બીજ મુખ્ય દરવાજે લખવા. પછી આખા રૂમમાં અને ચારે ખૂણે તે દહનાં છાંટણાં કરવાં. પછી તે દહીંનું તિલક (0) પોતાના લલાટે કરી જે દહીં બાકી વધ્યું હોય તે પોતે પી જવું. આ પ્રયોગથી સર્વ ઉપદ્રવ દૂર થશે અને સંઘના સર્વ જનો પ્રેમથી માન-પાન આપશે. આ પ્રયોગ અવશ્ય અજમાવવા જેવો છે.
સર્વ-ભયહર-વિજ્ઞાન :
ॐ नमो भगवते श्री पार्श्वनाथाय सप्तफणिमणिविभूषिताय क्षिप्र क्षिप्र भ्रमर भ्रमर मद मेमरी मद प्रमरी सर्व भूतान् सर्व प्रेतान् सर्व ज्वरान् सर्व ग्रहान् सर्व रोगान् सर्व शाकिनी भेदान् सर्व दोषान् भेदय भेदय निवारय निवारय ॐ कौँ हाँ हाँ फुट् स्वाहा ।
વિધિ : શુદ્ધ થઇ, દેરાસરજીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાની સન્મુખ આ મંત્ર ૧૦૮ વાર - ૧ માળા કરવાથી સિદ્ધ થશે. કોઈ પણ ગ્રથી કે ભૂત-પ્રેત આદિ કારણોથી પીડાતા માણસને, કેસર-ચંદન બરાસની શાહીથી ભોજપત્ર પર આ મંત્ર લખીને માદળિયામાં ધૂપ-દીપ દઇ. સ્નાન કરી, ગળામાં ધારણ કરાવવાથી તેની તમામ પીડા દૂર થઈ જશે. આ મહાન શ્રેષ્ઠ વિદ્યા છે.
ॐ नमो भगवते श्री पार्श्वनाथाय हाँ धरणेन्द्र पद्यावती सहिताय गिरिपर्वत इंगर तिहा छै लोहरे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org