________________
૩૮૬]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
શ્લોક શત્રુથી ઉત્પન્ન થયેલ શોકને દૂર કરે છે. પાંચમો શ્લોક દેવતા અને લોકોને વશ કરે છે. અને છકો શ્લોક ઉચ્ચાટન પ્રયોગની અસરને દૂર કરે છે. ૩૧
મુનિયોગ એટલે સપ્તર્ષિ અર્થાત્ સાતમો શ્લોક વિપનો નાશ કરે છે. આઠમો શ્લોક ઉદ્વેગને દૂર કરે છે. .... ....મન, વચન, કાયાની શક્િતને ગોપવ્યા વિના જે નિત્ય ત્રણે કાળ–-સવાર, બપોર, સાંજ (ઉપરના શ્લોકોનું) સ્મરણ કરે છે અને તે માતા તારા ચરણને નમસ્કાર કરે છે તે પાપ રૂપી કાદવથી મુક્ત થઈ પૂર્ણ બને છે. ૩૨
હે દેવી ! તારા ધ્યાનથી સુખ, ધન અને યશનો લાભ, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિનો સંતોષ થાય છે. અને કામદેવ (મનસિજ) જેવા બને છે........ ૩૩
હે દેવી ! તે (તારા) ધ્યાનથી દેવો, મનુષ્યો અને નાગકુમાર (નિકાયના અસુરો)ના ઐશ્વર્યને અને આરોગ્યથી યુક્ત નાગેન્દ્ર જેવું ઊંચું ભવ્ય શરીર અને મદ જલથી યુક્ત ભૂમિ તથા મનોજ્ઞા (ખેચર) વિદ્યાધરના જેવી વાયુગતિ અર્થાતુ આકાશગામિની વિદ્યા, દેવાંગના જેવું પતિના અનુસરણ કરનાર દિવ્ય રૂપ, યુવાની..... પ્રાપ્ત કરે છે. ૩૪
લોકો તારા નામસ્મરણથી ભુવનમાં વાગીશ્વર (કવિઓ)ની માફક લક્ષમી વગર પણ હંસ જેવા ઉજ્વલ યશને પ્રાપ્ત કરે છે. તારા ચરણની પૂજા વડે સ્વયં રાજાઓનાં મસ્તક પણ નમે છે અને (તારા ચરણની પૂજાથી) શ્રેષ્ઠ પુત્ર, ભાઈ, પવિત્ર ગોત્ર અને વિવિધ પ્રકારનાં વસ્ત્રની પ્રાપ્તિ થાય છે. રૂપા
નિત્ય એક કલાકના તારા નામસ્મરણથી નગરજનોનાં ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, (દુર) દેવો, ગ્રહો, વ્યંતરો, ડાકિની વગેરે દેવીઓ, અસુરો, દુર શાકિની વગેરેના સમૂહ, સિંહ વગેરે, સર્પ, હાથી, વીંછી, દુષ્ટ જંતુઓ, રોગ, દુષ્કાળ અને દાવાનળ જતા રહે છે. ૩ડ્યા
(આ પ્રમાણે મંત્રગર્ભિત શ્રી પદ્માવતી સ્તોત્ર સંપૂર્ણ થયું. લિ. પં. વલ્લભવિજય ગણિએ. સં. ૧૮૮૦ જેઠ વદિ ૧ તિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org